SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૫ ૨૫૭ બે અજ્ઞાન અને બે હે દર્શન વડે ષસ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટસ્થિતિ વાળો પણ એમજ જાણવો. પરંતુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યસ્થિતિવાળા સંબંધે પણ એમ જ સમજવું. પરન્તુ તે સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત છે. અને તેને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. જઘન્યકાળાવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પયયો હ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જઘન્યકાલાવર્ણવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય કાળાવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચની ગંધ, રસ અને સ્પર્શપયય વડે પ્રાપ્ત છે. આભિનિબોધિકજ્ઞાનપયય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન પર્યાય વડે ચક્ષુદર્શનપર્યાય વડે અને અચક્ષુદર્શનપર્યાય વડે ષટસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાની સંબંધે જાણવું. પરન્તુ તે સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત હોય છે. તેને ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. સ્વસ્થાનની અપેક્ષાએ તુલ્ય છે. બાકીના પર્યાયની અપેક્ષાએ ષસ્થાન પતિત છે. મધ્યમ આભિનિબોધિકજ્ઞાની ઉત્કૃષ્ટઆભિનિબોધિક જ્ઞાનની પેઠે સમજવા. પરતુ સ્થિતિ ની અપેક્ષાએ ચતુઃસ્થાન પ્રાપ્ત છે, અને સ્વસ્થાન-અભિનિબોધિકજ્ઞાનની અપેક્ષાએ પણ ષટસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે પણ જાણવું. જઘન્યઅવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો ગૌતમ ! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યઅવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષા એ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના વડે ચતુઃસ્થાન પ્રાપ્ત, સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પર્યાય વડે ષટ્રસ્થાન પ્રાપ્ત છે. અવધિજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. અજ્ઞાન નથી, તથા ચક્ષુદર્શન, અક્ષદર્શન અને અવધિદર્શન પર્યાય વડે ષસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની સંબંધે જાણવું. મધ્યમઅધિજ્ઞાની સંબંધે એમજ જાણવું, પરન્તુ સ્વસ્થાન-અવધિજ્ઞાનિને આશ્રીને જસ્થાન પ્રાપ્ત છે. જેમ આભિનિબોધિકજ્ઞાની સંબંધે કહ્યું તેમ મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીને કહેવું. જેમ અવધિજ્ઞાનિને કહ્યું તેમ વિભંગજ્ઞાના સંબંધે પણ કહેવું. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આભિનિબોધિકજ્ઞાની પેઠે જાણવા. અવધિદર્શની અવધિજ્ઞાની પેઠે સમજવા, પરતું જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે એમ છે કહેવું. [૩૨] હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્તપયયિો કહ્યાછે. શા હેતુથી કહો છો કે-“જઘન્યઅવગાહનાવાળા મનુષ્યોને અનન્ત પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળોમનુષ્ય જઘન્ય અવગાહનાવાળામનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા ત્રણ જ્ઞાન, બે , અજ્ઞાન અને ત્રણ દર્શન વડે ષટ્રસ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માટે પણ એમજ સમજવું. પણ સ્થિતિવડે કદાચિતુ ન્યૂન હોય, કદાચિત તુલ્ય હોય અને કદાચિત અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમઅવગાહના વાળા સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ અવગાહના અને સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત [17 Jaiheuucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy