SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ભગવાઈ-૨-૧૯૭૬ તથા કોઈ જીવો પાપ કર્મ બાંધ્યું છે, નથી બાંધતો અને બાંધશે નહીં. લેશ્યાસંબંધ કોઈ લેશ્યાવાળો જીવ પાપ કર્મ બાંધતો હતો, બાંધે છે અને બાંધશે-ઈત્યાદિ ચારે ભાંગા જાણવા. સાકાર ઉપયોગવાળા અને અનકાર ઉપયોગવાળા-એ બધાં પદોમાં પહેલો અને બીજો-એ બે ભાંગા કહેવા.અસુરકુમારને પણ એ પ્રમાણે વક્તવ્યતા કહેવી. પરન્તુ વિશેષ એ કે તેઓને તેજલેશ્યા, સ્ત્રીવેદ અને પુરુષવેદ અધિક કહેવો અને નપુંસકવેદ ન કહેવો. બધે પહેલો અને બીજો ભાંગો કહેવો. એ રીતે યાવતુ-સ્તનિતકુમાર સુધી જાણવું.એમ પૃથિવીકાયિક,અકાયિક અને યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકને પણ સર્વત્ર પહેલો અને બીજો એ બે ભાંગા જાણવા. પરન્ત વિશેષ એ કે, જે જીવને જે વેશ્યા, દ્રષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ અને યોગ હોય તે તેને કહેવો, અને બાકી બધું તેજ પ્રમાણે જાણવું. મનુષ્યને જીવપદ સંબંધે કહી છે તે બધી વક્તવ્યતા કહેવી. અસુરકુમારની પેઠે વાનર્થે તરને જાણવું. તથા જ્યોતિર્ષિક અને વૈમાનિક સંબંધે પણ એજ રીતે સમજવું. પરન્તુ વિશેષ એ કે અહીં વેશ્યાઓ કહેવી અને બાકી બધું તે જ પ્રમાણે કહેવું. ૯િ૭૯]હે ભગવનું શું જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હતું બાંધે છે અને બાંધશે ? હે ગૌતમ! જેમ પાપ કર્મ સંબંધે વક્તવ્યતા કહી તે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મ સંબંધે પણ કહેવી. પરન્તુ વિશેષ એ કે, જીવપદ અને મનુષ્યપદમાં સકષાયી યાવતુ-લોભકષાયીને આશ્રયી પહેલો અને બીજો ભાંગો કહેવો. બાકી બધું તેમજ કહેવું. એ પ્રમાણે યાવતુવૈમાનિક સુધી જાણવું. જ્ઞાનાવરણીય કર્મની પેઠે દર્શનાવરણીય કર્મનો પણ સંપૂર્ણ દડક કહેવો. જીવની વેદનીય કર્મ સંબંધ પૃચ્છા. હે ગૌતમ! કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે, કોઈ જીવે બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહીં. કોઈ જીવે બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે નહીં. વેશ્યાવાળા જીવને પણ એજ રીતે ત્રીજા ભંગ સિવાય બાકીના ત્રણે ભાંગા જાણવા. કૃષ્ણલેશ્યાવાળા યાવતુ-પપ્રલેશ્યાવાળા જીવોને પહેલો અને બીજો ભાંગો અને શુલ્કલેશ્યાવાળા જીવોને ત્રીજા ભાંગા સિવાયના બાકીના (ત્રણે) ભાંગા જાણવા. લેક્ષારહિત જીવોને છેલ્લો ભાંગો જાણવો. કૃષ્ણપાક્ષિક જીવોને પહેલો અને બીજો અને શુકપક્ષવાળા જીવોને ત્રીજા ભાંગા સિવાયના બાકીના ત્રણે ભાંગા કહેવા. એ પ્રમાણે સમ્યગૃષ્ટિ જીવને વિષે પણ જાણવું. મિથ્યાદ્રષ્ટિ અને સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ સંબંધે બે ભાંગા જાણવા. જ્ઞાનીને ત્રીજા ભાંગા સિવાય બાકીના ત્રણે. ભાંગા કહેવા. આભિનિબોધિક- જ્ઞાની અને યાવતું મન:પર્યવજ્ઞાનીને પહેલો અને બીજો ભાંગો કહેવો, અને કેવલજ્ઞાનીને ત્રીજા ભાંગા સિવાય બાકીના ત્રણે ભાંગા કહેવા. એ પ્રમાણે નોસંજ્ઞામાં ઉપયુક્ત, વેદરહિત, અકષાયી, સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપયોગવાળાએ બધા જીવોને ત્રીજા ભાંગા સિવાય બાકીના (ત્રણ) ભાંગા કહેવા. અયોગી જીવને છેલ્લો ભાંગો અને બાકી બધે સ્થળે પહેલો અને બીજો એમ બે ભાંગા જાણવા. શું નૈરયિક જીવે વેદનીય કર્મ બાંધ્યું હતું, ઈત્યાદિ પૃચ્છા. પૂર્વ પ્રમાણે જાણવું. એ રીતે નૈરયિકોથી માંડી યાવતુ-વૈમાનિક સુધી જેને જે હોય તેને તે કહેવું. તથા બધે પહેલો અને બીજો ભાંગો સમજવો. પરન્તુ વિશેષ એ કે, જીવની પેઠે મનુષ્યો સંબંધે કહેવું. જેમ પાપકર્મ સંબંધે કહ્યું તેમ મોહનીય કર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી સમજવું. [૯૮૦] હે ભગવન્! શું જીવે આયુષ કર્મ બાંધ્યું હતું, બાંધે છે-ઈત્યાદિ પૃચ્છા. હે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy