SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ લોકનું સ્વરૂપ અતિ ગૂઢ અને વિશાળ છે. તેનું સૂક્ષ્મ સ્વરૂપ કેવળી ગમ્ય છે. છતાં લોકસંસ્થાનની ભાવના એ માટે કહી છે કે જીવ એમ સમજે કે મને માનવજન્મનો કેવો અવસર મળ્યો છે. તેમાં વળી ઉચ્ચ કુળ, ધર્મશાસન, શારીરિક બૌદ્ધિક ક્ષમતા, મળી છે તો આ સંસારના ગહન વનમાંથી નીકળી જવાનો પુરૂષાર્થ કરી લે. અનંત ચતુષ્ટય પામીને, પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરી લે. સંસારથી મુક્ત થવાનો ઉપાય જાણવો અને આદરવો જોઈએ પુનઃપુનઃ આ અવસર નહિ મળે. સંસારમાં બીજું કોઈ સાધન નથી કે તને પૂર્ણ સુખ આપી શકે, પુણ્યના યોગે તને સુખાભાસ કે પરિવારાદિમાં સ્વાત્મ બુદ્ધિ થાય છે. પરંતુ તે કોઈ તને આત્મ શાંતિ આપવા સમર્થ નથી. ચક્રવર્તી, ઈન્દ્રાદિ જયાં સુધી જન્મ મરણને આધીન છે ત્યાં સુખ નથી. વાસ્તવમાં આત્મજ્ઞાન રહિત જીવ પુણ્ય પાપમાં પરિવર્તન કરે છે. પરને પોતાના માનીને મિથ્યાભાવનું પોષણ કરવું તે મહાપાપ છે. આ પુણ્ય કે પાપ કોઈ જીવની રક્ષા કરે તેમ નથી. તારા સ્વરૂપનું ભાન જ તારી રક્ષા કરશે. ધર્મ જ રક્ષણ કરશે માટે ધર્મનું શરણ ગ્રહણ કર. ચોદરાજના વિશ્વમાં રહેલા જીવો સ્વકર્મવશ પરિભ્રમણ કરે છે. તેમાં કોઈ સુખ પામ્યું નથી. આયુષ્યકર્મને આધીન જીવને સુખ કયાંથી હોય માટે જ્ઞાની ભગવંતો લોકાગ્રે શાશ્વત સ્થાન પામવા નિરંતર આત્મધર્મને આરાધે છે, અને પામે છે. લોક ભાવના : (હરિગીત) જે લોક, અલોક આકાશમાં, આધાર વિણ ને સ્થિર હા પુરુષાકૃતિ ભુજ કટી પરે, છ દ્રવ્ય એ રીત જાણવા છે અમિટ એ તો અનાદિથી કર્તા ન હત કોઈ છે જીવ પુગલોનાં પરિભ્રમણમાં, કર્મ માત્ર નિમિત્ત છે. પુણ્યપાપથી જીવ જગતમાં સુખી અગર તો દુઃખી બને કૃત કર્મ રીત ફળ ભોગવે, ને દોષ અવરને શિર ધરે ! બધી આશ જગની ત્યજી દઈ, કરે મોહકર્મનો નાશ જો નિજપદમાં સ્થિર બની જઈ, જીવલોક અગ્રે બિરાજતો. ચિંતનયાત્રા Jain Education International ૭૨ For Private & Personal Use Only સ્થાન ભાવના www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy