SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદેસો-ર ૪૩૧ ધનુષ સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક હજાર ધનુષ હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પૂર્વકોટી વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. કાળની અપેક્ષાએ જઘન્યથી કાંઈક અધિક પૂર્વકોટ સહિત દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે પૂર્વકોટી વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. * જો તે જઘન્યકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે અહિં અસુરકુમાર સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. હવે જો તેજ જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પૂર્વકોટી વર્ષની સ્થિતિવાળાં અસુરકુમારમાં ઉત્પન્ન થાય. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે પૂર્વ કોટી વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હવે તેજ પોતે ઉકાળની સ્થિતિવાળો હોય અને અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને પ્રથમ ગમક કહેવો. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે, તથા અનુબંધ પણ એજ પ્રમાણે જાણવો. કાળાદેશથી જઘન્ય દસ હજાર વર્ષ અધિક ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જઘન્ય કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તેને એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે અહિં અસુરકુમારની સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા. કહેવી. પણ વિશેષ એ કે કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. હે ભગવન્! જો તે અસુરકુમારો સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવીને ઉત્પન્ન થાય તો શું જલચરોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ યાવતુ હે ભગવનું ! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચયોનિક જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક સાગરોપમની સ્થિતિવાળા જીવોએક સમયે કેટલા ઉત્પન્ન થાય? પૂર્વે કહ્યા પ્રમાણે રત્નપ્રભાકૃથિવીના સમાન નવે ગમકો જાણવા. પણ વિશેષ એ કે જ્યારે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય ત્યારે વચ્ચેના ત્રણે ગમોમાં આ ભેદ જાણવો. તેને ચાર લેશ્યાઓ હોય છે, અધ્યવસાયો પ્રશસ્ત હોય છે, સંવેધ કાંઈક અધિક સાગરોપમથી કરવો. જો તે અસુરકુમારો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોથી આવી તેઓ સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે તેઓ સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા. સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! તે બંને. હે ભગવન્! અસંખ્યાતા વર્ષના આયુષવાળો સંજ્ઞી મનુષ્ય, જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય,? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળામાં એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy