SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭, ઉદેસો-૭ ૧૫૩ જાણવા, બેઈન્દ્રિય જીવો એ પ્રમાણે જાણવા, પરન્તુ તેઓ જિહુવા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે. તે ઈન્દ્રિય જીવો પણ એ પ્રમાણે જાણવા, પણ ઘાણ, જિલ્લા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ તેઓ ભોગી છે. ચઉરિંદ્રિય જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! ચઉરિન્દ્રિય જીવો કામી પણ છે અને ભોગી પણ છે. હે ભગવન્! શા હેતુથી યાવતુ ભોગી પણ છે? તે ચઉરિદ્રિય જીવો ચક્ષની અપેક્ષાએ કામી; ઘાણ, જિહુવા અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે, બાકીના યાવતુ વૈમાનિક સુધીના જીવો જેમ સામાન્ય જીવો કહ્યા તેમ જાણવા. હે ભગવન્! કામભોગી, નોકામી નો ભોગી અને ભોગી જીવોમાં કયા જીવો કયા જીવોથી યાવત્ વિશેષાધિક છે ? હે ગૌતમ ! કામભોગી જીવો સૌથી થોડા છે, નોકામીનો ભોગી જીવો અનન્તગુણ છે, અને ભોગી જીવો અનન્તગુણ છે. [૩૩] હે ભગવન્! છવાસ્થ જે કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્ષીણભોગી - ઉત્થાનવડે, કર્મવડે, બલવડે, વીર્યવર્ડ અને પુરુષાકાર પરાક્રમવડે વિપુલ એવા ભોગ્ય ભોગોને ભોગવવા સમર્થ છે? હે ભગવન્! ખરેખર આ અર્થને આ પ્રમાણે કહો છો ? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. તે ઉત્થાનવડે પણ, કર્મવડે પણ, બલવડે પણ, વીર્યવડે પણ અને પુરુષકાર પરાક્રમવડે પણ કોઈપણ વિપુલ એવા ભોગ્ય ભોગોને ભોગવવા સમર્થ છે, તે માટે તે ભોગી ભોગોનો ત્યાગ કરતો મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન થાય છે. હે ભગવન્! નિયતક્ષેત્રના અવધિજ્ઞાનવાળો મનુષ્યો જે કોઈપણ દેવલોકમાં દેવપણ ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ક્ષીણભોગી પુરષાકાર પરાક્રમવડે વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે? એ પ્રમાણે છદ્મસ્થની પેઠે યાવતું તે મહાપર્યવસાન થાય છે. હે ભગવન્! પરમાવધિજ્ઞાની મનુષ્ય જે તેજ ભવમાં સિદ્ધ થવાને યાવતુ (સર્વ દુઃખોનો) અન્ત કરવાને યોગ્ય છે, હે ભગવન્ખરેખર તે ક્ષીણભોગી વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે ?(ગૌતમ) બાકીનું સર્વ છદ્મસ્થની પેઠે જાણવું. કેવલજ્ઞાની મનુષ્ય જે તેજ ભવમાં સિદ્ધ થવાને યાવતુ (દુઃખોનો) અત્ત કરવાને યોગ્ય છે તે વિપુલ ભોગોને ભોગવવા સમર્થ છે? પરમાવધિજ્ઞાની પેઠે જાણવું, યાવતુ તે મહાપર્યવસાન મહાફળવાળો થાય છે. [૩૬૪] હે ભગવન્! જે આ અસંજ્ઞી મનરહિત પ્રાણીઓ છે, જેમકે, પૃથિવીકાયિકો યાવત્ વનસ્પતિકાયિકો અને છઠ્ઠા કેટલાએક (સંમૂર્ણિમ) ત્રસ જીવો, જેઓ અંધઅજ્ઞાની, મૂઢ, અજ્ઞાનાન્ધકારમાં પ્રવેશ કરેલા, અજ્ઞાનરૂપ આવરણ અને મોહજાલવડે ઢંકાયેલા છે તેઓ અકામનિકરણ-અનિચ્છાપૂર્વક વેદના વેદે છે એમ કહેવાય ? હા, ગૌતમ ! એમ કહેવાય. હે ભગવનું! શું એમ છે કે સમર્થ છતાં પણ જીવ અનિચ્છાપૂર્વક વેદનાને વેદે? હે ગૌતમ! હા એમ છે. હે ભગવન્! સમર્થ છતાં પણ જીવ અનિચ્છાપૂર્વક વેદનાને કેમ વેદે ? હે ગૌતમ ! જે સમર્થ છતાં અંધકારમાં પ્રદીપ સિવાય રૂપો જોવાને સમર્થ નથી, જે અવલોકન કર્યા સિવાય આગળ રહેલા રૂપો જોવાને સમર્થ નથી, જે અવેક્ષણ કર્યા વિના પાછળ રહેલા રૂપો જોવા સમર્થ નથી, જે આલોચન કર્યા સિવાય આગળ રહેલા રૂપો જેવાને સમર્થ નથી, જે અવેક્ષણ કર્યા વિના પાછળ રહેલા રૂપો જેવા સમર્થ નથી, જે આલોચન કર્યા સિવાય ઉપરના રૂપો જોવાને સમર્થ નથી. જે આલોચન કર્યા સિવાય નીચેના રૂપો જેવાને સમર્થ નથી; હે ગૌતમ ! તે આ અર્થ સમર્થ છતાં પણ અનિચ્છિતપૂર્વક વેદનાને વેદે છે. હે ભગવન્! એમ છે કે સમર્થ પણ પ્રકામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy