SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૯ ૧ ૨૭ (અધ્યાયઃ૯-સૂત્ર:૨૯) U [1]સૂત્રહેતુ-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ ધ્યાન ના ચાર ભેદોને જણાવે છે. [2]સૂત્રમૂળ-માતરૌદ્રધર્મશુનિ || [3]સૂત્ર પૃથક મા - રદ્ર - ધર્મ - શુક્ર U [4] સૂત્રસાર -આ રૌદ્ર, ઘર્મ,શુકલ એિ ચાર પ્રકાર ધ્યાનના છે.] [અર્થાત ધ્યાન. ચાર પ્રકારે છે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન U [5]શબ્દજ્ઞાનઃ-દુઃખ જન્ય દ્ર-ગાઢ પરિણામ જન્ય ધર્મ-ક્ષમાદિ ધર્મયુક્ત રાવ નિર્મળ-ધ્યાન 1 [Gઅનુવૃત્તિ-૩ત્તમસંહનચૈાવનાનિરોધોધ્યાનમ્ સૂત્ર. ૧:૨૭ થી ધ્યાનમ્ U [7]અભિનવટીકા-ઉત્તમ સંહનનવાળાનો એકાગ્ર ચિન્તાનિરોધ તે ધ્યાન છે. આ ધ્યાન ના ચાર ભેદો કહ્યા છે. [૧]આર્તધ્યાન૪ શ્વત એટલે દુઃખ દુઃખના કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન. આ ધ્યાન સાંસારિક દુઃખોને કારણે ઉત્પન્ન થાય છે, અને પુનઃદુઃખનો અનુબંધ કરાવે છે. # ર્તિ એટલે દુઃખ અથવા પીડા. તેના સમ્બન્ધ થી ધ્યાન થાય છે. તે ધ્યાનને આર્તધ્યાન કહેવાય છે. આ ધ્યાન દુઃખમાંથી ઉભું થાય છે, દુઃખની પરંપરા વધારે છે. અણગમતી વસ્તુની પ્રાપ્તિ થવી તે દુઃખનું કારણ છે, કોઈ વેદના કે વ્યાધિ પણ દુઃખનું કારણ છે, પ્રિયવસ્તુ ચાલી જાય તો પણ દુઃખ થાય છે. નિયાણ પણ પ્રાયઃ મનના કોઈ દુઃખમાંથી વિશેષ સુખ મેળવવાની ઇચ્છાથી જન્મે છે. માટે આ ધ્યાનમાં દુઃખ મુખ્ય છે. # દુખાવસ્થાને પ્રાપ્ત જીવનું જ ધ્યાન-ચિન્તા છે. તેને આર્તધ્યાન કહેવામાં આવે છે. [૨]રૌદ્રધ્યાનઃ# રુદ્ર એટલે ક્રુર પરિણામથી યુકત જીવનું ધ્યાન તે રૌદ્રધ્યાન. અથવા રુદ્ર એટલે બીજાને દુઃખ આપનાર, બીજાના દુઃખમાં કારણ બને તેવા હિંસા,મૃષા,સ્તેય,પરગ્રહ એ ચારેના પરિણામથી યુકત જીવનું જે ધ્યાન તે રૌદ્રધ્યાન. 8 ક્રોધ-આદિયુકત કુર ભાવોને રૌદ્ર કહે છે. આવા પ્રકારના પરિણામોથી યુકત જે ધ્યાન તે રૌદ્રધ્યાન કહેવાય છે. # આ ધ્યાનમાંથી જન્મતાપરીણામો બીજાને રોવડાવે તેવા ભયંકર હોય છે. બીજાને દુઃખ આપવા કરેલું, કે દુઃખ આપનારાભયંકર કાર્યવખતે મનની એકાગ્રતાએ રૌદ્રધ્યાન છે. [૩]ધર્મધ્યાનઃ- [અથવા ધર્મ ધ્યાન $ ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી યુકત ધ્યાન તે ઘર્મ ઘર્મધ્યાન કહેવાય છે. [ધર્મ અથવા ધર્મ બે વિકલ્પ પાઠ છે. તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy