SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પદ્મવણા - ૨/-/૨૦૨ નિરાવરણ કાન્તિવાળાં, પ્રભાવાળાં, કીરણોવાળાં, ઉદ્યોતવાળાં, મનને પ્રસન્ન કરનાર, દર્શનીય જોવા યોગ્ય, અત્યંત સુંદર, અને પ્રતિક્ષણ નવીન નવીન રુપને ધારણ કરનારાં હોય છે. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા ભવનવાસી દેવોના સ્થાનો છે. તેઓ ઉપપાત વડે લોકનાઅસંખ્યાતમા ભાગમાં,સમુદ્દાતવડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલાં છે. ત્યાં ઘણા ભવન- વાસી દેવો રહે છે. તે આ પ્રમાણે- અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્તનિતકુમાર - ચૂડામણી નામે રત્ન જેના મુકુટમાં છે, જેઓના ભૂષણમાં નાગની ફેણ, ગરુડ અને વજ્ર છે, તથા પૂર્ણ કલશ વડે અંકિત - મુકુટ જેઓના છે, જેના ભૂષણમાં સિંહ-ઘોડો અને શ્રેષ્ઠ હાથીરુપ ચિન્હ છે, જેના ભૂષણમાં આશ્ચર્ય કરનાર મગર અને વર્ધમાન- રુપ ચિન્હો નિયુક્ત ૐ એવા ભવનવાસી દેવો છે. તેઓ સુંદર રૂપવાળા, મહા ઋદ્ધિવાળા, મહાકાન્તિ વાળા, મહાબલવાળા, મહાયશવાળા, મહાઐશ્વર્યવાળા તરીકે સુપ્રસિદ્ધ, (હારવડે સુશોભિત છાતીવાળા, કડા અને બાજુબંધથી જેના હાથ સ્તંભિત થયેલા છે. એવા, અંગદ, કુંડલ તથા જેણે બન્ને કપોલપ્રદેશ- સ્પર્શ કર્યો છે એવા કર્ણપીઠને ધારણ કરનાર, વિચિત્ર હસ્તાભરણવાળા, જેના મસ્તકને વિષે વિચિત્ર માળા અને મુકુટ છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનને ધારણ કરનાર, દેદીપ્યમાન શરીરવાળા અને લાંબી લટકતી વનમાળાને ધારણ કરનાર, દીવ્ય વર્ણ, દીવ્ય ગંધ, દીવ્ય સ્પર્શ, દીવ્ય સંઘયણ, દીવ્ય સંસ્થાન દિવ્ય ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્યપ્રભા, દિવ્ય છાયા-દિવ્ય અર્ચી-દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યા- વડે દસ દિશાઓને ઉદ્યોતવાળી કરતા, શોભતા પોતપોતાના લાખો ભવનાવાસોનું પોતપોતાના હજારો સામાયિક દેવોનું, પોતપોતાના ત્રાયત્રિંશ દેવોનું પોતપોતાની અગ્રમહીષીઓનું,પોતપોતાની પર્ષદોનું, પોતપોતાના સૈન્યોનું, પોતપોતાના સૈન્યના અધિપતિઓનું, પોતપોતાના હજારો આત્મ રક્ષક દેવોનું, અને બીજા ઘણા ભવનવાસી દેવો તથા દેવીઓનું અધિપતિપણું, અગ્રેસર પણું, સ્વામિપણું, ભર્તાપણું, વડીલપણું, આજ્ઞાવડે ઇશ્વ૨૫ણું તથા સેનાના અધિપતિપણુ બીજા પાસે કરાવતા અને સ્વયં પાલન કરતા, નિત્ય પ્રવર્તમાન નૃત્ય, ગાયન, તથા વાગેલા વીણા, હસ્તતલ, કાંસી અને બીજા વાદિત્રોના મોટા શબ્દ વડે દિવ્ય-પ્રધાન ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતા રહે છે. [૨૦૫] હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનોછે ? હે ગૌતમ ! ૧૮૦૦00 યોજન બાહલ્ય- જેની છે એવી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન અંદર પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને ૧૭૮૦૦૦ યોજનપ્રમાણ મધ્ય ભાગમાં અસુરકુમારોના ચોસઠ લાખ ભવનાવાસો કહ્યા છે. તે ભવનો બહાર ના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં ચોરસ છે -ઇત્યાદિ ભવનોનું વર્ણન યાવત્-પ્રતિરૂપ છે- ત્યાં સુધી જાણવું. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના સ્થાનો છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્ ઘાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા અસુરકુમાર દેવો રહે છે. તેઓ કાળા વર્ણવાળા, લોહિતાક્ષપદ્મરાગમણિ અને બિમ્બીલના જેવા લાલ ઓષ્ઠવાળા, ધોળા પુષ્પના જેવા દાંતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy