SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૫દ-૨ ૨૦૯ વાળા, કાળા કેશવાળા, ડાબા ભાગે એક કુંડલને ધારણ કરનારા, આઈ ચંદન વડે જેણે શરીરનું વિલેપન કર્યું છે એવા, કંઇક શિલિ% પુષ્પના જેવા વર્ણવાળા સંક્લેશ નહિ ઉત્પન્ન કરે એવા સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો, જેણે પહેરેલાં છે એવા, પ્રથમ કુમારાવસ્થાને ઓળંગી ગયેલા અને બીજી મધ્યમ વયને નહિ પ્રાપ્ત થયેલા, ભદ્ર-પ્રશસ્ત યૌવનમાં વર્તતા. તલભંગતુટિત અને બીજા શ્રેષ્ઠ ભૂષણોમાં રહેલાં નિર્મલમણિ અને રત્નો વડે સુશોભિત ભુજાવાળા, દસ મુદ્રિકા વડે જેના હસ્તના અગ્રભાગો અલંકૃત છે એવા, * વિચિત્ર ચૂડામણિ રત્ન જેઓના ચિન્હરૂપે રહેલું છે એવા, સુરુપાઃ ઈત્યાદિ યાવત્ “દિવ્ય ભોગવવા લાયક ભોગો ભોગવતા વિહરે છે' અહીં ચમર અને બલી-એ બે અસુર કુમારના ઇન્દ્રો અસુરકુમારના રાજાઓ રહે છે. તેઓ કાળા, અત્યંત કાળી વસ્તુઓના જેવા, ગળીના ગુટિકા પાડાના શીંગોડા અને અળસીના પુષ્પ જેવા વર્ણવાળા, વિકસિત કમળના જેવાં નિર્મલ ધોળા અને લાલ નેત્રોવાળા, ગરુડના જેવી લાંબી સીધી અને ઉંચી નાસિકાવાળા, ઉપચિત- પ્રવાલશિલા અને બિંબફળના સમાન અધરોષ્ઠ જેઓ ના છે એવા, ઘોળા અને કલંક રહિત ચન્દ્રના ખંડ, નિર્મલ ઘનરૂપ થયેલું દહીં, શંખ, ગાય નું દૂધ, મોગરાના ફુલ, પાણીના કણો અને મૃગાલિકા- જેવી ધોળી દત્ત શ્રેણી જેઓની છે એવા, અગ્નિમાં તપાવેલા અને નિર્મલ થયેલા તપ્ત સુવર્ણની જેવા રાતા હાથપગના તળીયાં તાલ અને જીભ જેઓના છે એવા, અંજન અને મેઘની જેવા કાળા અને રુચક રત્નના જેવા રમણીય તથા સ્નિગ્ધ કેશો જેઓના છે એવા, ડાબા ભાગમાં એક કંડલને ધારણ કરનારા-ઇત્યાદિ અસુરકુમારના વર્ણન પ્રમાણે દીવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતા વિહરે છે.’ હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! જેબૂદ્વીપ નામના દ્વીપને વિષે મેરુ પર્વતની દક્ષિણ દિશાએ એક લાખને એંશી હજાર યોજન પ્રમાણ જાડી રત્નપ્રભા પૃથિવી છે, યાવતુ મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ છે - ઈત્યાદિ વર્ણન યાવતુ પ્રતિરુપ-અત્યંત સુંદર છે ત્યાં સુધી જાણવું. અહીં પયપ્તા અને અપર્યાપ્તા દક્ષિણ દિશા ના અસુરકુમાર દેવોના સ્થાનકો કહ્યાં છે. તે ઉપરાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓ રહે છે. તેઓ કાળા તેઓના ઓષ્ઠ લોહિતાક્ષ રત્ન અને બિંબીફલના જેવા રાતા છે - ઇત્યાદિ પૂર્વોક્ત યાવતુ દીવ્ય ભોગો ભોગવતા વિહરે છે' ત્યાં સુધી જાણવું. ભવનવાસી અસુરકુમારનો ઇન્દ્ર અસુરકુમારનો રાજા ચમર અહીં રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો યાવતું પ્રભાસમાનઃ શોભતો ત્યાંના ચોત્રીશ લાખ ભવના વાસોનું, ચોસઠ હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાયસ્ત્રિશ દેવોનું, ચાર લોકપાલ દેવોનું, પરિવાર સહિત પાંચ અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, ચારગુણા ચોસઠ હજાર આત્મરક્ષક દેવોનું અને તે સિવાય બીજા ધણા દક્ષિણના દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરાવતો યાવતું વિહરે છે. હે ભગવનું પિયક્તિા અને અપર્યાપ્તા ઉત્તરના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy