SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચ્છ, મલિન પદાર્થોનો ભેદ વર્તાતો નથી. એટલે જેમ કોઈ પદાર્થો પ્રત્યે રાગ નથી, તેમ દ્વેષ નથી. નીરોગીને જોઈને સદ્ભાવ કે રોગીને જોઈને અસદ્ભાવ ઊપજતો નથી. જે પદાર્થો જેવા છે તેવા જાણી વિવેકપૂર્વક વર્તે છે. ૪. અમૂઢષ્ટિ : મૂઢતારહિત, વિવેકદૃષ્ટિ. સમ્યગુદૃષ્ટિ આત્મા સમભાવવાળો હોય છે. પરંતુ વિચક્ષણ હોય છે. હિતાહિતને બરાબર જાણે છે. મન, વચન, કાયાથી અજ્ઞાનીની પ્રશંસામાં પડતો નથી, અને તેનાથી પરાભાવ પામતો નથી. ૫. ઉપગૃહન : અન્યના દોષ ઢાંકવા. સમ્યગુદૃષ્ટિ આત્મા કોઈના દોષને જાણે છે, છતાં તેને દોષી તરીકે તિરસ્કાર નહીં. તેના દોષને ઢાંકે અને સાચી સલાહ આપી સાચા માર્ગે વાળે. ૬. સ્થિતિwણ : માર્ગથી ચલિતને માર્ગમાં સ્થિર કરે. કારણવશાત્ કોઈ જીવ ધર્મથી વિમુખ થતો હોય તો તેને ધર્મમાર્ગમાં સ્થિર કરવા પ્રયત્ન કરે. માર્ગથી ચલિત થયેલા જીવને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે. ૭. વાત્સલ્ય : સર્વ જીવો પ્રત્યે નિઃસ્પૃહ મૈત્રી. સમ્યગુદૃષ્ટિ આત્મા જ્ઞાનીજનો અને સાધર્મિક પ્રત્યે નિઃસ્પૃહ-નિર્મળ પ્રેમ-આદર-મૈત્રી જેવી ઉત્કૃષ્ટ ભાવના રાખે છે, સર્વાત્મામાં સમદષ્ટિ રાખે છે. ૮. પ્રભાવના : ધર્મની, ધર્મના શાસનની વૃદ્ધિ થાય તેવા જ્ઞાન પ્રસારક કાર્યો કરવા. લોકો ધર્મ પ્રત્યે સદ્ભાવવાળા થાય તેવી પ્રવૃત્તિ કરવી. સમક્તિ સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી, મિથ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. -શ્રી આનંદઘનજી, શ્રી મલિજિન સ્તવન આ સપરિવાર એટલે નિઃશંક્તિ આદિ આઠ ગુણો છે. સમ્યગુદર્શન પ્રગટવામાં મૂળ હેતુ. દર્શનમોહની મિથ્યાત્વ, મિશ્ર, અને સમક્તિ મોહનીય ત્રણ ચારિત્રમોહનીયની, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ (કષાય) ચાર પ્રશમરતિ ૧૬૦ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર 0 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy