SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ સમજાવે કાયા, લાલન પાલન મેં તો કીધું રે; રેશમના ચીર, હીરા, મોતીથી મઢી દીધું રે. કાયા બોલે ચેતન ભોળા, તું ભીંત ભૂલ્યો રે, પુગલના ખેલ, તેમાં તું કેમ નાચો રે. માટીના પૂતળાને હરખ શોક કંઈ નહિ રે.” જીવ અજીવ સર્વ પદાર્થોથી ભિન્ન છતાં ચર્મચક્ષુ વડે જોતા એવું લાગે છે કે જાણે જીવ દેહ, જીવ-જીવ, એક જ છે. ભીડમાં મનુષ્યને સારું લાગે છે. અરે મારે તો કેટલા વિશાળ સંબંધો છે. હું કયારેય એકલો પડતો નથી. રાત્રે ઉંઘમાં પણ કેટલાય વિકલ્પો લઈને સૂએ છે. વાસ્તવમાં ગૃહ, પરિવાર તને બંધનું કારણ નથી. જોકે શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્ત્રી આદિ નરક નિગોદના કારણ છે, અર્થાત્ તેમના પ્રત્યેની તારી આસક્તિ, ઐક્યતાના મોહજનિત પરિણામ મુખ્ય કારણ છે. અન્યને દોષ ન આપ. ગૃહસ્થી હો તો નિર્દોષ પ્રેમથી, અનાસક્ત ભાવે કુટુંબનો નિર્વાહ કર અને જિનવાણીનું લક્ષ્ય રાખ કે હું આ સર્વથી ભિન્ન છું. તારી આ ભાવના તને સત્યમાર્ગે લઈ જશે. - તું દેહાદિથી ભિન્ન છે તે સમજાવ્યા પછી ગ્રંથકાર તને તત્ત્વદૃષ્ટિથી સમજાવે છે કે તારામાં જે રાગાદિ પરિણમન થાય છે તે તારું સ્વરૂપ નથી. મોદાદિ જનિત ભાવો તારા આત્મામાં થતાં હોવા છતાં તારા સ્વરૂપથી તન્ન ભિન્ન છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા રાગાદિ ભાવ તારા કેમ થાય? તું તો ગુણોનો અખંડ પિંડ છે. તેમાં પરપરિણમનનો પ્રવેશ નથી. પરંતુ અનાદિના કર્માવરણથી જીવ સંયોગને સ્વભાવ માની સંસારમાં ભ્રમણ કરે છે. અને જે જીવો પર પરિણતિને ત્યાગીને સ્વના આશ્રયે ભિન્નતા અનુભવે છે તે સ્વસ્વરૂપે-પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે જે પોતાનું ન હતું તેવા પર ઘર, નગર, પત્ની, પુત્ર આદિમાં મારાપણું છૂટી ગયું. જીવમાં થતા રાગાદિ વિકલ્પો મારા ન હતા તે છૂટી ગયા. અંદર બહાર બધું જ પરાયું છૂટી ગયું. એટલે આત્મા પરમાત્મા સ્વરૂપે જેવો હતો તેવો પ્રગટ થયો. ન પુણ્ય, ન પાપ સર્વ કર્મ પ્રકૃતિથી ભિન્ન સ્વસ્વરૂપે પ્રગટ થયું. અન્યત્વ ભાવનાનું પ્રયોજન એ છે કે જીવ દેહથી ભિન્ન સ્વાત્માની ઉપાસના કરીને શાશ્વત આનંદ પ્રાપ્ત કરે. આત્મા જ્ઞાનમાત્ર મોહક્ષયનું કારણ છે જે જ્ઞાન તું અનાદિથી વિસરી ગયો તે જ્ઞાનસ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરી તેના આશ્રયે બોધ પામી તારા સ્વરૂપમાં જ સમાઈ જા. ત્યાં નિરવધિ સુખ છે. - - Jain Ed----------------------- ચિનયાત્રા ------------------------------------ ૪૨ - jarrembrary.org અન્યત્વ ભાવના
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy