SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ સમવાય-૮૪ બાહુબળી, બ્રાહ્મી અને સુંદરી પણ સિદ્ધ યાવતુ સમસ્ત દુખોથી મુક્ત થયા. અરિહંત શ્રેયાંસનાથ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને અપ્રતિષ્ઠાન નામના નરકમાં નરયિક રૂપે ઉત્પન્ન થયા. શક્રેન્દ્રના ૮૪૦૦૦ સામાનિક દેવો છે. સમસ્ત બાહ્ય મંદિર પર્વતોની ઉંચાઈ (પૃથ્વી ઉપર) ૮૪000 યોજનની છે. સર્વ અંજન પર્વતોની ઉંચાઇ ૮૪૮૪ હજાર યોજનની છે.હરિવર્ષ અને રમ્યqર્ષની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ૮૪૦૧૬ તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી ચાર ભાગ જેટલી છે. પંકબહુલ કાંડના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર ૮૪000 યોજનનું છે. નાગકુમારાવાસ ચોર્યાસી લાખ છે. પ્રકીર્ણક ૮૪000 છે. જીવયોનિઓ ચોર્યાસી લાખ છે. પૂર્વથી શીર્ષ પ્રહેલિકા સુધી, પૂર્વ અંકથી ઉત્તરનો અંક ચોર્યાસી લાખથી ગુણિત છે. અરિહંત ઋષભ દેવના ચોયસિી ગણ અને ચોયસિી ગણધર હતા. અરિહંત ઋષભ દેવના ઋષભસેન આદિ ૮૪000 શ્રમણ હતા. સર્વ વૈમાનિક દેવોના વિમાનો સર્વ મળી ૮૪૯૭૦૨૩છે. સમવાય-૮૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૮૫) [૧૬] ચૂલિકા સહિત આચારાંગ સૂત્રના પંચ્યાસી ઉદેશનકાલ છે. ધાતકીખંડના મેરૂપર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચા છે. રૂચક માંડલિક પર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચો છે. નંદનવનની નીચેના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૮૫૦૦ યોજનાનું છે. | સમવાય-૮૫-નીમુનિદીપરાનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | સમવાય-૮૬ [૧૫] અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત)ના ૮૬ ગણ અને ૮૬ ગણધર હતા. અરિહંત સુપાર્શ્વનાથના ૮૬00 વાદી મુનિ હતા. બીજી પૃથ્વીના મધ્ય ભાગથી બીજા ઘનોદધિના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૮૬૦૦૦ યોજનનું છે. | સમવાય-૮૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૮૭). [૧૬] મેરૂપર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનાનું છે. મેરૂપર્વતના દક્ષિણી ચરમાત્તથી દગભાસ આવાસ પર્વતના ઉત્તરી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનનું છે. એ જ પ્રમાણે મેરૂપર્વતના પશ્ચિમી ચરમાંતથી શંખ આવાસ પર્વતના પૂર્વી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી યોજનાનું છે. એ જ પ્રમાણે મેરૂપર્વતના ઉત્તરી ચરમાંતથી દકસીમ આવાસ પર્વતના દક્ષિણી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનાનું છે. પ્રથમ અને અંતિમને છોડીને શેષ છ મૂળ કર્મ પ્રવૃતિઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy