SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૪ ર૩૩ પાઠ પછી સામાયિકની પ્રતિજ્ઞા કરેમિ ભંતેના પાઠથી વિનયપૂર્વક લેવામાં આવે છે. તસ્સ ઉત્તરીનો પાઠ પ્રત્યેક કાઉસ્સગ્ન કર્યા પહેલાં બોલવામાં આવે છે. કારણ કે તે કાઉસ્સગ્ન કરવાનો પ્રતિજ્ઞા પાઠ છે. આ વિધિના આદિમંગલ માટે નમસ્કારમંત્ર અને “મંગલ પાઠ બોલવા જોઈએ અને પ્રતિક્રમણની સમાપ્તિમાં જે રીતે સિદ્ધ સ્તુતિ નમોઘુર્ણના પાઠથી કરવામાં આવે છે, તે જ રીતે સામાયિક લેવાની વિધિના અંતમાં અને પાળવાની વિધિના અંતમાં નમોત્થણનો પાઠ બોલવો જોઈએ. સામાયિક પાળવાના અતિચાર શુદ્ધિનો પાઠ પણ અંતમાં બોલવો આવશ્યક છે અને અંતિમ મંગલની અપેક્ષા સામાયિક સમાપ્ત કરતાં સમયે નમસ્કારમંત્ર બોલવો, એ પણ બરાબર છે. આ આવશ્યક તત્ત્વો સામાયિકની વિધિના નિર્ણય માટે આવશ્યક છે. કાઉસ્સગ્નમાં ઈચ્છાકારેણંનો પાઠ બોલવો જ છે, તો કાઉસ્સગ્રની પહેલાં તેને બોલવો બરાબર નથી. લોગસ્સનો પાઠ કાઉસ્સગ્ગના પછી બોલવો જ છે, એટલે કાઉસ્સગ્નમાં લોગસ્સ બોલવો પણ બરાબર નથી. (૧૮) પ્રશ્ન – રાય અને દેવસિય પ્રતિક્રમણનો સમય કયો છે? જવાબ :- પ્રતિક્રમણ કરવાનો સમય ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન રબ્બી સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કરવાનું સ્પષ્ટ થાય છે. સૂર્યાસ્ત પછી દેવસિય પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાઈય પ્રતિક્રમણ કરવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ર૬માં સૂર્યાસ્ત સમયે થડિલભૂમિ પડિલેહણનું કાર્ય બતાવવામાં આવ્યું છે. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સૂર્યાસ્તના પહેલા સમય સુધી ચાલવું વિહાર કરવો વગેરે બતાવવામાં આવ્યું છે. બૃહકલ્પ સૂત્રમાં સૂર્યાસ્ત પૂર્વ સમય સુધી ખાતાં પીતાં સાધુની પણ આરાધના બતાવવામાં આવી છે. આ રીતે સૂર્યાસ્તની નજીકના પૂર્વ સમયમાં પ્રતિલેખન, વિહાર અને આહાર વિધિનો આગમ નિર્દેશ હોવાથી તે કાળને પ્રતિક્રમણનો કાળ કહી શકાતો નથી. એટલે સૂર્યાસ્તની પૂર્વે પ્રતિક્રમણનો સમય માનવો આગમ વિપરીત થાય છે. પ્રાતઃ સૂર્યોદયની પછીના સમયમાં આગમમાં પ્રતિલેખન, વિહાર એવું આહારનું કથન છે. એટલે સૂર્યોદયની પહેલાં જ પ્રતિક્રમણનો કાળ માનવો બરાબર છે. આવી રીતે આગમ સંમત તત્ત્વ એ છે કે સૂર્યાસ્ત પછી દેવસિક પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાત્રિક પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્ન:- પ્રતિક્રમણ ૪૮ મીનિટમાં થવું જોઈએ? જવાબ – આગમોમાં એવા કોઈ નિશ્ચિત સમયનો ઉલ્લેખ નથી. છતાં પણ એક રૂપતા એવં વ્યવસ્થિતતાની દષ્ટિથી એવું કહેવાય છે કે ૪૮ મીનિટ અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy