SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જીવાજીવાભિગમ-૩ઢી.સ./૨૯૪ હોય છે, એજ પ્રમાણે તે બિલકુલ સાફ અને સમ છે. આ બહુસમરમણીય ભૂમિભાગોના બહુમધ્ય દેશભાગમાં અલગ અલગ સિદ્ધાયતન અથતુ જિનાલય છે. એક એક સિદ્ધાયતન એક એક સો યોજનની લંબાઈવાળા છે. અને પચાસ પચાસ યોજનની પહોળાઈ વાળા છે. અને ૭૨ બોંતર યોજનની ઉંચાઈ વાળા છે. તે દરેકમાં સેંકડો સ્તંભો લાગેલા છે. આ ક્રમથી સુધમસિભાના જિનાલયની જેમ દરેક સિદ્ધાયતન-જિનાલયની ચારે દિશાએ ચાર દરવાજાઓ છે. તેમાંથી એક દરવાજાનું નામ દેવ દ્વાર છે. બીજ દરવાજા નું નામ અસુર દ્વાર છે. ત્રીજા દરવાજાનું નામ નામ નાગદ્વાર છે. અને ચોથા દરવાજાનું નામ સુવર્ણ દ્વાર છે. આ દરેક દરવાજાઓની ઉપર એક એક દેવના હિસાબથી ચાર દેવો કે જેઓ મહર્તિક વિગેરે વિશેષણો વાળા અને એક પલ્યની સ્થિતિવાળા રહે છે. દેવ, અસુર, નાગ અને સુપર્ણ. દેવ દ્વારની ઉપર દેવ, અસુર દ્વારની ઉપર અસુર, નાગ દ્વાર પર નાગ અને સુપર્ણ દ્વાર પર પર સુપર્ણ દેવ રહે છે. એ દરેક દ્વારો સોળ સોળ યોજનની ઉંચાઈ વાળા છે. આઠ યોજનની તેની પહોળાઈ છે. અને તેનો પ્રવેશ પણ આઠ જ યોજનનો છે. આ સઘળા દ્વારા સફેદ છે. કનકમય તેની ઉપરના શિખરો છે. એ દ્વારોની ચારે દિશાઓમાં ચાર મુખ મંડપો છે. આ મુખમંડપો એક એક સો યોજનના લાંબા છે. અને પચાસ પચાસ યોજન પહોળા છે. અને કંઈક વધારે સોળ યોજનની ઉંચાઈ વાળા છે. તેમાં અનેક સેંકડો થાભલાઓ લાગેલા પ્રેક્ષાગૃહ મંડપોની બહુમધ્ય દેશ ભાગમાં અખાડા છે અક્ષ પાટકોની સમક્ષ-અલગ અલગ મણિપીઠિકાઓ એ મણિ પીઠિકાઓ આઠ આઠ યોજનની લંબાઈ વાળી છે. અને યાવતુ પ્રતિરૂપ તેની ઉપર સિંહાસનો છે. દરેક મણિપીઠિકાની ઉપર ખૂપ છે. તેની લંબાઈ અને પહોળાઈ ૧૬000 યોજનની છે. અને તેની ઉંચાઈ ૧૬000 યોજનાથી કંઈક વધારે છે. આ સ્તૂપોની ચારે દિશાઓમાં ચાર મણિપીઠિકાઓ છે. આઠ યોજનની લંબાઈ પહોળાઈ વાળી છે. અને ચાર યોજનની જાડાઈ વાળી છે. એ સવત્મિના મણિમય યાવતુ પ્રતિરૂપ છે. એ એક એક મણિપીઠિકાની ઉપર અરિહંત પ્રતિમા છે. એ રીતે ૪ ચાર જીન અરિહંત પ્રતિમાઓ છે. તેના ઉલ્લેધનું પ્રમાણ પાંચસો ધનુષનું છે. એ સવત્મિના રત્નમય છે. અને પદ્માસનથી સુશોભિત છે. સ્તૂપની તરફ બધાનું મુખ છે. પૂર્વ દિશામાં ઋષભગવંત છે. દક્ષિણ દિશામાં વર્ધમાન ભગવંત, પશ્ચિમ દિશામાં ચન્દ્રાનન ભગવંત અને ઉત્તર દિશામાં વારિપેણ ભગવંત છે. આ ચૈત્ય સ્તૂપોની સામે-દરેક સ્તૂપની સામે એક એક મણિપીઠિકા છે. આ મણિપીઠિકાઓની લંબાઈ પહોળાઈ સોળ યોજનની છે. અને તેની મોટાઈ આઠ યોજનની છે. આ સવત્મિના મણિમય અચ્છ યાવતુ પ્રતિરૂપ છે. આ મણિપીઠિકાઓમાંથી દરેક મણિપીઠિકાની ઉપર એક એક ચૈત્ય વૃક્ષ છે. આ ચૈત્ય વૃક્ષ આઠ આઠ યોજનની ઉંચાઈવાળા છે. વિગેરે મણિપીઠિકાઓની ઉપર અલગ અલગ મહેન્દ્ર ધજાઓ છે. તે ચોસઠ યોજનાની ઉંચાઈવાળી છે. મધ્યભાગમાં જે મણિ પીઠિકાઓ છે, તે સોળ યોજનની લંબાઈ પહોળાઈવાળી છે. અને આઠ યોજનના વિસ્તારવાળી છે. એ સર્વ રીતે રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. આ મણિપીઠિકાઓની ઉપર દેવચ્છેદક છે. અને તે સર્વ રીતે રત્નમય છે. આ દરેક દેવચ્છેદકોમાં ૧૦૮ જીન અથતુ અરિહંત પ્રતિમાઓ તે પોતપોતાના શરીરના પ્રમાણની બરોબર છે. આ બધાનું સઘળું કથન વૈમાનિકની વિજય રાજધા નીમાં રહેલા સિદ્ધાયતનના કથન અનુસાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy