SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ સત્ર-પ૧ ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. જેના માટે નગ્નભાવ ધારણ કરાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. આ સાધુઓમાંથી કોઈને કેવળજ્ઞાન, કેવળ દર્શનની ઉત્પત્તિ થતી નથી તે ઘણાં વર્ષો સુધી છબસ્થ પર્યાયનું પાલન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ઘણાં ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને જેના માટે નગ્નભાવ યાવતું પ્રયોજનની સિદ્ધિ કરે છે. છેલ્લા ઉદ્ભુવાસ નિઃશ્વાસોમાં અંતર હિત, અનુપમ, વ્યાઘાત રહિત, નિરાવરણ, સકલ, સંપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થાય છે, ત્યાર પછી સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે.. તેમાં કેટલાંકને તે ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તેવા એક ભવાવતારી સંયમી પૂર્વકમ બાકી રહેવાના કારણે કાલમાસે કાળ કરીને ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ મહા વિમાનમાં દેવ પાયે ઉત્પન્ન થાય છે. જે ગામ, આકર યાવતુ સન્નિવેશમાં મનુષ્યો રહે છે. જેવા કે-સમસ્ત વિષયોથી વિરક્ત, સર્વરાગથી રહિત, સર્વસંગથી રહિત, સર્વને હથી રહિત, અક્રોધી, નિષ્ક્રોધી, ક્ષીણક્રોધી, તેવીજ રીતે અમાની માયા અને લોભમાં પણ સમજવું. આવા જીવો અનુક્રમથી આઠ કર્મોની પ્રકૃતિઓનો સર્વથા નાશ કરી લોકાગ્રે સ્થિત થાય છે. [૫૨] હે ભગવન્! ભાવિતાત્મા અણગાર કેવલી મુદ્દાત દ્વારા આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢી શું સમસ્ત લોકને સ્પર્શ કરી રહે છે ? હા રહે છે. હે ભગ વન્ત ! તેમના નિર્જરાના પગલો સમસ્ત લોકને સ્પર્શે છે ? ધ ! સ્પર્શે છે. હે પૂજ્ય ! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાના પુદ્ગલોને કંઈ વર્ણથી, ગંધથી ગંધને રસથી રસને, સ્પર્શથી સ્પર્શને જાણે છે?કે જુએ છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! આ જેબૂદ્વીપ સમસ્ત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે છે. સર્વથી નાનો છે. ગોળાકારે છે. પુડલાના આકાર જેવો રથના પૈડાં જેવો કમળની કર્ણિકા જેવો મૂર્ણ ચંદ્રમાં જેવો ગોળ છે. તે એક લાખ યોજનની લંબાઈ, પહોળાઈવાળો છે. ૩ લાખ, ૧૬ હજાર, ૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ અને ૧૩ આંગુલથી થોડીક વધારે તેટલી તેની પરિધિ છે. મહા ઋદ્વિધારી, મહા તેજસ્વી, મા બલિષ્ઠ, મહાયશસ્વી, મહાસૌખવાળા, અત્યંત પ્રભાવશાળી એવા કોઈ દેવ એક ગંધની પેટીને ગ્રહણ કરે. ગ્રહણ કરીને ત્યાં જ ઉઘાડે, ઉઘાડીને સમસ્ત જેબૂદ્વીપની ત્રણ ચપટી વગાડવા જેટલા કાળમાં ૨૧ વાર પ્રદક્ષિણા કરે અને પાછા જલદી આવી જાય. ભગવાન પૂછે છે, કે હે ગૌતમસમસ્ત જંબૂદ્વીપ શું તે સુગંધિતપુદ્ગલોથી સૃષ્ટ થાય છે? હે પૂજ્ય ! હાં થાય છે. હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય તે સુગંધિત પુદ્ગલોનો વર્ણથી વર્ણ યાવતું જાણી શકે છે? જોઈ શકે છે? ભગવન્ત! એ અર્થ સમર્થ નથી. તેવી જ રીતે હે ગૌતમ! કહ્યું છે કે- છા સ્થ નિર્જરાના પુદ્ગલોનો વર્ણથી વણે જાણી શકતા નથી, જોઈ શકતા નથી. તે પુગલો સૂક્ષ્મ છે તેથી હે, આયુષ્યનું શ્રમણ ! સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત તે પુદ્ગલો જાણી શકાતા નથી. હે ભગવન્ત! કેવલી કયા કારણથી સમુદ્યાત કરે છે? શા માટે સમુદ્ ઘાતને પ્રાપ્ત ' થાય છે? હે ગૌતમ! કેવલીઓનાં ચાર કર્મ બાકી રહે છે. તે આ પ્રમાણે વેદનીય, આયુ, નામ અને ગોત્ર. વેદનીય કર્મની સ્થિતિ સૌથી વધારે હોય અને આયુ કર્મ સર્વથી થોડું હોય તો આ વિષમતાને સમાન કરવા માટે પ્રદેશબંધ અનુભાગ બંધથી સમાન કરે છે. તે માટે સમુદ્દાત કરે છે. હે પૂજ્ય શું બધા કેવલી સમુદ્રઘાત કરે છે? આ અર્થ સમર્થનથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy