SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ અધ્યયન-૧ પાસે ધર્મને સાંભળી અને વિચારી પ્રસન્ન થઈ અને યાવતુ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરે છે. જે દિશાથી આવી હતી તે જ દિશા તરફ પાછી જાય છે. [૧૨]“ભગવન્!' એમ કહી ભગવાન ગૌતમ, શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન ને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે પૂછ્યું. ભગવન! આનન્દ શ્રાવક આપની પાસે મુંડ થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા સમર્થ છે? ભગવાને કહ્યું હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી આનંદ શ્રાવક ઘણા વરસ સુધી શ્રાવક અવસ્થાનું પાલન કરશે. પાલન કરીને સૌધર્મ દેવલોકને વિશે અરુણાભ નામક વિમાનમાં ચાર પલ્યો પમ સ્થિતિ વાળા દેવપણે ઉત્પન્ન થશે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે બહારના દેશો વિહાર કરે છે. [૧૩]ત્યાર પછી આનન્દ શ્રાવક થઈ ગયો. જીવ-અજીવનો જ્ઞાતા થયો. યાવતુ શ્રમણ નિર્ઝન્થોને અશનાદિ વડે સત્કાર કરતો વિચારવા લાગ્યો. તે શિવાનંદા ભાય પણ શ્રાવિકા થઈ શ્રમણ નિર્ચન્થોનો સત્કાર કરતી વિહરે છે. [૧૪]ત્યાર પછી આનંદ શ્રાવકના અનેક પ્રકારનાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પોષધોપવાસ વડે આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વ્યતીત થયા. જ્યારે તે પંદરમાં વર્ષના મધ્યભાગમાં વર્તતા હતા ત્યારે કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરિકા કરતા તેને આ આવા પ્રકારનો અધ્યાવસાય, વિચાર, અભિલાષા અને મનોગત સંકલ્પ થયો-હું ખરેખર વાણિજ્યગ્રાન નગરમાં ઘણાં રાજા, ઘનાઢ્ય વગેરેને બહુ માન્ય છું. યાવતું મારા પોતાના કુટુંબનો આધારભૂત છું. તેથી એ વિક્ષેપ વડે હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્વીકારેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરી પાલન કરવા સમર્થ નથી. તે માટે મારે કાલે સૂર્યોદય થાય ત્યારે પૂરણશેઠની જેમ વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ આહાર તૈયાર કરાવી, યાવતુ કુટુંબને આમંત્રી યાવતુ જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં પ્રસ્થાપિત કરીને, તે મિત્ર વગેરેની યાવતું જ્યેષ્ઠ પુત્રની રજા માગીને કોલ્લાક સંનિવેશમાં જ્ઞાનકુલને વિશે પોષઘશાલાનું પ્રતિલેખન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી ને વિચારવું એ જ શ્રેય છે. આનંદ વિચાર કરીને વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે. મિત્ર વગેરેને આમંત્રિત કરે છે. ભોજન કર્યા પછી આવેલા તે મિત્ર જ્ઞાતિ વગેરેનો યાવતુ વિપુલ પુષ્પ વગેરે સત્કાર અને સન્માન કરે છે, યાવતુ તે મિત્ર વગેરેની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે. હે પુત્ર! એ પ્રમાણે ખરેખર હું વાણિજ્ય ગ્રામમાં ઘણા રાજા, ધનિક વગેરેને બહું માન્ય છું, ઈત્યાદિ યાવતુ આ વિક્ષેપના કારણે હું ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિચરવાને સમર્થ નથી. તો અત્યારે મારા કુટુંબમાં તને પ્રસ્થાપિત કરી યાવતુ ધર્મ પ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિહરવું મ્હારા માટે શ્રેય છે. - ત્યાર બાદ જ્યેષ્ઠ પુત્ર આનંદ શ્રાવકના આ કથનને “તહત્તિ' કહીને વિનય વડે કબૂલ કરે છે. ત્યાર પછી આનંદ શ્રાવક તે મિત્રો વગેરેની સમક્ષ જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપન કર્યો. સ્થાપના કરીને તેણે એ પ્રમાણે કહ્યુંઃ હે દેવાનુપ્રિય! તમે કોઈ આજથી આરંભીને બહુ કાર્યોમાં મને પૂછશો નહિ અને મારા માટે અશનાહિ પાન ખાદિમ સ્વાદિમ તૈયાર કરશો નહિ. મારી પાસે લાવશો નહિ. ત્યાર હબાદ આનંદ શ્રાવક જ્યેષ્ઠ પુત્ર અને મિત્ર જ્ઞાતિ વગેરેની રજા લે છે. રજા લઈને પોતાના ઘરથી નીકળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy