SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૪, ઉદ્દેસ-૨ ૧૪૩ [૨૯] જેમણે સ્ત્રીંસંપર્ક નિત કર્મોને દૂર કર્યા છે તથા જે રાગ દ્વેષથી રહિત છે તેવા વી૨ પ્રભુએ પૂર્વોક્ત વાત કહી છે. માટે નિર્મળ ચિત્તવાળા તેમજ સ્ત્રી સંપર્ક-વર્જિત સાધુ મોક્ષ પર્યન્ત સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. એમ હું કહું છું. અધ્યયનઃ ૪- ઉદ્દેસો ઃ ૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યનનઃ૪-ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ૫-નરકવિભક્તિ -: ઉદ્દેસો - ૧ઃ [૩૦૦-૩૦૧] મેં પહેલાં કેવળજ્ઞાની મહર્ષિ ભગવાન્ મહાવીર સ્વામીને પૂછ્યું હતું કે નરકમાં કેવી પીડા ભોગવવી પડે છે ? હે ભગવાન્ ! આપ જ્ઞાન દ્વારા જાણો છો માટે અજ્ઞાન એવા મને બતાવો, અને એ પણ કહો કે અજ્ઞાની જીવ કેવી રીતે નરકમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે મેં પૂછ્યું ત્યારે અતિશય માહાત્મ્ય સંપન્ન, સદા ઉપયોગવાન, આશુપ્રજ્ઞ કાશ્યપ ગોત્રી ભગવાન્ મહાવીર સ્વામીએ કહ્યું કે નરકસ્થાન ઘણું જ દુઃખદાયી છે, તથા છદ્મસ્થને માટે તેનો અર્થ દુર્ગમ છે, ત્યાં પાપી અને દીન જીવો નિવાસ કરે છે, તે દુઃખસ્થાનનું સ્વરૂપ હું બતાવીશ. [૩૦૨-૩૦૪] આ સંસારમાં પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનાર, રુદ્ર, અસંયમ જીવનની ઈચ્છા કરનાર અજ્ઞાની જીવો જીવહિંસા વગેરેના પાપો કરે છે તેઓ તીવ્ર તાપ તથા ઘોર અંધકારવાળા નરકમાં જાય છે. જે જીવ પોતાના સુખને માટે ત્રસ અને સ્થાવર જીવોની ક્રૂરતા પૂર્વક હિંસા કરે છે, પ્રાણીઓનું ઉપમર્દન કરે છે, અદત્ત ગ્રહણ કરે છે અને સેવન કરવા યોગ્ય સંયમનું થોડું પણ સેવન કરતા નથી તે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. જે જીવ પ્રાણીઓની હિંસા કરે છે અને ધૃષ્ટતા પૂર્વક વચન બોલે છે જેમકે - વેદમાં કહેલ હિંસા તે હિંસા ન કહેવાય, શિકાર ખેલવો એતો રાજાનો ધર્મ છે, તથા જે તીવ્ર ક્રોધી હોય, તે અજ્ઞાની મરીને નીચે અંધકારમય નરકમાં ઊંધે માથે મહાકષ્ટ ભોગવે છે. [૩૫] નારકી જીવ મારો, કાપો, ભેદન કરો, બાળો, આવા પરમાધાર્મિકોના શબ્દો સાંભળીને ભયથી સંજ્ઞાહીન બની જાય છે અને તેઓ વિચારે છે કે અમે કઈ દિશામાં ભાગી જઇએ કે જેથી અમારી રક્ષા થાય ? [૩૦૬] જાજ્વલ્યમાન અગ્નિની રાશિ સમાન તથા અગ્નિમય ભૂમિ સમાન અત્યંત ગરમ નરકભૂમિમાં ચાલતાં નારક જીવો જ્યારે દાડે છે ત્યારે જોર જોરથી કરુણ રુદન કરે છે. તેઓ ચિરકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. [૩૦૭-૩૦૮] અસ્ત્રા જેવી તેજ તેજ ધારવાળી વૈતરણી નદી વિષે તમે કદાચિત્ સાંભળ્યું હશે. તે નદી ઘણી દુર્ગમ છે. તેમાં ખારું, ગરમ અને રૂધીર સમાન પાણી વહે છે. જેમ આર થી પ્રેરિત અને ભાલાથી ભેદાતો મનુષ્ય લાચાર બનીને ભયંકર નદીમાં કૂદી પડે છે, તે પ્રમાણે પરમાધાર્મિકો વડે સતાવવામાં આવતા નારકજીવો ગભરાઇને તે દુર્ગમ વૈતરણી નદીમાં કૂદી પડે છે. વૈતરણી નદીના ખારા, ઉષ્ણ અને દુર્ગંધમય પાણીથી સંતપ્ત થઈ નારક જીવ જ્યારે નાવપર ચઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરમાધાર્મિકો તેમનું ગળું ખીલીથી વીંધી નાખે છે, તેથી તેઓ સ્મૃતિહીન બની જાય છે. તેમજ બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy