SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૯૬ કરી. ત્યાં ત્યાં શરીર પ્રમાણ દ્રવ્યની વૃષ્ટિ થઈ હતી. [૨૯૭-૩૦૩] તે ચોવીસ તીર્થંકરોના ચોવીસ ચૈત્યવૃક્ષો હતાં. જે વૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું હોય તેને વૃક્ષને ચૈત્ય વૃક્ષ કહે છે. તેમના નામ-ન્યગ્રોધ, સપ્તવર્ણ, શાલ, પ્રિયક, પિગગુ, છત્રાભ, શિરીષ, નાગવૃક્ષ માલી, પિલક્ષુવૃક્ષ હિંદુક, પારસ, જંબૂ અખ્યત્વ, દધિપર્ણ, નદીવૃક્ષ, તિલક, અમ્રવૃક્ષ, · અશોક, ચંપક, બકુલ, વેતસવૃક્ષ, ધાતકીવૃક્ષ અને વર્ધમાન, ભગવાનનું સાલવૃક્ષ, જિનવરોનાં તે ચૈતવૃક્ષો હતા. વર્ધમાન ભગવાનનું ચૈત્યવૃક્ષ બત્રીસ ધનુષ પ્રમાણ ઉંચું હતું. તે સમસ્ત ૠતુઓથી યુક્ત હતુ. શોક ઉપદ્રવ આદિથી રહિત હતું અને સાલવૃક્ષોથી ઘેરાયેલું હતું ૠષભદેવ ભગવાનનું ચૈત્ય વૃક્ષ પણ કોશ ઉંચું હતું. બાકીના તીર્થંકરોના ચૈત્યવૃક્ષો તેમના શરીરની ઉંચાઈ કરતાં બાર ગણી ઉંચાઈવાળા હતા. તે બધા ચૈત્ય વૃક્ષો છત્ર, પતકા, વેદિકે અને તોરણોથી યુક્ત હતાં. તે બધાં ચૈત્યવૃક્ષો સુર, અસુર અને સુપર્ણ કુમારી દ્વારા સેવાતા હતા. [૩૦૪-૩૦૭] એ ચોવીસ તીર્થંકરોના જે ચોવીસ પહેલાં શિષ્યો થયા તેમનાં નામ-ૠષભસેન, સિંહસેન, ચારૂ, વજ્રનાભ, અમર, સુવ્રત, વિદર્ભ, દત્ત, વરાહ, આનંદ, ગોસ્તુભ, સુધર્મા, મન્દર, યશ, અરિષ્ટ ચકાલ, સ્વયંભૂ, કુસા, ઈન્દ્ર, કુલ, શુભ, વરદત્ત દત્ત અને ઈન્દ્રભૂતિ તે બધા શિષ્યો ઉત્તરો ઉત્તર ઉત્કર્ષ પામતા કુળરૂપ વંશવાળા હતાં. તેઓ માતૃ અને પિતૃવંશની નિર્મળતા યુક્ત હતા, સમ્યગ્દર્શન આદિ ગુણોથી શોભતા હતા. એ પ્રકારના તીર્થપ્રવર્તક જિનેન્દ્ર દેવોના અનુક્રમથી પ્રથમ શિષ્યો હતા. [૩૦૮-૩૧૧] તે ચોવીસ તીર્થંકરોની ચોવીસ પહેલી શિષ્યાઓ હતી, તેમનાં નામ-બ્રાહ્મી, ફાલ્ગ, શ્યામા, અજિતા, કાશ્યપી, રિત, સોમા, સુમના, વારૂણી, સુલસા, ધારિણી, ધરણ, ધરણિધરા, પદ્મા, શિવા, શ્રુતિ, અંજુકા, રક્ષી, બંધુમતી, પુષ્પવતી, મિલા, યક્ષિણી, પુષ્પચૂલા અને ચન્દ્રના, તે આર્યાઓ ભાવિતાત્મા હતી. આ સર્વે પૂર્વોક્ત આઓ તીર્થપ્રવર્તક જિનેન્દ્રદેવોની પહેલી શિષ્યાઓ હતી. [૩૧૨-૩૧૪] જંબુદ્વીપ નામના આ દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં બાર ચક્રવર્તીઓના પિતાના નામો ઋષભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન, શૂર, સુદર્શન, કાર્તવીર્ય પદ્મોત્તર, મહાહિર, રાજાવિજય અને બ્રહ્મ આ પ્રમાણે ચક્રવર્તી- ઓના પિતાના નામ કહેલ છે. ૪૫૯ [૩૧૫] જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં જે બાર ચક્રવર્તીઓ થયા તેમની માતાઓના નામ-સુમંગલા, યશસ્વતી, ભદ્રા, સહદેવી અચિરા, શ્રીદેવી, તારા, જ્વાલા, મેરા, વયા અને ચુલ્લણી [૩૧૬-૩૨૦] જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં જે બાર ચક્રવર્તીઓ થયા. તેમના નામ-ભરત, સગર, મધવા, સનકુમાર, શાન્તિ, કુન્થુ, અર, સુલૂમ, મહાપદ્મ, હરિષેણ, જય અને બ્રહ્મદત્ત તે બાર ચક્રવર્તીઓના બાર સ્ત્રી રત્નો હતા. તેના નામ-સુભદ્રા, ભદ્રા, સુનંદા, જયા, વિજ્યા, કૃષ્ણથી, સૂરશ્રી, પદ્મશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીવતી અને અને કુરૂમતી. [૩૨૧-૩૨૬] આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ બળદેવના અને નવ વાસુદેવના પિતા થયા છે. તેમના નામ-પ્રજાપતિ, બ્રહ્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy