SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ વિવાગસૂર્ય - ૧/૪/૨૪ પોતાની બહેન સુદર્શના સાથે મનુષ્યસંબન્ધી પ્રધાન કામભોગનું સેવન કરતો જીવન વ્યતીત કરશે. ત્યાર બાદ કોઇ વખતે તે શકટ કુમાર પોતાની મેળેજ કૂટગ્રાહિત્ત્વને પ્રાપ્ત કરીને સમય વ્યતીત ક૨શે. ત્યારે કૂટગ્રહ બનેલો તે શકટ મહાઅધર્મો યાવતુ દુષ્ટત્યાનન્દ થશે અને આવા કર્મો કરનાર, તેવા કાર્યોને જ મુખ્યરૂપે માનનાર અને તેનાજ જ્ઞાનવાળો તેમજ આજ પાપ કર્મોને પોતાનું સર્વોત્તમ આચરણ માનતો, અધર્મ પ્રધાન કૃત્યોથી તે ઘણાં પાપ કર્મોને ઉપા ર્જિત કરીને મૃત્યુ સમયે કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. તેનું સંસારભ્રમણ પૂર્વવત્ જાણી લેવું ત્યાંથી નીકળીને તે સીધો વારાણસી નગરીમાં મત્સ્યરૂપે જન્મ લેશે.ત્યાં માછીમાર દ્વારા વધને પ્રાપ્ત થયેલો તે ફરી તે જ વારણસી નગરીમાં એક શ્રેષ્ઠિકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે સમ્યકત્વને તથા સાધુધર્મને પ્રાપ્ત કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવતા બનશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સાધુવૃત્તિનું સમ્યરૂપે પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત ક૨શે, કેવળજ્ઞાનથી સમસ્ત પદાર્થોને જાણશે સમ્પૂર્ણ કર્મોથી રહિત થઇ જશે અને સર્વ દુઃખોનો અન્ન ક૨શે. અધ્યયનઃ ૪ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ ૫ - બૃહસ્પત્તિદત્ત [૨૭] હૈ જંબૂ ! તે કાળ અને તે સમયમાં કૌશાંબી નામની ઋદ્ધ-ભવનાદિકથી યુક્ત, સ્તિમિત-સ્વ ચક્ર, પરચક્રના ભયથી રહિત અને સમૃદ્ધિથી પરિપૂર્ણ નગરી હતી. તેની બહાર ચંદ્રાવતરણનું ઉઘાન હતું. તેમાં શ્વેતભદ્રયક્ષનું યક્ષાયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેની મૃગાવતીરાણી હતી. ઉદયન નામનો એક કુમાર હતો, તે સર્વેન્દ્રિય સમ્પન્ન તેમજ યુવરાજ હતો. તે ઉદયન કુમારની પદ્માવતી નામની એક રાણી હતી. તે શતાનીકનો સોમદત્ત નામનો એક પુરો હિત હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આદિ નો સંપૂર્ણ જ્ઞાતા હતો. સોમદત્ત પુરોહિતની વસુદત્તા નામની પત્ની હતી. તથા સોમ દત્તનો પુત્ર અને વસુદત્તા નો આત્મજ બૃહસ્પતિદત્ત નામનો એક સર્વાંગસંપન્ન અને રૂપવાન બાળક હતો. તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી નગરીની બહાર સ્થિત ચન્દ્રાવતરણ ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે ભગવન્ ગૌતમ સ્વામી પૂર્વવત્ કૌશાંબી નગરીમાં ભિક્ષા માટે ગયા અને રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને તથા તે પુરુષની વચ્ચે એક વધ્ય પુરુષને પણ જોયો, તેને જોઇને મનમાં ચિન્તન કરવા લાગ્યા અને પાછા આવીને ભગવાનને તેના પૂર્વભવ વિષે પૂછવા લાગ્યા, હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપમાં સ્થિત ભારતવર્ષ નામક ક્ષેત્રમાં સર્વતોભદ્ર નામનું ૠદ્ધ, સ્તિમિત અને સમૃદ્ધ નગર હતું. જિતુશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો એક પુરોહિત હતો, જે ચારેય વેદોનો સંપૂર્ણ જ્ઞાતા હતો. મહેશ્વરદત્તપુરોહિત જિતશત્રુ રાજાના રાજ્ય અને બળની વૃદ્ધિ માટે પ્રતિદિન એક બ્રાહ્મણ બાળક, એક ક્ષત્રિય બાળક, એક વૈશ્ય બાળક અને એક શુદ્ર બાળકને પકડાવી લેતો હતો અને પકડાવીને જીવતાં જ તેમના હૃદયોના માંસપિંડોને કાઢી લેતો હતો, કાઢીને જિતશત્રુ રાજાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy