SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આગળની પાંચ દષ્ટિમાં મૈત્રી અને અમૈત્રી બંને ભાવ હોય છે. પ્રશસ્ત અપ્રશસ્ત કષાયો હોય છે, જયારે આ દષ્ટિમાં તત્ત્વચિંતનની શુદ્ધતા હોવાથી આ ગુણો સંપૂર્ણ વિકાસ પામે છે. આ દષ્ટિવાળા ગૃહસ્થ જીવોની સાંસારિક પ્રવૃત્તિ પણ જિનાજ્ઞાયુક્ત હોય છે. સંપૂર્ણ ઔચિત્યનું પાલન કરે છે. આ દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ ગયો છે. અપ્રશસ્ત કષાય દૂર થાય છે. છતાં પ્રશસ્ત કપાયોના ભાવો રહ્યા છે. તેથી “રાગ' નામનો દોષ છે તે હવે નષ્ટ થાય એટલે સાતમી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ધારણા-છઠું યોગાંગ કાનનાદેષ્ટિમાં ધારણા નામનું અંગ પ્રાપ્ત થાય છે. યોગના કેટલાંક અંગો હઠયોગવાળાને પણ હોય છે. યમના પાંચ મહાવ્રતો બાધાપણે હોય છે. જૈનદર્શનના અહિંસા જેવા સૂક્ષ્મ આચારવાળા મહાવ્રતો પ્રાયે હોતા નથી. તે જ પ્રમાણે નિયમમાં સ્વાધ્યાય સંયમાદિ હોય છે, વ્યસનથી મુક્ત હોય છે. છતાં તેમાં સૂક્ષ્મ આચરણા હોતી નથી. આસન સિદ્ધ કરે છે. બાહ્ય પ્રાણાયામથી નાડી શુદ્ધિ કરે છે. પ્રત્યાહારમાં ઈન્દ્રિયોનો નિરોધ કરે છે. આ હઠયોગમાં મનને અમુક ચક્રોમાં કે પ્રદેશમાં એવું બાંધી દે કે દિવસો સુધી શારિરીક ચેષ્ટા પણ ન થાય. આંખનું પોપચું પણ ફરકે નહિ. આ સર્વે હઠયોગ છે. જે મુક્તિ માર્ગમાં પ્રયોજનભૂત નથી. તેથી જેનદર્શનમાં તેની પ્રસિદ્ધિ નથી. ધારણા એ એક અપેક્ષાએ મતિજ્ઞાનનો ભેદ છે. અત્રે ધારણાને યોગ તરીકે વિચારતા મન પર સંપૂર્ણ સંયમ હોય છે. અર્થાત્ વિષયોથી વિરકિત છે. આ દૃષ્ટિવાળા યોગીઓ પ્રાથે મનને મોક્ષમાર્ગના નિમિત્તોમાં જોડેલું રાખે છે. ચિત્તનો દેશબંધ તે મનની સ્થિરતા છે. છતાં યોગ્ય નિમિત્તોમાં ફેરવીને પણ સંયમમાં રાખે છે. અન્યમુદ્દોષના અભાવથી આ જીવો પરમાર્થમાં એકાગ્ર મનવાળા હોય છે. આ જીવોનું મન તત્ત્વચિંતન પરાયણ હોય છે તેથી અન્ય ક્રિયા કરતા હોવા છતાં તેમનું મન તો તત્ત્વમય રહે છે. તેથી કથંચિત બાહ્ય પ્રવૃત્તિ કરે તો પણ જિનાજ્ઞાયુક્ત કે શાસ્ત્રાનુસારી હોય છે. આ જીવો રાજા, શેઠ, માતા-પિતા, પતિ-પત્ની કે જે કોઈ અવસ્થામાં હોય ત્યાં તે સર્વ જવાબદારી નિર્લેપભાવે કરે છે. તેમનું ચિત્ત તત્ત્વચિંતન પરાયણ હોવાથી, હેય-ઉપાદેયના વિવેકપૂર્ણ હોવાથી પ્રશસ્ત કષાયથી યોગદષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૭૨ For Private & Personal Use Only કાનતાદૃષ્ટિ www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy