SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ ઉવવાઈયું - (૪૮) બાજુબંધ, અંગદ, કેયૂર, કુંડલ, મુકુટ, ચડામણિ પહેરવું કહ્યું નહિ. તે પરિવ્રાજકોને ગુંથી ને બનાવેલ, વેષ્ટિત, સંચા પર પૂરીને બનાવેલી, તેમજ આ ચાર પ્રકારની માળા ધારણ કરવી કહ્યું નહિ. ફક્ત પુષ્પનું એક કર્ણફૂલ કલ્પનીય છે. તે પરિવ્રાજકોને અગર, ચંદન, કંકુથી ગાત્ર પર લેપ કરવો કલ્પ નહિ. એક માત્ર ગંગાની માટીનો લેપ કરવો કહે છે. તે પરિવ્રાજકોને મગધ દેશમાં પ્રચલિત પ્રસ્થ પ્રમાણ માત્ર જલ ગ્રહણ કરવું કહ્યું છે. તે જળ વહેતું જોઈએ. તે જલ સ્વચ્છ હોય, ધૂળ-કાદવથી રહિત હોય, અતિ નિર્મળ હોય તો તે ગ્રાહ્ય છે. તે પણ દાતા દ્વારા અપાએલું ગ્રહણ કરે તે જલ પણ કેવળ પીવાના ઉપયોગમાં જ લે પણ તે પવ્રિાજકોને મગધદેશીય આઢક પ્રમાણ જલ જ હાથ, પગ, ભોજનપાત્ર, ચમચા ધોવા માટે ગ્રાહ્ય છે. તે પણ વહેતું હોવું જોઇએ. વહેતું ન હોય તે ગ્રાહ્ય નથી થાવત્ અદત્ત ગ્રાહ્ય નથી. આ જલ પીવા તથા સ્નાન માટે ઉપયોગમાં ન લેવાય. તે પરિવ્રાજકો આ પ્રકારના આચારનું પાલન કરતાં ઘણાં વર્ષોએ જ પર્યાયમાં વ્યતીત કરી કાલમાસે કાળ કરીને વધારેમાં વધારે બ્રહ્મલોક નામના દેવલોકમાં દેવ પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ગતિ તેમજ સ્થિતિ ૧૦ સાગરોપમની છે. તેઓ આરાધક નથી. [૪૯] તે કાળ અને તે સમયમાં અંબા નામના પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો ગ્રીષ્મ કાળમાં જેઠ માસમાં ગંગા નદીના બંને તટ ઉપર થઇને કાંડિલ્યપુર નગરથી પુરિમતાલ નગરી તરફ જવા માટે નીકળ્યા. ત્યાર પછી તે પરિવ્રાજકો ચાલતાં ચાલતાં એક અટવી માં આવ્યા જે ગામથી બહુ દૂર હતી. ત્યાં મનુષ્યોનું આવાગમન ન હતું, લાંબા માર્ગ વાળી હતી અથવા તેના રસ્તા બહુ વિકટ હતા. તેઓ થોડું ચાલ્યા ત્યાં તેમની પાસે પહેલાનું જે પાણી હતું તે પીતાં પીતાં પુરૂં થઈ ગયું. પછી તે પરિવ્રાજકો કે જેમની પાસે પાણી સમાપ્ત થઈ ગયું હતું તેઓ તરસથી અત્યંત વ્યાકુલ થઈ ગયા. પાણીને આપનારા દાતા જોવામાં નહિ આવવાથી પરસ્પર એક બીજાને બોલાવવા લાગ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! એ વાત બરાબર છે કે આપણે આ અગમ્ય યાવતુ વિકટ અટવીનો થોડો માર્ગ કાપ્યો ત્યાં આપણી પાસે જે પાણી હતું તે સમાપ્ત થઈ ગયું. હવે હે દેવાનુપ્રિયો ! આપણે આ અગમ્ય કાવત્ વિકટ અટવીમાં પાણીના દાતાની સર્વ પ્રકારે સર્વ બાજુ ગવેષણા કરીએ. શોધ કરતાં કોઈ દાતા ન મળ્યો ત્યારે બીજીવાર પરસ્પર એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આપણને અદત્ત જલ ગ્રહણ કરવું કહ્યું નહીં, અનુમોદના આપવી કહ્યું નહિ કારણકે એમ કરવાથી આપણી તપશ્ચયનો લોપ થઈ જાય. માટે હે દેવાનુપ્રિયો! આપણે ત્રિદેડ, કમંડલુ, રૂદ્રાક્ષની માળા, કરોટિકા- બેસવાના પાટલા, ત્રિપાઇ, અંકુશિકા, કેશરિકા- તાંબાની મુદ્રિકા, હાથમાં ધારણ કરવાની રૂદ્રાક્ષમાળા, છત્ર, જોડા, કાષ્ઠની પાદુકા તેમજ ગેરૂ રંગથી રંગેલા વસ્ત્રો આ સર્વને એક સ્થાનમાં રાખીને મહાનદી ગંગામાં અવગાહન કરીને તેની રેતી ઉપર સંથારા બિછાવીએ તેના ઉપર ભક્તપાનના પ્રત્યાખ્યાનના કરીને પાદપોપગમન સંથારો કરીને, મરણની ઇચ્છાથી રહિત થઈને, સંલેખના પૂર્વક મૃત્યુને સ્વીકારીએ. આ પ્રમાણે કહીને એક બીજાએ તે વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યા પછી ત્રિદંડ યાવતું. સર્વ વસ્તુઓ એક સ્થાનમાં ત્યાગી દીધી. ત્યાગીને મહાનદી ગંગામાં પ્રવેશ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy