SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ભગવદ - ૧-૨૪૮૧ [૪૮૧] જો તે ભિક્ષુ કોઈ એક અત્યસ્થાનને સેવીને અને તે અત્યસ્થાનું આલોચન તથા પ્રતિક્રમણ કર્યા વિના કાલ કરે તો તેને આરાધના થતી નથી, પરંતુ તે તે અકૃત્યસ્થાનનું આલોચન અને પ્રતિક્રમણ કરીને કાલ કરે તો તેને આરાધના થાય છે. વળી કદાચ કોઈ ભિક્ષુએ અત્યસ્થાનનું પ્રતિસેવન કર્યું હોય, પછી તેના મનમાં એમ વિચાર થાય કે હું મારા અંતકાલના સમયે તે અત્યસ્થાનનું આલોચન કરીશ, યાવતું તપરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીશ.’ ત્યારપછી. તે ભિક્ષુ તે અત્યસ્થાનનું આલોચન કે પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામે તો તેને આરાધના થતી નથી, અને જો તે ભિક્ષુ તે અકૃત્યસ્થાનનું આલોચન અને પ્રતિક્રમણ કરી કાલ કરે તો તેને આરાધના થાય છે. વળી કોઈ ભિક્ષુ કોઈ એક અકયસ્થાનનું પ્રતિસેવન કરી પછી મનમાં એમ વિચારે કે, “જો શ્રમણોપાસકો પણ મરણ સમયે કાલ કરીને કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તો શું હું અણપનિકદેવપણું પણ નહિં પામું.' એમ વિચારીને તે અકૃત્યસ્થાનનું આલોચન કે પ્રતિક્રમણ કર્યા વિના જો કાલ કરે તો તેને આરાધના થતી નથી, અને જો તે અકૃત્યસ્થાનને આલોચી તથા પ્રતિક્રમી પછી કાલ કરે તો તેને આરાધના થાય છે. હે ભગવન્!તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે, શતકઃ ૧૦-ઉદેસાઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ - ઉદેશક૩:-) ૪િ૮૨ રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમ) પાવતુ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! શું દેવ પોતાની શક્તિ વડે યાવતુ ચાર પાંચ દેવાવાસોનું ઉલ્લંઘન કરે અને ત્યારપછી બીજાની શક્તિવડે ઉલ્લંઘન કરે? હા, ગૌતમ ! તેમજ છે.એ પ્રમાણે અસુર કુમાર સંબધે પણ જાણવું, પરન્તુ તે આત્મશક્તિથી અસુરકુમારોના આવાસોનું ઉલ્લે ઘન કરે. બાકી સર્વ પૂર્વ પ્રમાણે જાણવું. એ રીતે આ અનુક્રમથી પાવતુ સ્વનિતકુમાર, વાનયંતર, જ્યો- તિષ્ક અને વૈમાનિક સુધી જાણવું. ‘તેઓ યાવતુ ચાર પાંચ દેવાવાસોનું ઉલ્લંઘન કરે અને ત્યારપછી આગળ પરની શક્તિથી ઉલ્લંઘ કરે ત્યાં સુધી જાણવું. હે ભગવન્! અલ્પ- બ્દિક-અલ્પશક્તિવાળો દેવ મદ્ધિક-મહાશક્તિવાળા દેવ ની વચ્ચે થઈને જાય? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! સમદ્ધિક-સમાન શક્તિવાળો-દેવ સમાનશક્તિવાળા દેવની વચ્ચે થઈને જાય ? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. પણ જો તે પ્રમત્ત હોય તો તેની વચ્ચે થઈને જાય. હે ભગવન્! શું તે દેવ સામેના દેવને વિમોહ પમાડીને જઈ શકે, કે વિમોહ પમાડ્યા સિવાય જઈ શકે? હે ગૌતમ! તે દેવ સામેના દેવને વિમોહ પમાડીને જઈ શકે, પણ વિમોહ પમાડ્યા સિવાય ન જઈ શકે. હે ભગવનું ! શું તે દેવ પહેલાં વિમોહ પમાડીને પછી જાય કે પહેલાં જઈને પછી વિમોહ પમાડે ? હે ગૌતમ! તે દેવ પહેલાં વિમોહ પમાડીને પછી જાય, પણ પહેલાં જઈને પછી વિમોહન પમાડે. હે ભગવનું ! મહર્દિક-મહાશક્તિવાળો દેવ અલ્પશક્તિવાળા દેવની વચોવચ થઈને જાય? હા, ગૌતમ ! જાય. હે ભગવન્! મહર્દિક દેવ શું તે અલ્પશક્તિવાળા દેવને વિમોહ પમાડીને જઈ શકે કે વિમોહ પમાડ્યા વિના જઈ શકે? હે ગૌતમ! તે બંને રીતે જઈ શકે. હે ભગવન્! તે મહર્તિક દેવ શું પૂર્વે વિમોહ પમાડીને પછી જાય કે પૂર્વે જાય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy