SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અંતગડ દસાઓ - ૮/૧૪૯ એક પરિપાટી પૂર્ણ થયા પછી તે કાલી આર્યાએ રત્નાવલી તપની બીજી પરિપાટી આ પ્રમાણે શરૂ કરી. પ્રથમ એક ઉપવાસ કર્યો. વિગય છોડીને પારણું કર્યું. પછી છઠ્ઠ કર્યો ઈત્યાદિ પ્રથમ પરિપાટીની જેમ સમજવું, બીજી પરિપાટીની આરાધના કર્યા પછી આર્યા કાલીદેવીએ રત્નાવલી તપની ત્રીજી પરિપાટીની આરાધના શરૂ કરી. પહેલી પરિપાટીની જેમ એક ઉપવાસ કર્યો. તેનું પારણું કર્યું. પારણામાં અલેપકૃત આહાર કરે છે. રત્નાવલી તપની ત્રીજી પરિપાટીની આરાધના પછી આર્યા કાલીદેવીએ ચોથી પરિપાટીની આરાધના શરૂ કરી. આ પરિપાટીની તપસ્યાનું વર્ણન પ્રથમ પરિપાટી પ્રમાણે જાણવું. તેમાં અંતર એટલું જ કે પારણું આયંબિલ તપથી કરાય છે. [૫૦]મહાસતી કાલીદેવીએ જ્યારે પાંચ વર્ષ, બે મસા, અઠ્ઠાવીસ દિવસમાં, રત્નાવલી તપની આરાધના પૂર્ણ કરી, ત્યારે તે મહાસતી ચંદનાદેવી પાસે આવ્યા. વંદના-નમસ્કાર કર્યા. ત્યાર પછી અનેક ચતુર્થભક્ત વ્રત, છઠ્ઠ, અઠ્ઠમ, ચૌલુ, પાંચ આદિ ઉપવાસની તપસ્યાથી પોતાના આત્માને ભાવિત કરતી થકી વિચરવા લાગી. ત્યાર પછી તે આર્યા કાલીદેવીની ઉગ્ર યાવત્ કઠોર તપશ્ચર્યાની આરાધનાના કારણે યાવત્ નસો દેખાવા લાગી. હાડપિંજર જેવા થઈ ગયા. જેવી રીતે કોલસાથી ભરેલી ગાડી ચાલે ત્યારે અવાજ થાય છે તેવી રીતે કાલી સાધ્વીના શરીરનાં હાડકાનો પણ તે જ્યારે બેસતી, ઊઠતી, ચાલતી ત્યારે કડ કડ અવાજ થતો હતો. છતાં પણ રાખથી ઢંકાયેલ હવનની અગ્નિ સમાન તપશ્ચર્યાના તેજથી તે અત્યંત દેદીપ્યમાન તેજોમય દેખાતા હતા. કોઈ એકવાર અર્ધરાત્રિના સમયે કાલીનામક સાધ્વીને વિચાર ઉત્પન્ન થયો. તે ભગવતી સૂત્રમાં વર્ણિત સ્કન્દુક મુનિની જેમ ચિંતન કરવા લાગી કે મારું શરીર તપસ્યાના કારણે અત્યંત દુર્બલ થઈ ગયું છે છતાં પણ હજું ઉત્થાન કર્મ-બલ વીર્ય પુરુષકાર પરાક્રમ શ્રદ્ધા ધૃતિ અને સંવેગ વિદ્યમાન છે. તેથી મારે માટે એ જ યોગ્ય છે કે હું કાલે સૂર્યોદય થતાં જ આર્યા ચંદના મહાસતીજીની અનુમતિ મેળવીને સંલેખના તપની આરાધના કરી, ભક્તપાન ત્યાગ કરું અને જીવન મરણની આકાંક્ષા રાખ્યા વિના જીવન વ્યતીત કરું. જ ૨૩૬ હે સાધ્વીજી, જો આપ અનુમતિ આપો તો સંલેખના અન્ન જલનો ત્યાગ કરી મૃત્યુની આકાંક્ષા કર્યા વિના જીવન વ્યતીત કરું, આવી મારી ઈચ્છા છે. હે દેવાનુપ્રિયે ! જેમ તમારા આત્માને સુખ ઊપજે તેમ કરો. તેમાં વિલંબ ન કરો. કાલી સાધ્વીજીએ સંલેખના અંગીકાર કરીને અન્ન-જલનો ત્યાગ કર્યો અને મૃત્યુની આકાંક્ષા કર્યા વિના રહેવા લાગી. કાલી આર્યાજીએ, આર્યા ચંદના સાધ્વીજી પાસે સામાયિક આદિ અગિ યાર અંગોનું અધ્યયન કર્યું. પૂરા આઠ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. એક માસનો સંથારો કરી પોતાના આત્માને આરાધિત કરીને અનશનથી સાઠ ભક્ત નો ત્યાગ કરીને જે ઉદ્દેશ્યથી નગ્નભાવ અંગીકાર કરેલું હતું, યાવત્ તેની સિદ્ધિ કરીને અંતિમ શ્વાસોચ્છ વાસ સાથે સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. વર્ગઃ૮-અધ્યયનઃ ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૮-અધ્યયનઃ૨ સુકાલી [૫૧] તે કાળે અને તે સમયે નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. કૃણિક રાજા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy