SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૧૩૭ તે બધામાં સેલડીના રસ જેવું પાણી ભરેલ છે. યાવત્ પ્રતિરૂપ છે. એ કારણથી તથા અશોક અને વીતશોક એ નામના બે દેવો અહીયાં નિવાસ કરે છે. તેઓ મહર્દિક વિગેરે વિશેષણો વાળા છે, અને તેઓની સ્થિતિ યાવત્ એક પલ્યોપમની છે. એ કારણથી આ દ્વીપનું નામ અરૂણવર દ્વીપ એ પ્રમાણે થયેલ છે; તથા એ નામ શાશ્વત અર્થાત્ નિત્ય છે, તથા ચંદ્રાદિક જ્યોતિષ્ક દેવ અહીયાં સંખ્યાત ના પ્રમાણમાં છે. [૨૭] અરૂણવર દ્વીપને ચારે બાજુએથી ઘેરીને અરૂણોદ નામનો સમુદ્ર રહેલ છે. એ સમુદ્ર ગોળાકાર છે, અને ગોળ વલયના જેવો તેનો આકારછે. તેના પણ સમચક્ર વાલનો વિસ્તાર એક લાખ યોજનનો છે. અને તેનો પરિક્ષેપ પણ એટલો જ છે. તેમાં જે જળ ભરેલું છે સેલડીના રસ જેવું મીઠું વિગેરે વિશેષણોવાળું છે. અહીંયાં સુભદ્ર અને સુમનભદ્ર નામન બે દેવો નિવાસ કરે છે. તેઓ મહર્દિક વિગેરે વિશેષણો વાળા છે. યાવત્ તેઓ એક પલ્યોપમની સ્થિતિવાળા છે. આ કારણથી આ સમુદ્રનું નામ અરૂણ વર દ્વીપનો પરિક્ષેપી હોવાથી અથવા આભૂષણ વિગેરેની કાન્તીથી જેનું જલ અરૂણ હોવાથી અરૂણોદ એ પ્રમાણે કહેવાયું આ અરૂણવર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલો અરૂણવર નામનો દ્વીપ પણ ગોળ અને ગોળ વલયના આકાર જેવા આકારવાળો છે. ત્યાં જે વાવો વિગેરે જળાશયો છે તેમાં સેલડીના રસ જેવું જલ ભરેલ છે. તેમાં ઉત્પાદ પર્વતો છે. એ પર્વત સર્વાત્મના વજ્રમય છે. અચ્છશ્વણ વિગેરે વિશેષણો વાળો છે. યાવપ્રતિરૂપ છે. આ દ્વીપમાં અરૂણવર ભદ્ર અને અરૂણવર મહાભદ્ર નામના બે દેવો રહે છે. યાવત્ તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. તે કારણથી તે દ્વીપનું એ પ્રમાણે નામ થયેલ છે. અહીંયાં ચંદ્ર, સૂર્ય વિગેરે જ્યોતિષ્ઠદેવો સંબંધી કથન ક્ષીરોદસમુદ્રના પ્રકરણ પ્રમાણે જ છે. એજ પ્રમાણે અરૂણવર દ્વીપને અરૂણવર નામનો સમુદ્ર ચારે તરફથી ઘેરીને રહેલ છે. આ એક પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો કે જેઓનું નામ અરૂણવર અને અરૂણ મહાવર છે તેઓ રહે છે. અરૂણવર સમુદ્રને અરૂણવરાવભાસ નામના દ્વીપે ચારે બાજુથી ઘેરેલ છે. દેવોના નામો અરૂણવરભદ્ર અને અરૂણવરમહાભદ્ર તેમના પરિવાર વિગેરે તથા સ્થિતિ પૂર્વોક્ત પ્રમાણે જ છે. [૨૯૮-૨૯૯]અરૂણવરાવભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલ કુંડલ નામનો દ્વીપ છે આ દ્વીપ પણ વૃત્ત-છે. અહીયાં કુંડલભદ્ર અને કુંડલમહાભદ્ર આ નામો વાળા દેવો રહે છે. એક પલ્યોપમની સ્થિતિવાળા છે. આ કુંડલોદ સમુદ્રમાં ચક્ષુકાંત અને શુભ ચક્ષુકાંત આ નામવાળા બે દેવો નિવાસ કરે છે. એ કારણથી આ દ્વીપનું નામ કુંડલોદ દ્વીપ એ પ્રમાણે કહેવાયુ છે. કુંડલોદ સમુદ્રની ચારે બાજુ કુંડલવર દ્વીપ આવેલો છે. આના સંબંધી કથન પણ ક્ષોદોદક સમુદ્રના કથન પ્રમાણે જ છે. આ દ્વીપમાં કુંડલવર ભદ્ર અને કુંડલવ૨ મહાભદ્ર એ નામ વાળા બે દેવો નિવાસ કરે છે. આ દ્વીપનું નામ કુંડલવ૨ દ્વીપ એ પ્રમાણે કહેવામાં આવેલ છે, કુંડલવર દ્વીપની ચારે બાજુએ કુંડલવર નામનો સમુદ્ર છે. અહીયાં કુંડલવર અને કુંડલવર મહાવર એ નામવાળા બે દેવો રહે છે. યાવત્ તેઓ એક પલ્યોપમની સ્થિતિવાળા કુંડલ સમુદ્રની ચારે બાજુએ કુંડલવાવભાસ મહાભદ્ર આ નામવાળા બે દેવો નિવાસ કરે છે કુંડલવર ભાસોદ સમુદ્ર કુંડલવરભાસ દ્વીપની ચારે બાજુ આવેલ છે. આ સમુદ્ર ગોળ છે. આ સમુદ્રમાં કુંડલવરાવભાસવર અને કુંડલાવભાસમહાવર એ નામવાળા બે દેવો નિવાસ કરે છે. યાવત્ તેઓની સ્થિતિ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy