SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૫/૧૫૭ કે- હે દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહ વિપુલ માલ ભરીને અહિછત્રાનગરમાં વાણિજ્યના નિમિત્તે જવાની ઈચ્છા કરે છે. તેથી હે દેવાનુપ્રિયો! જે કોઈ ચરક, ચીરિક, ચર્મખડિક, ભિક્ષાંડ, પાંડુરક, ગોતમ, ગોવતી, ગૃહધમ, ગૃહસ્થ ધર્મનું ચિંતન કરનારા, અવિરુદ્ધ, વિરુદ્ધ વૃદ્ધતાપસ, શ્રાવક-બ્રાહ્મણ અથવા વૃદ્ધ શ્રાવક અથ, બ્રાહ્મણ, રક્તપટ નિગ્રંથ આદિ વ્રતવાન યા ગૃહસ્થ જે કોઈ પણ ધન્ય સાર્થવાહની સાથે અહિછત્રા નગરીમાં જવા ઇચ્છે, તેને ધન્ય સાર્થવાહ પોતાની સાથે લઇ જશે. જેની પાસે છત્ર ન હોય તેને છત્ર આપશે, જેની પાસે જૂતા ન હોય તેને જૂતા આપશે, જેની પાસે કમંડલુ ન હોય તેને કમંડલુ અપાવશે, જેની પાસે પધ્ધોદન ન હોય તેને પોદન અપાવશે, જેની પાસે પ્રક્ષેપ ન હોય તેને પ્રક્ષેપ આપશે, જે પડી જશે, જે ભગ્ન થઈ જશે, જે ગુણ થઈ જશે, તેને સહાયતા આપશે અને સુખપૂર્વક અહિછત્રા નગરી સુધી પહોંચાડશે. બે વાર અને ત્રણવાર એવી ઘોષણા કરી દો. કૌટુમ્બિક પુરુષોએ યાવતું તે પ્રમાણેની ઘોષણા કરી. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોની ઘોષણા સાંભળીને ચંપા નગરીના ઘણા ચરક વાવતુ ગૃહસ્થ ધન્ય સાર્થવાહની પાસે પહોંચ્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ચરક આદિ ગૃહસ્થોને જેની પાસે જૂતા ન હતાં તેને જૂતા અપાવ્યાં, યાવતુ પધ્ધોદન અપાવ્યા પછી તેને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ચંપા નગરીની બહાર પ્રધાન ઉધાનમાં મારી પ્રતીક્ષા કરો. ત્યાર પછી ધન્ય સાર્થવાહે શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ બનાવડાવ્યા. બનાવડાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કરીને તેઓને ભોજન કરાવ્યું. જમાડીને તેઓની અનુમતિ લીધી. અનુમતિ લઈને તેને ગાડી ગાડા જોડાવ્યા. જોડાવીને ચંપા નગરીની બહાર નીકળ્યો. ઘણે દૂર દૂર પડાવ ન કરતાં સુખજનક વસતિ અને પ્રાતરાશ કરતાં અંગદેશની વચ્ચો વચ્ચે થઈને દેશની સીમા પર જઈ પહોંચ્યા. ત્યાં જઈને ગાડા-ગાડી ખોલ્યા. પડાવ નાંખ્યો. અને પછી કૌટુમ્બિક પુરુષોને બોલાવીને આ પ્રમાણેકહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો મારી સાથેના પડાવમાં ઊંચા ઊંચા શબ્દથી વારંવાર ઉદ્ઘોષણા કરતા એમ કહો કે હે દેવાનુપ્રિયો ! આગળ આવનાર અટવીમાં મનુષ્યોનું આવાગમન નથી અને તે ઘણી લાંબી છે.તે અટવીના મધ્યભાગમાં નંદીફળ નામક વૃક્ષો છે. તે ઘેરા લીલા વર્ણવાળા યાવતુ પાંદડાવાળા, પુષ્પોવાળા ફળો વાળા, લીલા શોભાય માન અને સૌન્દર્યથી અત્યંત શોભિત છે. પરંતુ હે દેવાનુપ્રિયો ! કોઈ જો તે નંદીસલ વૃક્ષો ના ફળ, મૂલિ કંદ, છાલ, પુષ્પ, બીજ યા રહિતનું ભક્ષણ કરશે અથવા તેની છાયામાં પણ બેસસે તેને આપાતતઃ સારું લાગશે, પરંતુ પછી તેનું પરિણમન થવા પર અકાળમાં તે મૃત્યુને પ્રાપ્ત થશે. તેથી હે દેવાનુપ્રિયો ! કોઈ તે નંદીલોના મૂલ આદિનું સેવન ન કરતાં યાવતુ તેમની છાયામાં વિશ્રામ પણ ન કરતા. જેથી અકાલમાંજ જીવનનો નાશ ન થાય. બીજા વૃક્ષોની છાયામાં બેસજો અને બીજા વૃક્ષોના મૂલ, ફળ આદિનું ભક્ષણ કરજો. ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડા-ગાડી જોડાવ્યા. જોડાવીને જ્યાં નંદીફળ વૃક્ષો હતાં ત્યાં આવ્યા. તે નંદીફળ વૃક્ષોથી ન અતિદૂર કે ન અતિ નજીક પડાવ નાંખ્યો પછી બીજીવાર અને ત્રીજીવાર પૂર્વવતુ ઉઘોષણા કરી. તેમાંથી કેટલાક પુરુષોએ ધન્ય સાથે વાહની વાત પર શ્રદ્ધા કરી, યાવત રૂચિ કરી. તેઓ તે વાતની શ્રદ્ધા કરતાં તે નંદીફલોનો દૂરથી જ ત્યાગ કરીને, બીજા વૃક્ષોના મૂલ આદિનું સેવન કરતા અને તેની છાયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy