SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૧, ૧૫૯ કહેલો આ અતિ કઠણ માગ ક્રમશઃ હું તમને બતાવું છું. જેમ વ્યાપાર કરનાર વણિકુ સમુદ્રને પાર કરે છે, તે પ્રમાણે આ માર્ગનું અવલંબન લઈને અનેક આત્માઓ તરી ગયા. છે. મોક્ષના માર્ગને ગ્રહણ કરીને ભૂતકાળમાં અનંત જીવોએ સંસાર-સમુદ્રને પાર કર્યો છે, વર્તમાનમાં પાર કરે છે અને ભવિષ્યમાં પાર કરશે. આ માર્ગ મેં ભગવાનું મહાવીર પાસેથી સાંભળેલો છે. તે તમને કહું છું. તમે તે સાંભળો. પિ૦૩-૫૦૬] પૃથ્વી જીવ છે તથા પૃથ્વીને આશ્રિત પણ જીવ છે તે પૃથક-પૃથક રહેલા છે. તથા જળ અને અગ્નિ પણ જીવ છે. વાયુકાયના જીવ પણ ભિન્ન ભિન્ન છે તથા તૃણ, વૃક્ષ અને બીજ પણ જીવ છે. વનસ્પતિકાયના અનંત જીવ છે. ઉપરોક્ત પાંચ સિવાય છઠ્ઠા ત્રસકાયના જીવો પણ છે. તીર્થંકર દેવોએ આ છ ભેદ બતાવ્યા છે. તે સિવાય સંસારમાં બીજા કોઈ જીવ નિકાંય નથી. જ્ઞાની પુરુષ બધી યુક્તિઓ વડે આ જીવોનું જીવપણું જાણીને તથા આ બધા જીવો દુઃખથી ભય પામે છે એવું વિચારીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. જ્ઞાની પુરુષનું એજ ઉત્તમ જ્ઞાન છે કે તે કોઈ પણ જીવની હિંસા કરતા નથી. અહિંસાના સમર્થક શાસ્ત્રોનો એટલો જ સિદ્ધાંત છે. પિ૦૭-૫૦૮] ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિર્થક દિશામાં જે કોઈ પણ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તે બધાની હિંસાથી નિવૃત્ત રહેવું જોઈએ. કારણ કે તેનાથી જીવને શાંતિમય મોક્ષની પ્રાપ્તિ કહેલી છે. જિતેન્દ્રિય પુરુષ મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરીને મન, વચન અને કાયાથી જીવન પર્યત કોઇ પણ પ્રાણીની સાથે વૈરવિરોધ ન કરે. [પ૦૯-૫૧૧] આશ્રવારોનો વિરોધ કરનાર મહાપ્રજ્ઞાવાનું તેમજ પરિષહઉપસર્ગ આવવા છતાં દુઃખિત ન થનાર સાધુ ગૃહસ્થ આપેલો ઐષણિક આહાર-પાણી જ ગ્રહણ કરે છે. તથા સદા એષણા સમિતિથી યુક્ત રહીને અનૈષણિક વસ્તુને વર્જ. જે આહાર પ્રાણીઓનો આરંભ કરીને બનાવ્યો હોય, સાધુને આપવાના નિમિત્તે બનાવ્યો હોય એવો અન્નપાણી ઉત્તમ સાધુ પ્રહણ ન કરે. આધાકર્મી આહારના એક કણથી પણ મળેલો આહાર સાધુ ગ્રહણ ન કરે. શુદ્ધ સંયમ પાળનાર સાધુનો આ જ ધર્મ છે. આ શુદ્ધ આહારમાં પણ જો અશુદ્ધિની શંકા તો તેને પણ ગ્રહણ ન કરે. [પ૧૨-પ૧] શ્રાવકોના નિવાસસ્થાન ગામ અને નગરમાં હોય છે. માટે તે સ્થાનમાં રહેલો આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ જીવહિંસા કરનારને અનુમોદના ન આપે. તેના સમારંભ યુક્ત વચન સાંભળીને સાધુ પુણ્ય છે એવું ન કહે તથા પુણ્ય નથી, એમ કહેવું તે પણ મહાનું ભયનું કારણ છે. અન્નદાન કે જળદાન આપવામાં ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે, તેમની રક્ષા માટે સાધુ “પુણ્ય થાય છે” એવું ન કહે. જે પ્રાણીઓને દાન આપવા માટે અન્ન અને પાણી તૈયાર કરવામાં આવે છે તે પ્રાણીઓના લાભમાં અંતરાય પડે છે માટે “પુણ્ય નથી” એમ પણ સાધુ ન કહે. જીવહિંસા દ્વારા નિષ્પન્ન દાનની જે પ્રશંસા કરે છે તેઓ પ્રાણીઓના વધની ઈચ્છા કરે છે- અનુમોદના કરે છે અને જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ પ્રાણીઓની આજીવિકાનું છેદન કરે છે. [૧૧૭] સંપૂર્ણ રૂપથી આરંભના ત્યાગી સાધુ પૂર્વોક્ત જીવહિંસા જનિત દાનના વિષયમાં પુણ્ય છે અથવા પુણ્ય નથી, એ બન્ને વાત કહેતા નથી. આ રીતે કર્મમળને આવવાનો ત્યાગ કરીને સાધુ નિવણિપદને પ્રાપ્ત કરે છે. [૧૧૮] જેમ બધા નક્ષત્રોમાં ચંદ્રમાં પ્રધાન છે, તેવી રીતે બધી ગતિઓમાં મોક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy