SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૫૨ ૪૦૩ પૃથ્વીના નૈયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેમજ તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરિયકોની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ બાવીસપલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાવીસપલ્યોપમની છે. અચ્યુતકલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસસાગરોપમની છે. મહિત, વિશ્રુત, વિમલ, પ્રભાસ, વનમાલ, અચ્યુતાવતંસક, આ છ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની સ્થિતિ બાવીસ સાગરોપમની છે તે દેવો બાવીસ પખવાડિએ શ્વાસોચ્છ્વાસ લે છે. તે દેવોને બાવીસ હજાર વર્ષે આહા૨ની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે જેઓ બાવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ સમવાય-૨૩ [૫૩]સૂત્રકૃતાંગના તેવીસ અધ્યયનો છે—સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રીપરિક્ષા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાસિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, આખ્યાતહિત, ગ્રંથ, યમતીત, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિક્ષા, અપ્રત્યાખ્યાનક્રિયા, અણગારશ્રુત, આર્વકીય, નાલંદીય. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં તેવીસ તીર્થંકર ભગવાનોને સૂર્યોદયના સમયે કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થયા હતાં. જંબુદ્રીપમાં અવસર્પિણી કાળમાં તેવીસ તીર્થંકર પૂર્વભવમાં અગીયાર અંગોના પાઠી હતા. તેના નામ–અજીતનાથ, સંભનાથ, યાવત્ વર્ધમાન સ્વામી સુધી. અરિહંત ઋષભદેવ ચૌદ પૂર્વના પાઠી હતા. જંબૂદ્વીપમાં અવસર્પિણીકાળમાં તેવીસ તીર્થંકર-અજીતનાથ યાવત્· મહાવીર સ્વામી પૂર્વભવમાં માંડલિક રાજા હતા. અરિહંત ૠષભદેવ કૌસલિક પૂર્વ- ભવમાં ચક્રવર્તી હતા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેવીસ પલ્યો- પમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ તેવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેવીસ પલ્યોપમની છે. નીચેના ત્રીકના મધ્યમ ગ્રેવેયક દેવોની જઘન્યસ્થિતિ તેવીસ સાગરોપમની છે. અધસ્તન-અધસ્તન-બધાની નીચેના ત્રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની તેવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે દેવો તેવીસ પખવાડિયે શ્વાસોચ્છ્વાસ લે છે. તે તેવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો તેવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨ ૩ ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૨૪ [૫૪] (આ અવસર્પિણી કાલના) દેવાધિદેવ ચોવીસ છે—ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy