SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. ધર્મ પ્રભાવ ભાવના (ધર્મ દુર્લભ ભાવના) ગ્રંથકારે પ્રથમ ભૂમિકા માટે પ્રકાશ્ય છે કે જિનેશ્વર ભગવંતોએ ગૃહસ્થને યોગ્ય દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મ બતાવ્યા છે. વાસ્તવમાં ધર્મ આત્માનો સ્વભાવ છે. જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર (સુખ) અને વીર્ય-લબ્ધિનું યથાર્થ શ્રદ્ધાન, જ્ઞાનસ્વરૂપમાં જ સ્થિરતા તે સ્વાનુભવધર્મ છે. અજ્ઞાનવશ રાગ દ્વેષની તીવ્રતાથી સ્વભાવ વિકારી બને છે માટે પ્રથમ રાગ દ્વેષનો ત્યાગ કરી આત્મામાં સ્થિર થવું. સંસાર પ્રત્યે વિરક્ત બનો સમભાવી બનો, પરમાનંદરૂપ ધર્મ સ્વયં પ્રગટ થશે. આત્મામાં જ સ્વભાવધર્મનો અનુભવ થશે. જગતના છએ દ્રવ્યો સ્વપરિણામી છે. સર્વ જીવો સત્તા અપેક્ષાએ એક સમાન શુદ્ધ સ્વરૂપી છે. જે કંઈ ભેદ દેખાય છે તે કર્મની વિષમતાને આશ્રયી છે. શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી જીવ માત્રને સમભાવી જોતાં રાગદ્વેષના વિકાર નષ્ટ થઈ જશે. ધર્મના અચિંત્ય પ્રભાવથી ત્રણેલોકને જીતી શકાય છે. અર્થાત મોક્ષ પ્રાપ્ત થાય છે. આવો મહાનધર્મ પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી કર્મની ચક્કીમાં જીવ પિસાતો રહે છે, મહાદુઃખ પામે છે. જિનેશ્વર કથિત ધર્મ મંગલરૂપ છે. જેના હૃદયમાં ધર્મનું સ્થાન છે તેને સર્વત્ર મંગલ છે. જેણે ધર્મ ધારણ કર્યો તેના પાપ કે દુઃખ નાશ પામે છે. અર્થાત જે ધર્મને ધારણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે. ધર્મને હૈયામાં વસાવતા પહેલા ખેતર ખેડવા માટે જેમ તૈયારી કરવી પડે છે તેમ અનાદિના સંસ્કાર દૂર કરવા ભૂમિકા કરવી પડે છે. તે માટે સાધકે પ્રથમ ચાર ધર્મ ધારણ કરવાના છે. ક્રમે કરીને સ્વભાવધર્મમાં સ્થિર થવાનું છે. દાનધર્મ જે પરપદાર્થો પોતાના માન્યા છે તેનો ત્યાગ કરવો. અથવા ધન સંપત્તિ આદિનો સદ્વ્યય કરવો. જેથી ભૌતિક પદાર્થોની આસક્તિ દૂર થતા ગુણવૃદ્ધિ થાય છે. દાનથી પરિગ્રહની મૂછ ઘટે છે, મૂછ ઘટવાથી મોહનીયકર્મ મોળું પડે છે, મિથ્યાત્વ દૂર થતાં સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, જે મોક્ષપ્રાપક છે. આમ દાનથી-ત્યાગથી પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય. જેમ શાલિભદ્રના જીવે પૂર્વ જન્મમાં રૂચતો આહાર ત્યાગ કરી નિર્દોષભાવે ચિંતનયાત્રા ૭૩ For Private & Personal Use Only ધર્મ પ્રભાવ ભાવના www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy