SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૫-૨ ૨૦૫ લોકમાં કૂવાઓ, યાવત્ સર્વ જલાશયોમાં અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપર્યાતા ચઉરિન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાત વડે, સમુદ્દાત વડે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિયોના ક્યાં સ્થાનો કહેલાં છે ? હે ગૌતમ ! ઉર્ધ્વલોકમાં તેના એક ભાગમાં અધોલોકમાં તેના એકભાગમાં, તીરછા લોકમાં કૂવા, તળાવો, યાવત્ સર્વ જળાશયો અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિ ન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે, સમુદ્દાત વડે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. = [૧૯૫] હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા નૈરયિકોના ક્યાં સ્થાનો છે ? હે ભગવન્ ! નૈયિકો ક્યાં વસે છે ? હે ગૌતમ ! સ્વસ્થાનવડે સાતે નરક પૃથિવીઓમાં, - ૧ રત્નપ્રભા, ૨ શર્કરાપ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃ પ્રભા અને તમ તમ પ્રભામાં નૈયિકોના ચોરાશી લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગોમાં વૃત્તાકાર છે, બહારના ભાગમાં સમ ચોરસ છે અને નીચેના ભાગમાં-અસ્ત્રોની આકૃતિવાળા છે. તથા તમસા અંધકારવાળા અને ગ્રહ, ચન્દ્ર, સૂર્ય, નક્ષત્રરુપ જ્યોતિષિકોના માર્ગ રહિત છે. મેદ, વસા, પરુનો સમૂહ, રુધિર અને માંસના કીચડવડે -લીંપાયેલું ભૂમિતળ જેઓનું છે એવા અશુચિ-બીભત્સ, અત્યંત દુર્ગંધી, કાપોત- કર્કશ સ્પર્શવાળા, દુઃસહ અને અશુભ નરકાવાસો છે. અને તે નરકાવાસોમાં અશુભ-વેદના છે. આ નરકાવાસોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા નૈરિય કોના સ્થાનો કહેલાં છે, તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. અહીં ઘણા નૈરિયકો વસે છે. તેઓ કાળા, કાળી કાન્તિવાળા, જેઓથી ગંભીર અત્યંત રોમાંચ થાય એવા, ભયંકર, ત્રાસ ઉત્પન્ન કરનારા અને વર્ણથી હે આયુષ્માન્ શ્રમણ ! અત્યંત કાળા છે. તે નૈયિકો ત્યાં હમેશાં ભયભીત થયેલા, હમેશાં ત્રાસ પામેલા, હમેશાં ત્રાસ પમાડેલા, હમેશાં ઉદ્વિગ્ન થયેલા અને હમેશાં એકાન્ત અશુભ અને નિરંતર સંબન્ધવાળા નરકભયનો અનુભવ કરતા રહે છે. [૧૯૬-૨૦૦] હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા રત્નપ્રભાપૃથ્વીના નૈરિય કોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાં રહે છે ? હે ગૌતમ ! ૧૮૦૦૦૦ યોજન પ્રમાણ જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજા૨ યોજન અંદર પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકી ૧૭૮૦૦૦ યોજન પ્રમાણ મધ્ય ભાગમાં રત્નપ્રભા પૃથ્વીના નૈરિયકોના ત્રીશ લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદર ગોળ અને બહારના ભાગમાં સમચોરસ તથા નીચે ક્ષુરપ્રની આકૃતિવાળા, હમેશાં અંધકારવાળા,જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રરુપ જ્યોતિષ્ઠોનો માર્ગ નથી એવા, યાવત્ એવા, અશુભ નરકો છે અને તે નરકમાં અશુભ વેદનાઓ છે. અહીં પયિકા અને અપર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગે છે, યાવત્ અત્યંત અશુભરુપ અને નિરંતર સંબદ્ધ-નરક ભયનો અનુભવ કરતા રહે છે. હે ભગવન્ ! પર્યાપ્તા અને અપયિષ્ઠા શર્કરાપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે ? હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથિવીના નૈર યિકો ક્યાં રહે છે ? હે ગૌતમ ! ૧૩૨,૦૦૦ યોજન પ્રમાણ જાડાઈવાળી શર્કરાપ્રભા પૃથિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy