SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨.૨ જીવાજીવાભિગમ- હી.સ./૨૨૨ થાય છે. પંચાણું પંચાણુ લીક્ષા પ્રમાણ સ્થાન પર જવાથી એક લીક્ષા પ્રમાણ ઉધ પરિવૃદ્ધિ થાય છે. એ જ પ્રમાણે પંચાણું પંચાણ ધૂકા પ્રમાણવાળા સ્થાન પર જવાથી એક યૂકા પ્રમાણ ઉદ્વેધ પરિવૃદ્ધિ થાય છે. પંચાણું પંચાણુ યવમધ્ય પ્રમાણવાળા સ્થાન પર જવાથી એક યવમધ્ય પ્રમાણ ઉદ્વેધ પરિવૃદ્ધિ થાય છે. પંચાણું પંચાણુ આગળ પ્રમાણ વાળા સ્થાન પર જવાથી એક આંગળ પ્રમાણ ઉધ પરિવૃદ્ધિ થાય છે. પંચાણુ પંચાણુ વિતતિ પ્રમાણવાળા સ્થાન પર જવાથી એક વિતતિ પ્રમાણ રૂપ ઉદ્વધ પરિવૃદ્ધિ થાય છે. પંચાણું પંચાણુ રત્નિ પ્રમાણ રૂપ સ્થાન પર જવાથી એક રત્નિ પ્રમાણ ઉદ્વેધ પરિવૃદ્ધિ થાય છે. યાવતુ પંચાણુ સહસ્ત્ર યોજન જવાથી એટલા પ્રમાણ યોજનની પરિવૃદ્ધિ થાય છે. હે ભગવનું લવણ સમુદ્ર ઉત્સવની પરિવૃદ્ધિની અપેક્ષાથી કેટલો છે? હે ગૌતમ ! લવણ સમુદ્રની બંને બાજુથી પંચાણું પંચાણુ પ્રદેશ સુધી જવાથી સોળ પ્રદેશ પ્રમાણ ઉત્સવની શિખાની વૃદ્ધિ થાય આજ ક્રમથી લવણસમુદ્રની અંદર પંચાણું પંચાણું હજાર યોજન આવવાથી સોળ હજાર યોજન ઉંચી શિખા થઈ જાય છે. હે ભગવન લવણ સમુદ્રનું જે ગોતીર્થ છે, તે કેટલું મોટું કહેલ છે ? હે ગૌતમ ! લવણ સમુદ્રનું જે ગોતીર્થ છે, તે બન્ને બાજુથી જંબૂદ્વીપની વેદિકાના અંતથી લઈને બંને તરફ પંચાણું પંચાણું હજાર યોજનાનું છે, હે ભગવનું લવણસમુદ્રનો કેટલો પ્રદેશ એવો છે કે જ્યાં ગોતીર્થ આવેલ નથી. હે ગૌતમ! લવણ સમુદ્રનું દસ હજાર યોજન પર્યન્તનું ક્ષેત્ર ગોતીર્થ વિનાનું કહેવામાં આવેલ છે. હે ભગવન્! લવણસમુદ્રની જે ઉદકમાલા છે, તે કેટલી વિશાળ કહેવામાં આવી. છે? હે ગૌતમ! લવણ સમુદ્રમાં જે જલની પંક્તિ રૂપ ઉદકમાલા છે તે દસ હજાર યોજનની કહેવામાં આવેલ છે. હે ભગવન્! લવણ સમુદ્રનું સંસ્થાન કેવું કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! લવણ સમુદ્રનું સંસ્થાન ગોતીર્થનું જેવું સંસ્થાન છે એવું કહેલ છે. નાવનું જેવું સંસ્થાન છે તેવું કહેલ છે, અશ્વ સ્કંધનું એવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન છે. ગોળ સંસ્થાન વાળો લવણ સમુદ્ર કહેલ છે. તથા વલયનું જેવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન કહેવામાં આવેલ છે. હે ભગવન્! લવણસમુદ્ર ચક્રવાલ વિખંભની અપેક્ષાએ કેટલો છે? યાવતુ ઉત્સધ અને ઉધના પરિણામની સમગ્રતાથી કેટલો છે? હે ગૌતમ! કંઈક ઓછો ૧૫૮૧ ૧૪૮ યોજનનો છે. ઉંડાઈની અપેક્ષાથી લવણ સમુદ્ર એક હજાર યોજનનો છે. ઉંચાઇની અપેક્ષાથી લવણ સમુદ્ર સોળ હજાર યોજનનો છે. ઉત્સધ અને ઉદ્ધધના પરિમાણને મેળવવાની અપેક્ષાએ લવણ સમુદ્ર સત્તર હજાર યોજનનો છે. [૨૩] હે ભગવનું આપે કહેલ છે કે-લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભની અપેક્ષાએ બે લાખ યોજનનો છે. પરિધિની અપેક્ષાથી તે કંઈક ઓછો ૧૫૮૧૧૪૮ યોજનાનો છે. ઉંચાઈની અપેક્ષાથી તે ૧૬000 યોજનાનો છે. અને ઉત્સધ અને ઉદ્ધધના પરિમાણને મેળવવાની અપેક્ષાથી તે લવણ સમુદ્ર ૧૭000 યોજનાનો છે. તો પછી આ પરિસ્થિતિમાં લવણસમુદ્ર જંબૂદ્વીપ નામના દ્વીપને શા કારણથી પાણીથી વહેરાવી દેતો નથી ? હે ગૌતમ ! આ જંબૂઢીપ નામના દ્વીપમાં જે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર છે, તેમાં અરહન્ત, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવ, જંઘાચારીમુનિજન, વિદ્યાધર, શ્રમણ, શ્રમણિયો શ્રાવક શ્રાવિકાઓ ભદ્રપ્રકતિવાળા મનુષ્યો, પ્રકૃતિથી વિનીતપુરૂષ, પ્રકૃતિથી ઉપશાન્તપુરૂષ, માર્દવ સંપન્ન પુરૂષ, આલીનપુરૂષ, વૈરાગ્યવાનું પુરૂષ અથવા સંસારમાં અલિપ્ત પુરૂષ ઉત્પન્ન થાય છે. તો તેઓના સંબંધને લઈને તેઓના પ્રભાવને લઈને લવણ સમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy