SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-૪ ૩૧૧ તેના સંક્રમણથી ઉદય અશુભ રૂપમાં થયો. એક કર્મ પ્રકૃતિનો બંધ અશુભ રૂપમાં થયો પરંતુ સંક્રમણ કરવાથી તેનો ઉદય શુભ રૂપે થયો. એક કર્મ પ્રકૃતિનો બંધ અશુભરૂપે થયો અને તેનો ઉદય પણ અશુભ રૂપે થયો. કર્મ ચાર પ્રકારે છે. પ્રકૃતિ કર્મ, સ્થિતિ કર્મ, અનુભાગ કર્મ અને પ્રદેશ કર્મ. [૩૯]સંઘ ચાર પ્રકારના છે.- શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા. f૩૯૫ૉબદ્ધિ ચાર પ્રકારની કહેલ છે.- ઔત્પાતિકી, વનયિકી, કાર્મિકી અને પારિણામિકી. મતિ ચાર પ્રકારની કહેલી છે- અવગ્રહમતિ, ઈહામતિ, અપાયમતિ, ધારણા મતિ. આ પ્રમાણે પણ મતિના ચાર પ્રકાર કહેલ છે. ઘડાના પાણી જેવી, વિદરના પાણી જેવી, તળાવના પાણી, જેવી સાગરના પાણી જેવી. [૩૯]સંસારી જીવ ચાર પ્રકારના છે. નૈરયિક તિર્યંગ્યોનિક, મનુષ્ય અને દેવ. સમસ્ત જીવોનો ચાર પ્રકારોમાં સમાવેશ થાય છે. મનોયોગી વચનયોગી, કાયયોગી અને અયોગી. સમસ્ત જીવોના આ પ્રમાણે ચાર ભેદ છે. સ્ત્રીવેદવાળા, પુરુષવેશવાળા, નપુંસકવેદવાળા, અવેદી. સમસ્ત જીવોના ચાર પ્રકાર છે. ચક્ષુદર્શનવાળા-ચતુરિન્દ્રિય આદિ જીવો અચક્ષુદર્શનવાળા- એકેન્દ્રિયાદિ જીવો, અવધિદર્શનવાળા- શકેન્દ્ર આદિ જીવો, કેવળ દર્શનવાળા- કેવળી ભગવાન. સમસ્ત જીવોના આ પ્રકારે ચારે ભેદ છેસંયત, અસંયત, સંયતાસંયત અને નોસંયત- નો અસંયત. [૩૯૭ પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ આલોકનો પણ મિત્ર છે અને પરલોકનો પણ મિત્ર છે એક પુરૂષ આ લોકનો તો મિત્ર છે પરંતુ પરલોકનો મિત્ર નથી એક પુરૂષ પરલોકનો મિત્ર છે પરંતુ આલોકનો મિત્ર નથી. એક પુરૂષ આ લોકનો પણ મિત્ર નથી પરલોકનો પણ મિત્ર નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ અંતગરંગથી મિત્ર છે. અને બાહ્યમાં પણ સ્નેહપૂર્ણ વ્યવહાર કરે છે. એક પુરૂષ અંતરંગમાં મિત્રતો છે. પરંતુ, બાહ્ય સ્નેહ પ્રદર્શીત નથી કરતો. એક પુરુષ બાહ્ય સ્નેહ તો પ્રદર્શીત કરે છે પરંતુ અંતરંગમાં શત્રુભાવ રાખે છે. એક પુરૂષ અન્તરંગમાં પણ શત્રુભાવ રાખે છે અને બાહ્ય વ્યવહારથી પણ શત્રુ છે. પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે-એક પુરૂષ દ્રવ્યથી મુક્ત છે અને ભાવ આસક્તિથી પણ મુક્ત છે- એક પુરૂષ દ્રવ્ય થી તો મુક્ત છે પરંતુ ભાવ થી મુક્ત નથી. એક પુરૂષ ભાવથી તો મુક્ત છે. પરંતુ દ્રવ્ય થી મુક્ત નથી. એક પુરૂષ દ્રવ્યથી પણ મુક્ત નથી અને ભાવથી પણ મુક્ત નથી. પુરૂષ ચાર પ્રકારના છે જેમકે- એક પુરૂષ (આસક્તિથી) તો મુક્ત છે પરંતુ (સંયત વેષનો ધારક ન હોવાથી) મુક્ત નથી-શિવકુમાર વતુ એક પુરૂષ સંયતવેષનો ધારક છે તેથી મુક્ત રૂપ તો છે પરંતુ આસકિત હોવાથી મુક્ત નથી. એક પુરૂષ આસક્તિ હોવાથી મુક્ત પણ નથી અને સંયત વેષભૂષાના ધારક ન હોવાથી મુક્ત નથી. [૩૯૮] પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવો મરીને ચાર ગતિઓમાં ઉત્પન્ન થાય છે ચારેગતિઓમાંથી આવીને પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. જેમકે- નરયિકોથી. તિર્યચોથી. મનુષ્યોથી, અને દેવતાઓથી. મનુષ્ય મરીને ચારે ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને ચારે ગતિઓમાંથી આવીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. [૩૯] બેઈન્દ્રિય જીવોની હિંસા નહિ કરવાવાળા ચાર પ્રકારનો સંયમ કરે છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy