SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પૂર્વધર એવા ઉપશાન્ત કે ક્ષીણ કષાયી ને શુકલ ધ્યાનના પ્રથમ બે ભેદ વર્તે છે. જયારે અપૂર્વધરને ધર્મધ્યાન વર્તે છે. આત્મવિકાસની કક્ષા સાથે સમ્યક્ શ્રુત પણ કેટલું ઉપયોગી કે જરૂરી છે. તેનો આદર્શ સાક્ષીપાઠ આ સૂત્રમાંથી આપણને મળે છે. કેમ કે ઉપશાન્ત કે ક્ષીણ કષાયી મુનિની આત્મવિકાસની કક્ષાતો ૧૧ મુંકે ૧૨મું ગુણસ્થાનક હોવાથી સમાન જ છે. પરંતુ પૂર્વને ધારણ કરવા કે ન કરવાને કારણ તેઓને શુકલ કે ધર્મ ધ્યાન અનુક્રમે કહ્યું છે. આ વિધાનોનો અર્થ જ એ છે કે સમ્યક જ્ઞાન પણ ધ્યાનની ધારાને વધુ શુધ્ધ બનાવવા માટેનું એક અતિ ઉપયોગી પરીબળ છે. માટેઆત્મવિકાસની સાથેસાથેસમ્યક્દાનમાં પણ વૃધ્ધિ થવી આવશ્યક છે. છેલ્લે તો બંને પુરુષાર્થ કેવળ જ્ઞાન અને મોક્ષમાં જ પરીણમવાના છે. જી U m અધ્યાયઃ૯-સૂત્રઃ ૪૦ [1]સૂત્રહેતુઃ-શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદના સ્વામીને આ સૂત્ર થકી જણાવે છે. ] [2]સૂત્ર:મૂળ:-રે નિ: [] [3]સૂત્રઃપૃથ-સૂત્ર સ્પષ્ટ પૃથક્ જ છે. ] [4]સૂત્રસાર:-પછીના બે, કેવળીને હોય છે. [અર્થાત્ -શુકલધ્યાનના છેલ્લા બે ભેદો-(૧)સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને (૨)વ્યુપરત ક્રિયા નિવૃત્તિ એ બંનેના સ્વામી કે અધિકારી કેવળી ભગવંતો હોય છે.] ] [5]શબ્દશાનઃ પરે-પછીના બે, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. હેવહિન-કેવળી,કેવળ જ્ઞાની આત્માઓ [] [6]અનુવૃતિઃ- (૧)સૂત્ર ૯:૩૯ મુદ્દે નાઘે (૨)સૂત્ર ૯:૨૭ ૩ત્તમસંહનનથૈ થી ધ્યાન ની અનુવૃત્તિ. [] [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ મૂળ કથન તો એટલું જ કરેછે કે શુકલધ્યાનના ત્રીજા-ચોથાભેદના સ્વામી કેવલી ભગવંતો જ હોય છે. આ સિવાય કોઇ જ વિશેષ વાત આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિએ કરી નથી. છતાં કેટલીક મહત્વની બાબતોનો અત્રેનિર્દેશનિમ્નોકત મુદ્દામાં કરેલ છે. સ્વોપશ ભાષ્યઃ- પરે દે શુદ્ધે ધ્યાને જેવનિ વ ભવત: ન છપદ્મસ્થસ્યા પરે-પરશબ્દને દ્વિ વચનમાં મુકેલ છે. તેવાત ભાષ્યમાં વધુ સ્પષ્ટ કરવા રે ઢે પદોથી જણાવી છે. તેનો અર્થ જ ‘પછીના બે’’ એવો થાય છે. શુ∞ધ્યાનેઃ- શુકલધ્યાન, જેની વ્યાખ્યા આ પૂર્વે સૂત્ર ૯:૨૯ આર્ત્તરોત્રધર્મશુનિ માં કરી છે. અને જેના ચાર ભેદ હવે પછીના સૂત્રમાં કહેવાના છે, તે શુકલધ્યાન. અહીં પણ દ્વિવચન જ મુકેલ છે. કેમ કે તેના બે ભેદો ને અહીં ધ્યાનમાં લેવાના છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy