SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, જ્યોતિષ્ઠ ૧૪૭, કરતાં ચન્દ્ર મોટી ઋદ્ધિવાળા છે. આ પ્રમાણે સૌથી થોડી ઋદ્ધિવાળા તારા રૂપ છે. અને સૌથી મહાદ્ધિવાળા ચંદ્ર દેવ છે. ૩૧૮] હે ભગવનું જેબૂદ્વીપમાં આવેલ એક તારાના બીજા તારા રૂપની સાથે કેટલું અંતર કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! અંતર બે પ્રકારનું છે. એક વ્યાઘાતને લઈને અને બીજું નિવ્યઘાતને લઈને. વ્યાઘાતને લઇને તારા રૂપોનું પરસ્પરમાં જે અંતર કહેવામાં આવેલ છે. તે જઘન્યથી ૨૬૬ યોજનનું છે. અને ઉત્કૃષ્ટથી ૧૨૨૪૨ યોજનનું છે. તથા નિવ્યઘિાતનો આશ્રય કરીને જે અંતર થાય છે, તે જઘન્યથી અપેક્ષાએ પ૦૦ ધનુષનું છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી બે ગાઉનું છે. એ જ પ્રમાણેનું અંતરનું કથન યાવત્ એક તારા રૂપથી બીજા તારા રૂપ સુધીમાં સમજી લેવું. ૩૧] હે ભગવનું જ્યોતિન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્રની અઝમહિષિયો કેટલી છે ? ચંદ્રપ્રભા, જ્યોત્સાનાભા, અચિમાલી, અને પ્રભંકરા એ ચાર છે. તેમાં એક એક દેવિનો. પરિવાર ચાર ચાર હજાર દેવિયોનો છે. એક એક દેવી બીજી ચાર હજાર દેવીયો રૂપ પરિવાર વિક્ર્વણા કરવાને શક્તિશાળી છે. તેથી આ રીતે બધી મલીને એટલે કે ચાર અગ્રમહિષિયોનો કુલ દેવિયોનો પરિવાર ૧૬ સોળ હજાર થાય છે. આ પ્રમાણે આ ચંદ્ર દેવનાં અંતઃપુરનું કથન કરવામાં આવેલ છે. [૩૨] હે ભગવન્! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રાવતંસક વિમાનમાં, સુધમાં સભામાં ચંદ્ર સિંહાસન ઉપર પોતાના અંતઃપુરના દિવ્ય એવા ભોગોપભોગોને ભોગવવા માટે શું સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજ ચન્દ્રના ચંદ્રા વતંસક વિમાનમાં સુધમસિભામાં માણવક ચૈત્યસ્તંભમાં વિજય ગોલવર્ત સમુદ્ગકોમાં અનેક જીનેન્દ્ર દેવોના હાડકાઓ રાખવામાં આવેલ છે. જે તેઓને બીજા પણ અનેક જ્યોતિષ્ક દેવોને અને તેમની દેવીયોને અર્ચનીય છે. યાવતુ પર્યાપાસનીય છે. તેથી જ તેમની સમીપતાને લઈને ભાવતું ભોગોપભોગોને ભોગવવાને સમર્થ થતા નથી. જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં અને સુધમ સભાના ચંદ્ર સિંહાસન પર બેસીને વાજાઓના મધુર શબ્દોના નાદ ના શ્રવણ પૂર્વક દિવ્ય એવા ભોગોપભોગ ભોગવવાને સમર્થ છે. ભોગોપભોગોને ભોગવવાનું કેવળ પોતાના અંતઃ પુરના પરિવારની સાથે જ મનમાં વિચાર કરવા માત્રથી જ તે કરી શકે છે. સાક્ષાત્ મૈથુન સેવન કરવાના રૂપમાં તે ભોગપભોગોને ભોગવી શકતા નથી. [૩૨૧ જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ સૂર્યની ચાર અઝમહિષિયો કહેવામાં આવેલ છે. સૂર્યપ્રભા, આતપપ્રભા, અર્ચિમાલી અને પ્રભંકરા. આની પછીનું બાકીનું તમામ કથન ચંદ્રના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે સમજવું. વિશેષતા છે કે અહિંયા સૂયવિહંસક વિમાન છે. સૂર્ય નામવાળું સિંહાસન છે. તથા ગ્રહાદિ જે બીજા જ્યોતિષિક દેવો છે તે બધાની દરેકની ચાર ચાર અઝમહિષિયો છે. વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજીતા. આ બધાનું વર્ણન પૂર્વવતુ છે. [૩૨] હે ભગવન્! ચંદ્ર વિમાનમાં જે દેવો રહે છે. તેઓની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થિતિ પદમાં મુજબ જાણવું. [૩૨૩] હે ભગવનું આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા મંડલ તેમની અંદર કોણ કોની અપેક્ષાએ અલ્પ છે? કોણ કોના કરતાં વધારે છે? અને કોણ કોની બરાબર છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy