SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં આસક્ત થતા નથી. તેથી એ ભોગ પરમપદ પ્રત્યે પ્રમાણમાં બાધા કરી શકતા નથી. યદ્યપિ અવિરતિજન્ય ભ્રમ છે. કારણ કે અપ્રશસ્ત કષાયો પણ રાગાદિરૂપ છે, તેથી સમતાનું સુખ અહીં પૂર્ણ નથી. પ્રશસ્ત કષાયના શુભભાવ પણ તત્ત્વ દૃષ્ટિમાં ભ્રમ કરાવે છે. આ દષ્ટિમાં અન્યનું દુઃખ જોઈ જીવને દયાના ભાવથી કંઈ કરવાના ભાવ પેદા થાય છે. તેથી અહીં સંપૂર્ણ નિશ્ચય પ્રધાન ભેદજ્ઞાન નથી, પોતે પરનું કંઈ કરી શકે છે એવો કર્તાભાવ થંચિત પેદા થાય છે. તે નિમિત્ત હો તો ભલે પરંતુ કર્તાભાવ ભેદજ્ઞાનમાં બાધક છે. આ દૃષ્ટિવાળા જીવો ઈન્દ્રિય વિષયો અને કષાયો ઉપર સંપૂર્ણ સંયમી છે. છતાં છવસ્થ છે તેથી જયાં જેટલી જરૂર હોય તેટલો કષાયનો ઉપયોગ ઔચિત્યપણે કરે છે. જૈન શાસનના મહાપુરૂષોના કથાનકોમાં દરેક પ્રસંગે આવું ઔચિત્ય પાલન જણાય છે, તેથી આ કથાનકોના રહસ્યો જાણનારને સમક્તિ પ્રાપ્તિનું નિમિત્ત બને છે. અન્ય દર્શનમાં એવા ઔચિત્ય પાલનમાં અનુચિત ઘણું આવે છે. યોગી મહાત્માઓ ક્રોધના આવેશમાં શ્રાપ આપે વગેરે, ગૃહસંસારી હોય વગેરે. મૃગજળ મિથ્યા હોવા છતાં ભ્રમિત મૃગલા જળ પીવા દોડે છે. તેમ મિથ્યાદેષ્ટિ ભોગમાં સુખ ન હોવા છતાં એકાંતે સુખ માને છે, તેથી તેની પાછળ દોડે છે. પરંતુ પરમાર્થમાર્ગે આવી શકતા નથી. જયારે કાન્તાદૃષ્ટિમાં તત્ત્વચિંતનરૂપ શુદ્ધ ઉપયોગને કારણે વિષયોના પ્રસંગમાં પણ નિર્મળ પરિણામને તે તે કષાયના અભાવરૂપે ટકાવી રાખે છે. તેથી સતત પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, અથવા નિર્જરા કરે છે. છતાં આ દૃષ્ટિમાં જો ક્ષાયિક ભાવના પરિણામ હોય તો તો પાર પામી જાય છે. પરંતુ ક્ષયોપશમભાવના કે ઉપશમભાવના ગુણોમાં તે ગુણસ્થાનકથી પડવાનો ભય છે, તે કેવળ પૂર્વના બાંધેલા નિકાચિત કર્મોનો ઉદય કારણભૂત હોય છે. આ દૃષ્ટિમાં પતન થાય તેવા કર્મો બંધાતા નથી. ચૌદ પૂર્વધારી મુનિજનો આ દૃષ્ટિમાં હોય છે. તેમનું નિરતિચાર ચારિત્ર હોય છે. વળી ચૌદપૂર્વના જ્ઞાનનીપરિણામની હાજરીમાં પતન થતું નથી, પણ શ્રુતના વિસ્મરણથી કે પ્રમાદથી પડે છે ત્યારે બધું જ શ્રુતજ્ઞાન ચાલ્યું જાય છે. અને પતન થતાં નિગોદસ્થાને પહોંચી જાય તેવી સંભાવના હોય છે. સ્થિરાદેષ્ટિમાં દર્શાવેલા એકવીશ આત્મિક લક્ષણોમાંથી નવમા મૈત્રી આદિ ગુણોની વિશેષ વૃદ્ધિ થાય છે. તે ગુણો આ દૃષ્ટિમાં આત્મસાત્ થાય યોગદૃષ્ટિ સમુચ્ચય કાન્તાદૃષ્ટિ ૨૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy