SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ૧૯૯ પુગલોથી બનેલા શરીરોવાળા હોય છે, તે જીવ કર્મને વશીભૂત થઈ ત્યાં ઉત્પન્ન થાય છે તેમ શ્રી તીર્થંકર ભગવાને કહ્યું છે. [૬૭] શ્રી તીર્થંકરે વનસ્પતિના અન્ય પણ ભેદ વર્ણવ્યા છે. આ લોકમાં કોઇ જીવ વૃક્ષથી ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં સ્થિત રહે છે. તથા વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે વૃક્ષથી ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત અને તેમાં જ વૃદ્ધિ પામતાં જીવ કર્મને વશીભૂત. બનીને કર્મથી પ્રેરિત બનીને વનસ્પતિ કાયમાં આવી વૃક્ષથી ઉત્પન વૃક્ષમાં અધ્યારૂહ વનસ્પતિના રૂપમાં ઉત્પન હોય છે. તે જીવ તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય પર્વતના શરીરના રસનો આહાર કરે છે. તેવો આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂપ વૃક્ષોના વિવિધ પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા અનેકવિધ રચનાવાળા બીજા શરીરો પણ હોય છે. તે તે શરીરને જીવપૂર્વના કર્મ અનુસાર પ્રાપ્ત કરે છે, એમ તીર્થંકરો કહે છે. [૬૮] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના અન્ય ભેદ પણ કહ્યા છે. કોઈ પ્રાણી અધ્યારૂહ વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે, તેઓમાંજ સ્થિત રહે છે અને તેઓમાંજ વૃદ્ધિ પામે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ ત્યાં આવી વૃક્ષથી ઉત્પન અધ્યારૂહ વૃક્ષમાં અધ્યારૂહ રૂપથી ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરના રસનો પણ આહાર કરે છે અને આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના અનેક વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને રચનાવાળા બીજા શરીરો પણ હોય છે. ૬૮૧] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિ કાયના અન્ય ભેદ પણ કહ્યા છે. આ લોકમાં કોઈ જીવ અધ્યારૂહ વૃક્ષોથી ઉત્પન્ન હોય છે. અને તેમાં સ્થિત રહે છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ ત્યાં આવે છે અને અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષોમાં અધ્યારૂહ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના રસનો આહાર કરે છે તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિનો પણ આહાર કરે છે. આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના મૂળ અને બીજ આદિના વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને રચનાવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ ભગવાને કહ્યું છે. [૬૮] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિના બીજા પણ ભેદ કહ્યા છે. આ જગતમાં કોઈ કોઈ જીવ અધ્યારૂહ વૃક્ષોથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે અને તેમાંજ વૃદ્ધિ પામે છે. તે પોતાના પૂર્વકત કર્મથી ત્યાં આવે છે અને અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષોમાં મૂળ તથા કન્દ આદિથી લઈ બીજ સુધીનારૂપે ઉત્પન થાય છે. તે જીવ અધ્યારૂહ યોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. અધ્યારૂહ યોનિક મૂળ અને બીજ આદિના અનેક વર્ણ -ગલ્પ-રસ અને સ્પર્શવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ શ્રી તીર્થકરોએ કહેલ છે. [૬૮૩] શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયનો અન્ય પણ ભેદ કહ્યો છે. તે આ પ્રમાણે-કોઈ પ્રાણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે. તેમાંજ વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામીને અનેક પ્રકારની જાતિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ તૃણયોનિમાં ઉત્પન્ન થાય છે. એમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. [૬૮૪] આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીયોનિક તૃણોમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy