SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૭ ૨૨૯ અપર્યાપ્તાબાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયપ્તિસૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપયતાસૂક્ષ્મઅપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તાસૂક્ષ્મઅપ્લાયિકો વિશેષાધિક છે, તેથી પતિસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી પતાસૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, તેથી પયહાબાદરવનસ્પતિ કાયિકો અનંતગુણા છે, તેથી બાદર વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તાબાદરવનસ્પતિ કાયિકો અસંખ્યાતગુણો છે, તેથી બાદરઅપર્યાપ્તાવિશેષાધિક છે, તેથી બાદરજીવો વિશેષ ધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ અપ યક્તિા વિશેષાધિક છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મવનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, અને તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, [૨૭] હે ભગવન્! એ સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયો ગીમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો મનોયોગી છે, તેથી વચનયોગી અસંખ્યાતગુણા છે, તેથી અયોગી અનંતગુણા છે, તેથી કાયયોગી અનંતગુણા છે અને તેથી સયોગી વિશેષાધિક છે. [૨૮] હે ભગવનું ! સવેદી-સ્ત્રીવેદી, પુરુષવેદી,નપુંસકવેદી અને અવેદીજીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પુરુષવેદી છે, તેથી સંખ્યાતગુણા ત્રીવેદી છે, તેથી અનન્તગુણા અવેદી છે, તેથી અનંતગુણા નપુંસકવેદી છે, અને તેથી સવેદી જીવો વિશેષાધિક છે. [૨૬૯ હે ભગવન્! સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભ કષાયી અને અકષાયીમાં કોણ કોનાથી અલ્પ બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો અકષાયી છે, તેથી માનકષાયી અનન્તગુણા છે, તેથી ક્રોધ કષાયી વિશેષાધિક છે, તેથી માયાકષાયી વિશેષાધિક છે, તેથી લોભકષાયી વિશેષાધિક છે, તેથી સકષાયી વિશેષાધિક છે, [૨૭] હે ભગવનું ! વેશ્યાવાળા, કણલેક્ષાવાળા નીલલેશ્યાવાળા, કાપોત લેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પાલેશ્યાવાળા, શુક્લલેશ્યાવાળા અને વેશ્યારહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો શુક્લલેશ્યાવાળા છે, તેથી પદ્મવેશ્યાવાળા સંખ્યાતગુણ છે, તેથી તેઓલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી વેશ્યારહિત અનંતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંત ગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી સામાન્ય લેશ્યાવાળા વિશેષાધિક છે. [૨૭૧] હે ભગવન્! સમ્યગદષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિ એ જીવોસંબંધે પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા જીવો મિશ્રર્દષ્ટિવાળો છે, તેથી સમ્યગ્દષ્ટિ અનન્તગુણા છે અને તેથી મિથ્યાદષ્ટિ જીવો અનન્તગુણા છે. [૨૭૨] હે ભગવન્! એ આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy