SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - ૩૧૦ ઠા-૪૪૩૮૭ દય છે. એક પુરુષ પૂર્ણ છે પરંતુ મલિન Æય છે. એક પુરુષ ધન અથવા શ્રુતાદિ વડે રહિત છે પણ ઉદાર દૃય છે. એક પુરુષ કૃતાદિ વડે અને ઉદાર દ્ભય બનેથી અપ્રિય છે. કુંભ ચાર પ્રકારના છે- એક કુંભ (જલથી) પૂર્ણ છે પરંતુ તેમાંથી પાણી ઝરે છે. એક કુંભ (જલથી) પૂર્ણ છે પરંતુ તેમાંથી પાણી ઝરતું નથી. એક કુંભ (જલથી) અપૂર્ણ છે અને તેમાંથી પાણી ઝરે છે એક કુંભ અપૂર્ણ છે પરંતુ ઝરતો નથી. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના છે- એક પુરૂષ (ધન અથવા મૃતથી) પૂર્ણ છે અને ધન અથવા મૃત આપે પણ છે. એક પુરૂષ પૂર્ણ છે પરંતુ આપતો નથી. એક પુરૂષ અપરિપૂર્ણ છે પરંતુ યથાશક્તિ અથવા યથાજ્ઞાન આપે છે. એક પુરૂષ અપૂર્ણ છે અને આપતો પણ નથી કુંભ ચાર પ્રકારના છે. ફૂટેલો,જર્જરિત, કાચો, પાકો એવી જ રીતે પુરૂષો ચાર પ્રકારના છે- એક પુરૂષ મુલ પ્રાયશ્ચિત યોગ્ય છે. એક પુરૂષ છેદાદિ પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. એક પુરૂષ સૂક્ષ્મ અતિચારયુક્ત છે. એક પુરૂષ નિરતિચાર ચારીત્રી છે. - કુંભ ચાર પ્રકારના છે- એક મધનો કુંભ છે અને તેનું ઢાંકણ પણ મધનું છે. એક મધનો કુંભ અને વિષનાં ઢાંકણવાળો હોય છે. એક વિષનો કુંભ અને મધનું ઢાંકણ હોય છે. એક વિષનો કુંભ અને વિષનાં ઢાંકણવાળો હોય છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના એક પુરૂષ સરલ દય અને મધુરભાષી છે. એક પુરૂષ સરલ દય છે પરંતુ કટુભાષી એક પુરૂષ માયાવી અને કટુભાષી છે. એક પુરૂષ માયાવી છે પરંતુ મધુરભાષી છે. ૩િ૮૮-૩૯૧] જે પુરૂષનું દય નિષ્પાપ અને નિર્મળ છે અને જેની જીભ પણ સદા મધુર ભાષિણી છે. તે પુરૂષને મધના ઢાંકણાવાળા મધુકુંભની ઉપમા અપાય છે. જે પુરુષનું દૃય નિષ્પાપ અને નિર્મળ છે પરંતુ તેની જીભ સદા કટુભાષી છે તો તે પુરૂષને વિષાપૂરિત ઢાંકણાવાળા મધુકુંભની ઉપમા અપાય છે. જે પાપી અને મલિન હૃદય છે અને જેની જીભ સદા મધુરભાષિણી છે. તે પુરુષ ને મધપૂર્ણ ઢાંકણાવાળા વિષકુંભની ઉપમા અપાય છે. જે પાપી અને મલિન દૃય છે. અને જેની જીભ પણ સદા કટુભાષિણી છે. તે પુરૂષને વિષપૂરિત ઢાંકણાવાળા વિષકુંભની ઉપમા અપાય છે. [૩૨] ઉપસર્ગ ચાર પ્રકારના છે. જેમકે- દેવસંબંધી, મનુષ્યસંબંધી, તિર્યંચ સંબંધી, આત્મકત પોતાથી કરાયેલ. દેવસંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે, જેમકે- દેવ ઉપહાસથી ઉપસર્ગ કરે છે, દ્વેષ કરીને ઉપસર્ગ કરે છે, પરીક્ષાને બહાને ઉપસર્ગ કરે છે, વિવિધ હેતુઓથી ઉપસર્ગ કરે છે. મનુષ્યસંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે, જેમકેમનુષ્ય ઉપહાસમાં છે. દ્વેષ કરીને પરીક્ષાને બહાને કે મૈથુન સેવવાની ઈચ્છાથી ઉપસર્ગ કરે છે. તિર્યંચ સંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે. જેમકે- તિર્યંચ ભયભીત થઈને ઉપસર્ગ કરે છે. દ્વેષભાવથી, આહાર ને માટે કે સ્વસ્થાનની રક્ષાને માટે ઉપસર્ગ કરે છે. આત્માથી કરાયેલ ઉપસર્ગ ચાર પ્રકારે છે- સંઘટણથી- આંખમાં પડેલી રજને હાથે ચોળવાથી પીડા થાય છે. પડી જવાથી પીડા થાય છે. અધિક સમય સુધી આસન પર બેસવાથી પીડા થાય છે. પગ સંકુચિત કરી અધિક સમય સુધી બેસવાથી પીડા થાય છે. ૩૩]કર્મ ચાર પ્રકારના છે- એક કર્મપ્રકૃતિ શુભ છે અને તેનો હેતુ પણ શુભ છે. એક કર્મપ્રકૃતિ શુભ છે પરંતુ તેનો હેતુ અશુભ છે. એક કર્મપ્રકૃતિ અશુભ છે પરંતુ તેનો હેતુ શુભ છે. એક કર્મપ્રકૃતિ અશુભ છે અને તેનો હેતુ પણ અશુભ છે. કર્મ ચાર પ્રકારના છે- એક કર્મ પ્રકૃતિનો બંઘ શુભ રૂપમાં થયો અને તેનો ઉદય પણ શુભ રૂપમાં થયો પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy