SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-૩ ૨૫ યાવતું આસકત નથી થતો. તેના મનમાં એવો વિકલ્પ આવે છે કે મનુષ્ય લોકમાં મારા આચાર્ય છે, ઉપાધ્યાય છે, પ્રવર્તક છે, સ્થવિર છે, ગણી છે, ગણધર છે, અને ગણાવચ્છેદક છે. તેમના પ્રભાવથી મને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ આદિ લબ્ધ થઈ, પ્રાપ્ત થઈ અને સામે આવી છે. તેથી હું અહીંથી મનુષ્ય લોકમાં જઈ તેમને વંદના કરું યાવતુ તેમની પર્યાપાસના કરું. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ કામભોગોમાં મૂચ્છિત યાવતું આસકત નથી થતો. તેના મનમાં વિકલ્પ આવે છે કે મનુષ્ય ભવમાં જ્ઞાની અથવા દુષ્કર તપ કરવાવાળા તપસ્વી છે તે ભગવન્તોની વંદના કરું યાવતુ- પર્યપાસના કરે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત યાવતુ-આસકત નથી થતો. અને તેના મનમાં એવો વિકલ્પ આવે છે કે મનુષ્ય ભવમાં મારા માતા, પિતા, ભાઈ, બેન પૂત્રવધૂ આદિ છે. તેની સમીપ જાઉં અને તેને બતાવું કે મને આવી દિવ્ય ઋદ્ધિ અને દેવતી પ્રાપ્ત થઈ છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-યાવત આસકત નથી થતો. તેના મનમાં એ વિકલ્પ આવે છે, કે મનુષ્ય લોકમાં મારા મિત્રો છે, સહાયક છે, સખા છે, સાંગતિક છે, તે અને મેં પરસ્પરમાં સંકેત કર્યો છે. વચન આપ્યું છે. કે જે પહેલા દેવલોક જાય તે બીજાને પ્રતિબોધ દવા આવે. [૩૪] લોકોમાં એટલે લોકના અમુક ભાગમાં ચાર કારણોને લીધે અંધકાર વ્યાપી જાય છે. જિનેન્દ્ર દેવના નિવણ કાળે, અહંતપ્રજ્ઞપ્ત ધર્મ લુપ્ત થવા પર પૂવનું જ્ઞાન નષ્ટ થવા પર, (બાદર) અગ્નિ ન રહેવા પર. ચાર કારણોને લીધે લોકમાં ઉદ્યોત થાય છે. જેમકે- જિનેન્દ્ર દેવના જન્મ સમયે જિનેન્દ્ર પ્રવ્રજિત થાય ત્યારે, તીર્થકરોને કેવળજ્ઞાન થાય ત્યારે, અહંન્ત પ્રભુ નિવણ મહિમા અવસરે એ પ્રમાણે દેવલોકમાં અંધકાર, ઉદ્યોત, દેવ સમુદાયનું એકત્રિત થવું, ઉત્સાહીત થવું અને આનંદજન્ય કોલાહલ થવો, આ રીતે દરેકના ફક્ત ચાર ચાર કારણો કહેવા. દેવન્દ્રચાવતુ-લોકાન્તિક દેવો ચાર કારણોથી મનુષ્ય લોકમાં આવે છે.” [૩૪૭] ચાર દુઃખશય્યાઓ કહી છે. જેમકે- પ્રથમ દુખશય્યા એક મનુષ્ય મુંડિત થઈને અથતુિ “ગૃહસ્થાવસ્થાનો પરિત્યાગ કરી અણગાર અવસ્થાને અંગીકાર કરીને” નિગ્રંથપ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા કરે છે તો તે માનસિક દુર્વિદ્યામાં ધર્મવિપરીત વિચારોથી નિગ્રંથ પ્રવચનમાં અશ્રદ્ધા, અપ્રતીતિ અરુચિ રાખવા પર શ્રમણનું મન સદા વિવિધ વિષયો પ્રવૃત્ત થાય છે. તેથી તે ધર્મભ્રષ્ટ થઈ જાય છે, તે પ્રથમ દુઃખશય્યા છે. બીજી દુખશયા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવતુ-પ્રવ્રજિત થઈ પોતાને જે આહારાદિ પ્રાપ્ત છે તેથી સંતુષ્ટ નથી થતો અને બીજાને જે આહારાદિ પ્રાપ્ત છે તેની ઇચ્છા કરે છે. એવા શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમે છે. તેથી ધર્મભ્રષ્ટ થઈ જાય છે આ બીજી દુખશધ્યા. ત્રીજી દુખશવ્યા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવતુપ્રવ્રજિત થઈ મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદનચાવતુ-અભિલાષા કરે છે. તે શ્રમણનું મન સદા વિવિધ વિષયોમાં ભમે છે, તેથી તે ધર્મભ્રષ્ટ થાય છે. તે ત્રીજા દુઃખશય્યા છે. ચોથી દુખશધ્યા, એક વ્યક્તિ મુંડિત થઈને ચાવતુપ્રવ્રજિત થઈને એમ વિચારે છે કે હું ગૃહસ્થાવાસમાં હતો ત્યારે માલિશ, મર્દન સ્નાન, આદિ નિયમીત કરતો હતો જ્યારથી હું પ્રવ્રુજિત થઈ ગયો છું ત્યારથી માલિશ મર્દન ખાન આદી કરી શકતો નથી, એ પ્રમાણે માલિશ આદિની ઈચ્છાયાવતુ અભિલાષા કરે છે તેનું મન વિવિધ વિષયોમાં ભમે છે. તેથી તે સંયમભ્રષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy