SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-ર, ઉદેસી-૩ ૨૩૯ હરિકાન્તા. એ પ્રમાણે નિષધ વર્ષઘર પર્વતનાં તિગિચ્છદ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે, તેનાં નામ-હરિતા અને શીતોદા. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં નીલવાન વર્ષઘર પર્વતનાં કેસરીદ્રહમાંથી બે મહાનદિઓ પ્રવાહિત થાય છે. તેના નામ શીતા અને નારીકાંતા. એ પ્રમાણે રુકિમ વર્ષઘર પર્વતનાં મહાપુન્ડરીક દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે. તેના નામ-નરકાન્તા અને રૂપ્યકુલા જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણ ભરતક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ છે. જે અતિ સમાન છે યાવતું તેના નામ ગંગાપ્રપાતદ્રહ અને સિન્ધપ્રપાતદ્રહ એ પ્રમાણે હૈમવત વર્ષમાં બે પ્રપાતદ્રહ છે જે બહુ સમાન છે યાવતુ તેના નામ રોહિતપ્રપાત દ્રહ અને સિન્ધપ્રપાત દ્રહ. એ પ્રમાણે હૈમવત વર્ષમાં બે પ્રપાતદ્રહ છે. જે બહુમાન છે યાવત તેનાં નામ રોહિતપ્રપાતદ્રહ અને રોહિમાંશપ્રપાતદ્રહ જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં મહાવિદેહ વર્ષમાં બે પ્રપાતદ્રહ છે જે અતિસમાન છે- યાવતુ તેનાં નામ શીતપ્રપાત દ્રહ અને શીતોપદાપ્રપાત દ્રહ. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં રમ્યફ વર્ષમાં બે પ્રપાતદ્રહ છે તે અતિ સમાન છે. યાવતું તેનાં નામ નરકાંતાપ્રપાત અને નારીકાન્તાપ્રપાતદ્રહ. આ પ્રમાણે હરણ્યવિતમાં બે પ્રપાત દ્રહ છે. તેના નામ- સુવર્ણફલ પ્રપાત દ્રહ અને રુ...કુલ પ્રપાત દ્રહ. જબૂદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રમાં બે પ્રપાત દ્રહ છે. તે અતિસમાન છે યાવતુ તેના નામ-રક્તપ્રપાત દ્રહ અને રક્તાવતી પ્રપાત દ્રહ. જમ્બુદ્વીપવત મેરૂ પર્વતથી દક્ષિણમાં ભરત વર્ષમાં બે મહાનદીઓ છે. જે અતિસમાન છે. યાવતુ તેના નામ-ગંગા અને સિધુ. આ પ્રમાણે જેના પ્રપાત દ્રહ કહેલ તેની નદીઓ પણ સમજી લેવી જોઇએ ઐરાવત વર્ષમાં બે મહાનદીઓ છે જે અતિસમાન તુલ્ય છે. રક્તા અને રક્તવતી. [૮] જમ્બુદ્વીપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાળમાં દુષમ નામક આરાનો કાળ બે ક્રોડા-કોડી સાગરોપમ પ્રમાણ હતો. આ પ્રમાણે આ અવસર્પિણીના માટે પણ સમજવું જોઈએ. એ પ્રમાણે આગામી ઉત્સર્પિણીના યાવતુ સુષમદુષમ આરાનો કાળ બે ક્રોડાકોડી સાગરોપમનો હશે. જમ્બુદ્વીપવર્તી ભરત એરવત ક્ષેત્રમાં ગત ઉત્સક્સિીના સુષમ નામક આરામાં મનુષ્ય બે કોસ ઊંચાઈવાળા હતા તથા બે પલ્યોપમની આયુષ્યવાળા હતા. આ પ્રમાણે આ અવસર્પિણીમાં - યાવતુ - બે પલ્યોપમનું આયુષ્ય હશે. જમ્બુદ્ધિપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક યુગમાં બે અહંત વંશ ઉત્પન્ન થયા. ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થશે. એ પ્રમાણે ચક્રવર્તી વંશ અને બે દશાહવંશ પણ ઉત્પન્ન થયા થાય છે અને થશે. જમ્બુદ્વીપવર્તી ભરત ઐરાવત ક્ષેત્રમાં એક સમયમાં બેઅહંન્ત ઉત્પન્ન થયા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. આ જ પ્રમાણે ચક્રવર્તી પણ સમજવા. એ જ પ્રમાણે બલદેવ અને વાસુદેવ પણ ઉત્પન્ન થયા, ઉત્પન થાય છે અને ઉત્પન્ન થશે. જમ્બુદ્વીવર્તી કુરક્ષેત્રમાં મનુષ્ય સદા સુષમ સુષમ કાળની ઉત્તમ દ્ધિને પ્રાપ્ત કરી તેના અનુભવ કરતા રહે છે. તે છે દેવકુરૂ અને ઉત્તરકુર. જબૂદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમ સુષમકાળની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનાં અનુભવ કરતાં રહે છે તે છે. દેવકુર અને ઉત્તરકુરૂ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમકાળની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભ કરતા થકા રહે છે જેમ કે હરિવર્ષ અને રમ્યફ વર્ષ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમ દુષમની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભવ કરતા વિચારે છે જેમ કે-હેમવત અને હિરણ્યવત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy