SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જીવથી દેહ ભિન્ન છે તેમ જીવથી જીવમાત્ર પણ ભિન્ન છે. તું દેહ સાથે, પત્નિ સાથે, અન્ય પદાર્થો સાથે એક થવા મથે છે. અનાદિનો તારો આ શ્રમ વ્યર્થ ગયો છે. માટે સમજ, છોડ આ પળોજણ અને સ્વમાં ઠરી જા. સ્વભાવમાં ઠરવા માટે અભ્યાસ કર. તારા દેહથી શરૂ કર, થોડા દિવસ નિરંતર ભાવ ટકાવી રાખ હું આ દેહ નથી, હું મન કે વાણી નથી, હું સ્ત્રી કે પુરૂષ નથી, હું પતિ-પત્ની આદિ નથી, હું કાળો ગોરો નથી, સુખી કે દુઃખી નથી, શ્રીમંત કે ગરીબ નથી, શત્રુ કે મિત્ર નથી. તે બધાને બાદ કરતાં છેવટે જે વિચારનારો તું જ રહેશે તે જ તારું સ્વરૂપ છે. એક એક સંબંધોથી ભિન્ન ભાવ ઘૂંટયા કર તો ઐકયનો કંઈક અંધકાર દૂર થશે અને જ્ઞાન પ્રકાશમાં તું જે છું તે તને જણાશે. “જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન; સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે. સ્વરૂ૫ ચેતન નિજ જડ છે સંબંધ માણ; અથવા તે ડ્રોય પણ પરદ્રવ્યમાંય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર જે તારાથી ભિન્ન છે તેમાં ઈનિઝ બુદ્ધિ શા માટે કરે છે. તેના સંયોગ વિયોગમાં સુખ દુઃખ શા માટે માને છે ? સ્મશાનનો રખેવાળ કોણ જાણે રોજ કેટલાયે શબના અગ્નિસંસ્કાર કરતો હશે, જોતો હશે પણ પોક મૂકીને કયારેય રડતો નથી. તેના જેવી જ વાસ્તવિકતા સંયોગ વિયોગમાં જ્ઞાની જુએ છે. આ પ્રકારે સર્વ પદાર્થની ભિન્નતા અનુભવી સ્વરૂપમાં રહેવું તે માનવનું કર્તવ્ય છે. જીવ પોતાના કર્મજન્ય વિચિત્ર પરિણામથી સ્વયં વિભિન્ન દેહ ધારણ કરે છે. એક દેહ છોડી જાય છે ત્યાંથી પલકવારમાં તો બીજા દેહનું નિર્માણ કરી લે છે. છતાં જીવ શરીરથી ભિન્ન છે. શરીર સાથે જીવનો એક ક્ષેત્રાવગાહ સંબંધ છે, જે સ્થાનમાં જીવના પ્રદેશો છે તે સ્થાનમાં દેહના સ્કંધો રહેલા છે. દેહના રોમે રોમમાં જીવપ્રદેશ ક્ષીરનીરવત્ રહેલા છે. દેહમાં જયાં પોલ છે તાં જીવપ્રદેશો નથી. કર્મવશ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પરંતુ દેહ જીવ એક નથી. અગાઉ જણાવ્યું તેમ લક્ષણથી ભિન્ન છે. પરંતુ એક ક્ષેત્રાવાહ ઘનિષ્ઠ સંબંધ હોવાથી અજ્ઞાનવશ દેહને સર્વસ્વ અજ્ઞાની માની બેઠો છે. મૃત્યુ સમયે વિચારે છે કે - ચેતન પૂછે રે કાયા માન તું વાત મારી, જીવનભર રહા ભેગા હવે થવું એકલા રે ? કાયા બોલે વેણ મીઠા સાંભળ ચેતન હંસા, અમે જડ તું ચેતન અનાદિના જુદા જુદા રે. ચિંતનયાત્રા ૪૧ અન્યત્વ ભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy