SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સૂયગડો - ૨/૨/૯/૬૫૦ પુરુષને નિષ્પ્રયોજન પ્રાણીઓની ઘાતનું કર્મ બંધાય છે આ બીજું અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાયું. [૫૧] ત્રીજું ક્રિયાસ્થાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. કોઇ પુરુષ એમ વિચારે કેએમણે મને કે મારા સંબંધીને કે બીજાને કે બીજાના સંબંધીને માર્યા છે, મારે છે અથવા મારશે. આ પ્રમાણે વિચાર કરીને તે ત્રસ સ્થાવર પ્રાણીઓને દંડ આપે છે, બીજા પાસે દંડ અપાવે છે, અન્ય કોઇ દંડ આપે તો અનુમોદન કરે છે. તેવા પુરુષને હિંસાપ્રત્યયિક સાવઘકર્મનો બંધ થાય છે. આ ત્રીજું હિંસાદંડપ્રત્યયિક ક્રિયાસ્થાન. [૫૨] હવે ચોથું ક્રિયાસ્થાન અકસ્માત્-દંડ-પ્રત્યયિક વિષે કહેવામાં આવે છે. જેમ કોઈ શિકાર ખેલનાર પુરુષ સઘન અટવીમાં અથવા દુર્ગમ વનમાં જઈને મૃગને મારવાની ઇચ્છા કરીને મૃગને મારવાનો સંકલ્પ કરે છે, મૃગનું ધ્યાન કરે છે તથા તે મૃગને મારવા માટે ગયેલ છે. ત્યાં મૃગને જોઇને “આ મૃગ છે” એમ વિચારીને ધનુષ ઉપર બાણ ચડાવે-બાણ છોડે છે, પરંતુ મૃગને બદલે તે તીર, તીતર પક્ષી, બટેર, ચકલી, લાવક કબૂતર, બંદર, કંપીજલમાંથી કોઇ પણ પક્ષી ને વીંધી નાખે છે તો આવી પરિસ્થિતિમાં તે પુરુષ બીજાની ઘાત માટે પ્રયુક્ત દંડથી અન્યની ઘાત કરે છે. ના દંડ ઇચ્છા ન હોવા છતાં અચાનક થાય છે એટલા માટે અકસ્માત્ દંડ કહેવાય છે. જેમ કોઇ પુરુષ શાલિ, વ્રીહિ, કોદ્રવ, ઠંગુ, પરાગ અને રાળના છોડને છેદે અને અન્ય તૃણાદિને શસ્ત્રો અડી જાય અને હું શ્યામાક, તૃણ, કમોદ આદિને કાપું છું, એવા આશયને લક્ષમાં રાખીને કાપે પણ લક્ષ્ય ચૂકી જતા શાલિ, બ્રીહિ, કોદ્રવ, કંગુ અને રળના છોડનું છેદન કરી નાખે, અન્યને બદલે અન્યનું છેદન થવાથી તે પુરુષને અકસ્માત્ દંડની ક્રિયા લાગે છે. તેથી તે સાવધકર્મનો બન્ધન કરે છે. આ ચોથું ક્રિયાસ્થાન થયું... [૫૪] હવે દૃષ્ટિવિપર્યાસ નામનું પાંચમું ક્રિયાસ્થાન કહેવાય છે. જેમ કોઇ પુરૂષ, માતા, પિતા ભાઇ, બહેન, સ્ત્રી, પુત્ર, કન્યા અને પુત્રવધૂની સાથે નિવાસ કરતો હોય અને પોતાના મિત્રને શત્રુ સમજીને ભ્રમથી તેને મારી નાખે તે દૃષ્ટિની વિપરીતતાને કારણે દૃષ્ટિવિપર્યાસ દંડ કહેવાય છે. જેમ કોઇ પુરુષ ગ્રામ, નગર, ખેડ, કર્વટ (પહાડોની વચમાં વસેલું ગામ) મટુંબ (જેની આજુ બાજુ યોજન સુધી કોઇ ગામ ન હોય તેવું ગામ) દ્રોણમુખ, પટ્ટણ (જ્યાં સર્વવસ્તુઓ મળતી હોય) આશ્રમ (તાપસોનું નિવાસસ્થાન) સન્નિવેશ (મંડી) નિગમ (વ્યાપારનું મુખ્યસ્થાન) અને રાજધાનીમાં યાતના સમયે ચોર જે નથી તેને ચોર સમજીને મારે, ભ્રમથી ઘાત કરે, તો તે પુરુષ દૃષ્ટિવિપર્યાસથી-એક પ્રાણીના ભ્રમથી બીજાને માર્યો તેને દૃષ્ટિવિપર્યાસઇડ પ્રત્યયિક ક્રિયા લાગે છે. આ પાંચમું દૃષ્ટિવિપર્યાસ દંડ પ્રત્યયિક નામનું ક્રિયાસ્થાન કહેવાયું. [૫૪] હવે છઠું ક્રિયાસ્થાન મૃષાપ્રત્યયિક કહેવાય છે. જેમ કોઇ પુરુષ પોતાને માટે, જ્ઞાતિ માટે, ઘરને માટે, અને પરિવાર માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવે અને જે અસત્ય બોલે છે તેને અનુમોદન આપે તે પુરુષને મૃષા પ્રત્યયિક કર્મબન્ધ હોય છે. આ છઠું ક્રિયાસ્થાન મૃષા પ્રત્યયિક કહેવામાં આવ્યું...હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાદાનપ્રત્યયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિ માટે, ગૃહ માટે અથવા પરિવાર માટે સ્વયં અદત્તને ગ્રહણ કરે છે, અન્યની પાસે કરાવે છે અને કરતાને અનુમોદન આપે છે, તેને અદત્તાદાન પ્રત્યયિક પાપનો બન્ધ થાય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy