SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૨૩ ૪૩૯ વ્રત, વિરમણ-મિથ્યાત્વ આદિમાંથી નિવૃત્તિ, ત્રણ ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, એ બધી બાબતોનું તેમજ શ્રુતાધ્યયનનું ઉગ્રતપની આરાધનાનું, અગિયાર પ્રતિમાઓનું, દેવાદિકૃત ઉપસર્ગોનું, સંલેખનાનું, ભક્ત- પ્રત્યાખ્યાનનું, દેવલોકમાં ઉત્પન્ન થવાનું, ત્યાંથી ચ્યવીને ઉત્તમકુળમાં જન્મ પામવાનું પુનઃ બોધિલાભનું, અને મોક્ષપ્રાપ્તિનું નિરુપણ કરાયું છે. આ સૂત્રમાં શ્રાવકોની ઋદ્ધિ વિશેષોનું, માતાપિતા આદિ આપ્યંતરપરિષદ્ તથા દાસદાસી મિત્ર આદિ બાહ્યપરિષદનું, ભગવાન મહાવીરની સમીપ વિસ્તારપૂર્વક શ્રુતચારિત્રરુપ ધર્મના શ્રવણનું, જિનધર્મની પ્રાપ્તિ રુપ બોધિલાભનું સાદ્ વિવેકપ અભિગમનું, સમ્યકત્વની વિશુદ્ધતાનું, સ્થિરતાનું, શ્રાવકના મૂલગુણ અને ઉત્તરગુણોનાં અતિચારોનું, શ્રાવકપર્યાયરૂપ સ્થિતિ વિશેષનું, સમ્યગ્દર્શન આદિ પ્રતિમાઓ તથા અભિગ્રહ લેવાનું અને તેના પાલનનું, દેવાદિકૃત ઉપસર્ગો સહન કરવાનું, અને ઉપસર્ગના અભાવનું વર્ણન છે. અનશનાદિ વિચિત્ર તપ, શીલ તથા વ્રત, ગુણવ્રત, મિથ્યાત્વ આદિથી વિરક્તિ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિનું, તપ અને રાગાદિકોને જીતવાથી શરીર અને જીવને કૃશ કરનાર એવી સંલેખનાના સેવનથી આત્માને ભાવિત કરીને જે શ્રાવક અનેક ભક્તોનું અનશન દ્વારા છેદન કરી નાંખે છે, ઉત્તમ કલ્પોના શ્રેષ્ઠ વિમાનોમાં ઉત્પન્ન થઇને તે દેવવિમાનરુપી ઉત્તમ પુંડરીકોમાં કેવા કેવા અનુપમ સુખોને ભોગવે છે અને તે ઉત્તમ સુખોનો ક્રમશઃ ઉપભોગ કર્યા પછી ત્યાંથી આયુષ્ય સમાપ્ત થતા અવીને કેવી રીતે સંયમથી પ્રશસ્ત બોધિને પ્રાપ્ત કરીને કેવી રીતે તમ (અજ્ઞાન) : રજ (કર્મ) એ બન્નેના સંમૂહથી રહિત બનીને સમસ્ત દુઃખોથી રહિત, ક્ષય રહિત મોક્ષને પ્રાપ્ત કરે છે. એ બધી બાબતોની પ્રરૂપણા ક૨વામાં આવી છે. તેમજ આ અંગમાં ઉપરોક્ત વિષયોનું તથા એજ પ્રકારના અન્ય વિષયોનું પણ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કર્યું છે. આ અંગમાં સંખ્યાતવાચનાઓ છે, સંખ્યાતઅનુયોગદ્વાર છે, યાવત્ સંખ્યાત સંગ્રહણિઓ છે. અંગની અપેક્ષાએ તે સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાળ છે, દસ સમુદ્દેશનકાળ છે, તેમાં પદોનું પ્રમાણ સંખ્યાત-છે. સંખ્યાત અક્ષરો છે. યાવત્ ચરણકરણથી પ્રરૂપણા કરવામાં આવે છે. આ ઉવાસગ દસાઓનું સ્વરૂપ છે. [૨૨૪] હે ભદન્ત ! અંતગઢ દસાઓનું સ્વરૂપ કેવું છે ? તેમાં અંતકૃત મુનિઓના નગરોનું, ઉદ્યાનોનું, ચૈત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણોનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આલોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓનું, ભોગના પરિત્યાગનું, દીક્ષાઓનું, શ્રુતાધ્યયનોનું, વિશિષ્ટ તપસ્યાઓનું, માસિકી આદિના ભેદથી બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું, તથા ક્ષમા, આર્જવ માર્દવનું વર્ણન છે. અન્ય- ના દ્રવ્યનું અપહરણ કરવાથી ઉત્પન્ન થયેલ મલીનતાથી રહિત થવું, પૃથ્વીકાય આદિ સત્તર પ્રકારનો સંયમ, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, આગમોક્ત વિધિ અનુસાર મુનિઓને આહાર પાણી લાવીને દેવા, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ, અપ્રમાદ- યોગો, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાન એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy