SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત એક કલાકમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. વાસ્તવમાં નવી જૂની શીખેલ વ્યક્તિ અથવા અભ્યસ્ત, અનભ્યસ્ત વ્યક્તિની અપેક્ષા હીનાધિક સમય થાય તે સ્વભાવિક છે. વિશેષ પરિસ્થિતિમાં અને નવા શીખેલા સાધકને ઉક્ત સમયથી અધિક સમય પણ લાગી શકે છે અર્થાત્ કોઈને કલાક, દોઢ કલાક સુધી પણ લાગી શકે છે અને કોઈને ૨૦-૨૫ મીનિટમાં પણ પૂર્ણ થઈ શકે છે. લાલ દિશા સંબંધી (સંધિકાળ) યુપકકાળ અસ્વાધ્યાય કાળ પણ ક્યારેક ૩૦, ૪૦, ૫૦ મીનિટ એવું ક્યારેક કલાકથી પણ વધારે સમયનો હોઈ શકે છે. સાર તત્ત્વ એ છે કે પ્રતિક્રમણ પ્રમાદ રહિત થઈને કરવું, પરસ્પર વાતો ન કરવી જોઈએ. છતાં કોઈને ૩૦, ૪૦, ૫૦ મીનિટ અથવા કલાક પણ લાગી જાય, તોપણ કાંઈ આગમ વિરુદ્ધ થતું નથી. વાસ્તવમાં જે મૂળ આગમકાલીન પ્રતિક્રમણ છે, તે તો અત્યંત નાનું જ છે. તે માટે તો અડધો કલાક પણ પર્યાપ્ત છે. પરંતુ વર્તમાનમાં કેટલાક પાઠ, દોહા, સવૈયા, ભજન, સ્તુતિ, પ્રતિક્રમણમાં પ્રવેશી ગયા છે. મૂળ આવશ્યક સૂત્ર તો આજ પણ ૧૦૦-૨૦૦ શ્લોક પ્રમાણ જ માનવામાં આવે છે. છતાં પણ કરવામાં આવતાંવિધિયુક્ત પ્રતિક્રમણ લગભગ એક હજારથી પાંચ હજાર શ્લોક પ્રમાણ મોટું પણ થઈ ગયું છે. આ પ્રકારે પ્રતિક્રમણના પરિમાણની સમાનતા નથી. વ્યક્તિગત ઉચ્ચારણ ગતિમાં પણ મંદતા તીવ્રતા થાય છે. એટલે સમય પણ હીનાવિક લાગે છે. જે માટે શાસ્ત્રમાં કોઈ સ્પષ્ટોલ્લેખ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કેટલાક સંકેત છે. તે અનુસાર પ્રતિક્રમણનો સમય અડધા કલાકથી લઈને સવા કલાક પણ થઈ શકે છે. (૧૯) પ્રશ્ન :- પ્રતિકમણની આજ્ઞા લીધા પછી વચમાં પ્રત્યેક આવશ્યકની આજ્ઞા લેવી જોઈએ ? જવાબ :- છ આવશ્યક તો આવશ્યક સૂત્રના અધ્યયન રૂપ વિભાજન છે. તે અધ્યયનોમાં આવેલ પાઠોને આગળ પાછળ એક અથવા અનેકવાર જોડવાથી પૂર્ણ વિધિયુક્ત પ્રતિક્રમણ થાય છે. એની વચ્ચે-વચ્ચે “આવશ્યક લગાડવું અને વારંવાર આજ્ઞા લેવી બરાબર નથી. જેમ આવશ્યક સૂત્રમાં લોગસ્સ બીજા આવશ્યક અધ્યાયમાં, ખમાસમણો ત્રીજા આવશ્યક અધ્યાયમાં છે. જો કે વિધિયુક્ત પ્રતિક્રમણમાં લોગસ્સ બે વાર અને ખમાસમણો ત્રણ વાર બોલાય છે. તો બીજો આવશ્યક બે વાર અને ત્રીજો આવશ્યક ત્રણ વાર કહેવો પડશે. એવી રીતે કરેમિભતેનો પાઠ આવશ્યક સૂત્રમાં તો પ્રથમ આવશ્યકમાં છે. જો કે વિધિયુક્ત પ્રતિક્રમણમાં ત્રણવાર બોલાય છે. તો પ્રથમ આવશ્યકની આજ્ઞા છે, એમ ત્રણ વાર બોલાશે? ના, તેમ સંભવ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy