SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ઉદ્દેશકઃ૨ [૮૪૩]હે ભગવન્ ! અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-હે ગૌતમ ! તેઓ તિર્યંચયોથી અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બધું યાવત્ નૈરિય કોદ્દેશકની પેઠે જાણવું. યાવત્ હે ભગવન્ ! પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા અસુરકુમા રોમાં ઉત્પન્ન થાય ?હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસં ખ્યાતમા ભાગની સ્થિતિવાળામાં. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? એ પ્રમાણે રત્નપ્રભાનાગમકની પેઠે નવ ગમકોઅહિં કહેવા પણ વિશેષ એ કે જ્યારે તે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય ત્યારે તેના (વચલા) ત્રણે ગમકોમાં અધ્યવસાયો પ્રશસ્ત હોય છે,જો સંશીપંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાત વર્ષના આયુષ વાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાત વર્ષના આયુષ વાળાથી હું ગૌતમ ! હે ભગવન્ ! અસંખ્યાતવર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક, જે અસુકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા અસુર કુમારોમાં ઉત્પન્ન થાય ? જઘન્ય દસ હજા૨વર્ષની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની. હે ભગવન્ ! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય- જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. તેઓ વજૠષભનારાચસંઘયણવાળા હોય છે. તેઓના શરીરની ઉંચાઈ જઘન્ય ધનુષપૃથક્ક્સ અને ઉત્કૃષ્ટ છ ગાઉની હોય છે. તેઓ સમુચતુસ્ર સંસ્થાનવાળા હોયછે, મિથ્યાવૃષ્ટિ હોય છે. અજ્ઞાની છે અને તેને અવસ્ય મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે. યોગ ત્રણે હોય છે. ઉપયોગ બન્ને હોય છે. ચાર સંજ્ઞા ઓ, ચાર કષાયો અને પાંચ ઈન્દ્રિયો હોય છે. સમુદ્ધાત પ્રથમના ત્રણે હોય છે. સમુદ્ ધાત કરીને અને કર્યા વિના પણ મરે છે. વેદના બન્ને પ્રકારની હોયછે. પુરુષવેદ અને સ્ત્રીવેદ-એમ બે વેદ હોય છે, સ્થિતિ જઘન્યથી કાંઈક અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટિ ત્રણ પલ્યોપમની હોય છે. અધ્યવસાયો બન્ને પ્રકારના હોય છે. સ્થિતિની પેઠે અનુબંધ પણ જાણવો. કાયસંવેધ-ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્યથી કંઈક અધિક પૂર્વકોટી સહિત દસ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ છે પલ્યોપમ એટલો કાળ યાવતગમનાગમન કરે. જો તે જઘન્યકાળની સ્થિતિવાળા અસુરકુમારનાં ઉત્પન્ન થાય તો તેને એજ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ અહિં અસુરકુમારની સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. જો તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ છે પલ્યોપમ-એટલો કાળ યાવત્-ગમનાગમન કરે, બાકી બધું પૂર્વે ક્યા પ્રમાણે જાણવું. જો તે પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય અને અસુરકુમા૨માં ઉત્પન્ન થાય તો તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક પૂર્વકોટી વર્ષના આયુષવાળા અસુરકુમા૨માં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? બાકી બધું યાવત્ભવાદેશ સુધી તેજ પ્રમાણે જાણવું. વિશેષ એ છે કે શરીરની ઉંચાઈ જઘન્યથી બેથી નવ Jain Education International ભગવઇ – ૨૪/-J૨/૮૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy