SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જીવાજીવાભિગમ- સહી.સ./૨૯૪ છે. અચ્છ છે. યાવતુ પ્રતિરૂપ છે. ઈશાન ખૂણામાં જે રતિકર પર્વત છે તેની એક એક દિશામાં એક એક રાજધાની છે. એ રીતે ચારે દિશાની મળીને ચાર રાજધાનીયો છે. આ ચાર રાજધાનીયો દેવરાજ ઈશાન દેવેન્દ્રની ચાર અઝમહિષિયોની છે. આ રાજધાની યોનું નામ નંદોત્તર, નંદા, ઉત્તર કુરા, અને દેવકુરા એ પ્રમાણે છે. - પહેલો જે રતિકર પર્વત છે તેની ચારે રાજધાનીઓમાં દેવેન્દ્રની ચાર અગ્રમહિષીયોની જમ્બુદ્વીપના પ્રમાણવાળી ચાર રાજધાનીયો છે. તેના નામો આ પ્રમાણે છે-પૂર્વ દિશામાં સુમના નામની રાજધાની છે. ૧ દક્ષિણ દિશામાં આવેલ રાજધાનીનું નામ સૌમનસા છે. ૨ પશ્ચિમ દિશામાં આવેલ રાજધાનીનું નામ અચિંમાળી છે. ૩ અને ઉત્તર દિશામાં આવેલ રાજધાનીનું નામ મનોરમા છે. ૪ તેમાં પહેલી અઝમહિષીની સુમના નામની રાજધાની છે. શિવાનામની બીજી અઝમહિષીની રાજધાનીનું નામ સૌમનસા છે. શચી નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ અચિમાલી છે. અને અંજીકા નામની અગ્રમહિષીની રાજધાજધાનીનું નામ અચિંમાલી છે. અને અંજાકા નામની અગ્રમહિષીની મનોરમા નામની રાજધાની છે. દક્ષિણ અને પશ્ચિમના ખૂણાની જે રતિકર પર્વત છે તેની ચાર દિશાઓમાં શક્રની ચાર અઝમહિષીયોની જંબુદ્વીપના પ્રમાણ વાળી ચાર રાજધાનીયો છે. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં ભૂતા દક્ષિણ દિશામાં ભૂતાવતંસા પશ્ચિમ દિશામાં ગોસ્તૃપા અને ઉત્તર દિશામાં સુદર્શના નામની રાજધાની છે. તેમાં અમલા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ભૂતા છે, અપ્સરા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ભૂતાવહંસા છે. નવમિકા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ગોસ્તૂપા છે. અને રોહિણી નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ સુદર્શના છે. ઉત્તર પશ્ચિમ ખૂણામાં જે રતિકર પર્વત છે. તેની ચારે દિશાઓમાં રત્ના ૧ રત્નોચ્ચયા ૨ સર્વરત્ના ૩ અને રત્નસંચયા ૪ એ પ્રમાણેના નામ વાળી ચાર રાજધા નીયો છે. તેમાં યથાક્રમ-વસુમતીની રાજધાની રત્ના છે. વસુપ્રભાની રાજધાની રત્નોચ્ચયા છે. સુમિત્રાની રાજધાની સર્વરત્ના છે. અને વસુન્ધરા નામની અઝમહિ પીની રાજધાનીનું નામ રત્નસંચયા છે. આ નંદીશ્વર દ્વીપમાં કૈલાસ અને હરિવહન નામના મહર્બિક વિગેરે વિશેષણ વાળા અને પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો નિવાસ કરે છે. આ કારણથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ નંદીશ્વર દ્વીપ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અથવા આ દ્વીપ આ પ્રમાણેના નામથી અનાદિ કાળથી ખ્યાતી પામેલ છે. [૨૫]નંદીશ્વર દ્વીપને નંદીશ્વર નામના સમુદ્ર ચારે બાજુએથી ઘેરેલ છે. આ સમુદ્ર ગોળ છે. અને ગોળ વલયના આકાર જેવા આકારવાળો છે. આ સંબંધમાં સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. સુમનસ અને સૌમનસ ભદ્ર એ નામના બે દેવો રહે છે. આ દેવો મહર્બિક વિગેરે વિશેષણો વાળા અને એક પલ્યોપમની સ્થિતિવાળા છે. [૨૬] નંદીશ્વર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને અરૂણ નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ ગોળ છે. અને તેનો આકાર ગોળ વલયના જેવો છે. અરૂણદ્વીપ સમક્રવાલ સંસ્થાન વાળો છે. તેના સમચક્રવાલ સંસ્થાનનું પરિમાણ સંખ્યાત લાખ યોજનાનું છે. અને તેનો પરિક્ષેપ પણ એટલો જ છે. આ અરૂણ દ્વીપ ચારે બાજુએ પાવર વેદિકાથી અને વનખંડથી વીંટળાયેલ છે. ક્ષોદોદક સમુદ્રના દ્વારોના અંતર પ્રમાણે અહીં પણ અંતર સંખ્યાત લાખ યોજનાનું છે. ત્યાં સ્થળે સ્થળે જેટલી નાની મોટી વાવો વિગેરે જલાશયો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy