SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉદેસો-૮ ૪૯૧ પ્રકારે તે જીવોનો શીધ્ર ગતિવિષય છે. તે જીવો પોતાના પરિણામરૂપ અને મન વગરના વ્યાપારરૂપ કર્મબંધના હેતુ-દ્વારા પરભવનું આયુષ બાંધે છે. તે જીવોના આયુષનો ક્ષય થવાથી, તે જીવોના ભવનો ક્ષય થવાથી અને તે જીવોની સ્થિતિનો નાશ થવાથી તે જીવોની ગતિ પ્રવર્તે છે. હે ભગવન! તે જીવો શું પોતાની દ્ધિથી-શક્તિથી ઉપજે છે કે પારકી ઋદ્ધિથી ઉપજે છે? હે ગૌતમ ! તે જીવો પોતાની ઋદ્ધિથી ઉપજે છે, પણ પરની ઋદ્ધિથી ઉપજતા નથી. હે ગૌતમ! તે જીવો પોતાના કર્મથી ઉપજે છે, પણ પારકા કર્મથી નથી ઉપજતા. હે ગૌતમ ! તે જીવો પોતાના પ્રયોગથી ઉપજે છે, પણ પારકા પ્રયોગથી ઉપજતા નથી. હે ગૌતમ ! જેમ નૈરયિક વિષે કહ્યું તેમ બધું અસુરકુમાર સંબંધે પણ જાણવું, વાવતુ-તેઓ પોતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પણ પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી.’ એ પ્રમાણે એકેંદ્રિય સિવાય યાવતુ-વૈમાનિક સુધી બધા જીવો સંબંધે સમજવું. એકેંદ્રિયો વિષે પણ તેજ પ્રકારે જાણવું, માત્ર વિશેષ એ કે, તેઓની વિગ્રહગતિ ચાર સમયની હોય છે. (-શતકઃ ૨૫ ઉદ્દેશક૯થી ૧૨ઃ- ) [૯૭૧] હે ભગવન્! ભવસિદ્ધિક નૈરયિકો કેવી રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ કોઈ એક કૂદનારો કૂદતો કૂદતો- ઇત્યાદિ પૂર્વોક્ત સમજવું. બાકી બધું તે જ રીતે યાવતુ-વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન! તે એમજ છે.' [૯૭૨] હે ભગવન્! અભયસિદ્ધિક નૈરયિકો કેવી રીતે ઉત્પન્ન થાય? હે ગૌતમ! જેમ કોઈ એક કૂદનારો કૂદતો કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું પૂવક્ત જાણવું, અને એ રીતે થાવતુ-વૈમાનિક સુધી સમજવું. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે.' [૭૩] હે ભગવન્! સમ્યવૃષ્ટિ નૈરયિકો કેવી રીતે ઉપજે? હે ગૌતમ! જેમ કોઈ કૂદનાર કૂદતી કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું પૂવક્ત જાણવું. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય થાવતુ-વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે.' [૯૭૪] મિથ્યાવૃષ્ટિ નૈરયિકો કેવી રીતે ઉપજે? હે ગૌતમ ! જેમ કોઈ કૂદનાર કૂદતી કૂદતો-ઇત્યાદિ બાકીનું બધું વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. શતક ૨૫-નીમુન દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( - શતકઃ ૨૬:-) - ઉદ્દેશો-૧ઃ[૯૭૫] આ શતકમાં અગિયાર ઉદ્દેશકો છે અને તેમાં પ્રત્યેક ઉદ્દેશકે જીવો, લેશ્યાઓ, પાક્ષિકો દ્રષ્ટિ, અજ્ઞાન, જ્ઞાન, સંજ્ઞા, વેદ, કષાય, યોગ અને ઉપયોગ-એમ અગિયાર સ્થાનો-વિષયોને આશ્રયી બન્ધવક્તવ્યતા કહેવાની છે. ૯િ૭૬ હે ભગવન્! શું જીવે પાપકર્મ બાંધ્યું, બાંધે છે અને બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું. બાંધે છે અને નહીં બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું, નથી બાંધતો અને બાંધશે? અથવા શું જીવે પાપકર્મ બાંધ્યું, નથી બાંધતો અને નહીં બાંધશે? હે ગૌતમ! કોઈ જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે, કોઈ જીવે પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે અને બાંધશો નહીં, કોઈ જીવે પાપ કર્મ બાંધ્યું છે, નથી બાંધતો અને બાંધશો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy