SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૧૬૬ ૪૨૭ ઉત્તર પ્રકૃતિઓ સત્યાસી છે. મહાહિમવંત ફૂટના ઉપરના ચરમાંતથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનનું છે. એજ પ્રમાણે રૂકમી ફૂટના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્તનું અંતર સમજવું. સમવાય-૮૭–ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૮ [૧૭૭] પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવાર રૂપ ૮૮-૮૮ ગ્રહો છે. દૃષ્ટિવાદના ૠજુસૂત્ર, પરિણતાપરિણત આદિ ૮૮ સૂત્ર છે. તે નન્દીસૂત્ર પ્રમાણે જાણવાં. મેરૂપર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વી ચરમાન્તનું અવ્યવહિત અંતર ૮૮૦૦૦ યોજનનું છે. શેષ ત્રણ દિશાઓનું અંતર પણ એજ પ્રમાણે છે. ઉત્તરાયણથી દક્ષિણાયના તરફ પાછો ફરતો સૂર્ય પ્રથમ છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમાં મંડળ ઉપર આવીને એક મુહૂર્તના એકઠિયા અઠ્યાસી ભાગ દિવસને ઘટાડીને અને રાત્રિને વૃદ્ધિ કરીને ભ્રમણ કરે છે. દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પાછો ફરતો સૂર્ય દ્વિતીય છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમા મંડળમાં પહોંચીને એક મુહૂર્તના એકસઠિયા અઠ્યાસી ભાગ રાત્રિને ઘટાડી અને દિવસને વધારીને ગતિ કરે છે. સમવાય- ૮૮ –ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુરજછાયાપૂર્ણ સમવાય-૮૯ [૧૬૮] અરિહંત કૌશલિક ૠષભદેવ આ અવસર્પિણીના ત્રીજા સુષમ દુષમાકાલના અંતિમ ભાગમાં ૮૯- પક્ષ શેષ રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણીના ચોથા દુષમ-સુષમા કાલના અંતિમ ભાગમાં ૮૯ પક્ષ બાકી રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવત્ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. હરષેણ ચક્રવર્તી ૮૯૦૦ વર્ષ સુધી મહારાજ પદે રહ્યા હતા. અરિહંત શાન્તિનાથની આર્યાઓની સંખ્યા ઉત્કૃષ્ટ ૮૯૦૦૦ હતી. સમવાય-૮૯-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય૦ [૧૬૯] અરિહંત શીતલનાથની ઉંચાઈ નેવું ધનુષ્યની હતી. અરિહંત અજીતનાથના નેવું ગણ અને નેવું ગણધર હતા. એજ પ્રમાણે અરિહંત શાંતિનાથના ગણ અને ગણધર હતા. સ્વયંભૂવાસુદેવના દિગ્વિજયનો કાલ નેવું વર્ષનો હતો. સર્વવૃત્તવૈતાઢ્ય પર્વતોના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર નેવું સો યોજનનું છે. સમવાય-૯૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ સમવાય-૯૧ [૧૭૦] બીજાની વૈયાવચ્ચ કરવાની પ્રતિજ્ઞાઓ એકાણું છે. કાલોદ સમુદ્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy