SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૮ ૩પ૧ સ્વીકાર કરૂ. જે પ્રમાણે લોઢુ તાંબું, કલઈ, શીશું, રૂપું અને સોનું ગાળવાની ભઠ્ઠી બળતી રહે છે. તિલ, તલ, ભુસા, નલ અને પાંદડાઓની અગ્નિ તથા દારૂ બનાવવાની ભઠ્ઠી, માટીનું વાસણ, ગોળ, કવેલું ઇટ આદિ બનાવવાનું સ્થાન, ગોળ બનાવવાની ભઠ્ઠી અને લુહારની ભઠ્ઠીમાં કેશુડાના ફૂલ અને ઉલ્કાપાત જેવા જાજ્વલ્યમાન હજારો ચીનગારીઓ જેનાથી ઉછળી રહી છે. એવા અંગારાની સમાન માયાવીનું હૃદય પશ્ચાતાપ રૂ૫ અગ્નિથી નિરંતર બળતું રહે છે. માયાવીને સદા એવી આશંકા બની રહે છે કે આ બધા લોક મારા પર જ શંકા કરે છે. માયાવી માયા કરીને આલોચના કર્યા વિના જે મરી જાય અને કદાચિત્ દેવોમાં ઉત્પન્ન થાય તો તે મહર્થિક દેવોમાં યાવતુ સૌધર્માદિ દેવલોકોમાં ઉત્પન્ન થતો નથી તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં પણ તે ઉત્પન્ન થતો નથી. તે દેવની બાહ્ય અથવા આત્યંતર પરિષદ તેની સામે આવે છે પરંતુ પરિષદના દેવ તે માયાવી દેવનો આદર સત્કાર કરતા નથી તથા તેને આસન પણ આપતા નથી તે જો કોઈ દેવને કંઈ કહે તો ચાર-પાંચ દેવ તેની સામે આવીને તેનું અપમાન કરે છે અને કહે છે કે બસ વધારે કંઈ ન કહો જે કઈ કહ્યું તે હવે ઘણું થયું પછી આયુ પૂર્ણ થવા પર તે દેવ ત્યાંથી આવીને આ મનુષ્યલોકમાં નીચ કુલોમાં ઉત્પન્ન થાય છે. જેમકે અન્નકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, ભિક્ષુકકુલ, કૃપણકુલ, આદિ આ કુલોમાં કુવર્ણ, કુગંધ, કુરસ અને કુસ્પર્શવાળો હોય છે. અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ, હીનસ્વર, દીનસ્વર, અનિષ્ટસ્વર, અકાન્તસ્વર, અપ્રિયસ્વર, અમનોજ્ઞસ્વર, અમરામ, મનને અણગતો અનાદેયવચનવાળા હોય છે. તેની આસપાસના લોકો પણ તેનો આદર કરતા નથી. તે કોઇને ઠપકો દેવા લાગે છે તો તેને ચાર-પાંચ જણ મળી રોકે છે. અને કહેવા લાગે છે બહુ થયું. અમાયીની સુગતિ. માયાવી માયા કરીને આલોચના પ્રતિક્રમણથી અતિચારોની શુદ્ધિ કરે અને તે સાધુ કાળના અવસરે કાળધર્મ પામીને અન્યતમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. તે પણ મહદ્ધિક યાવતુ દીર્ઘ સ્થિતિવાળા દેવ થાય છે. ત્યાં મહદ્ધિક યાવત. ચિરસ્થિતિ પર્યત દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવનું વક્ષઃસ્થલ હારથી સુશોભિત રહે છે. તથા બને ભુજાઓ કડા અને ત્રુટિતોથી વિભૂષિત હોય છે. બાહુઓના ભુષણ વિશેષરૂપ કેયુરોને તે ધારણ કરે છે. કપોલતલ સાથે ઘસાતા કુંડળોને તેણે બન્ને કણમાં ધારણ કરેલા હોય છે વિવિધ મુદ્રીકાદિ હાથમાં ઝળહળતી રહી હોય છે. તેમજ તેના માત્ર પર વિવિધ વસ્ત્રો આભુષણો ધારણ કરેલ હોય છે. વિવિધ માળા યુકત મુગટ તેના મસ્તક પર શોભતો હોય છે. તે સદા માંગલિક વસ્ત્રો ધારણ કરે છે, તેના શરીર પર સુગંધયુક્ત માળાઓ શોભતી હોય છે. ચંદન આદિ સુગંધિત દ્રવ્યોનું વિલેપન થતું હોય છે. તેથી તેનું શરીર દેદીપ્યમાન રહે છે. તે લાંબી લાંબી વનમાળાઓને ધારણ કરે છે. એવા તે આલોચિત પ્રતિકાંત સાધનો દેવાયયિમાં ઉત્પન્ન થયેલો જીવ દિવ્ય વર્ણવડે, દિવ્યગંઘ વડે, દિવ્યસવડે, દિવ્યપ્રસ વડે, દિવ્યસંહનવડે, દિવ્યઋદ્ધિવડે, દિવ્યદ્યુતિવડે, દિવ્યપ્રભાવડે, દસેલેશ્યાવડે, દસેદિશાઓને પ્રકાશીત કરતો અને અતિશય રૂપથી પ્રભાસિત કરતો દિવ્ય નાટય ગીતોના તથા નિપુણ કલાકારો દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy