SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સમવાય-૧૮ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર સાગરોપમની છે, કેટલાક અસરકુમાર દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સહસ્ત્રાર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે. આનત કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની છે. કાલ, સુકાલ, મહાકાલ, અંજન, રિષ્ટ, શાલ, સમાન, દ્રુમ, મહાકુમ, વિશાલ, સુશાલ, પદ્મ, પદ્મગુલ્મ, કુમુદ, કુમુદ-ગુલ્મ, નલિન, નલિનગુલ્મ, પોંડરિક, પૌંડરીકગુલ્મ, સહસ્ત્રારાવતંસક આ વીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની સ્થિતિ અઢાર સાગરોપમની છે. તે દેવોને અઢારહજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવ એવા છે કે જેઓ અઢાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૮-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપર્ણ ] (સમવાય-૧૯) જ્ઞાતાધર્મકથાના ઓગણીસ અધ્યયનો છે-ઉન્સિપ્ત, જ્ઞાતિ, સંઘાટક, અંડ, કૂર્મ, સેલક, તંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રિકા, દાવદવ, ઉદકજ્ઞાત, મેંઢક, તેતલી, નંદીફલ, અવરકંકા, આકીર્ણ, સુસુમા, પુંડરીકજ્ઞાત. [૪૯]જબૂદ્વીપમાં સૂર્ય ૧૯૦૦ યોજન સુધી ઉંચે નીચે તપે છે. શુક્ર નામનો મહાગ્રહ પશ્ચિમ દિશામાં ઉદય પામીને ૧૯ નક્ષત્રો સાથે યોગ કરીને પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે. જંબૂદ્વીપના ગણિતમાં કલાનું પરિમાણ એક યોજનના ઓગણીસ ભાગનું છે. ૧૯ તીર્થકરો અગારવાસમાં રહીને અથતુ રાજ્યપદ ભોગવીને દીક્ષિત થયા હતા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરવિ- કોની સ્થિતિ ૧૯ પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ૧૯ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. આણત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવોની જધન્ય સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. આણત, પ્રાણત, નત, વિનત, ધન, સુષિર, ઈદ્ર ઈન્દ્રકાન્ત, ઈન્દ્રોત્તરાવર્તાસક આ નવ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. આણત-ચાવતું-ઈન્દ્રોત્તરાવતંસક વિમાન-માં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવો ઓગણીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. આણત યાવતુ-ઈન્દ્રોત્તરાવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવોને ઓગણીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ઓગણીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૧૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૦). [૫૦]અસમાધિના વાસ સ્થાનો કહ્યા છે અત્યંત ઝડપથી ચાલવું પ્રમાર્જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy