SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વો જ યથાર્થ છે. તત્ત્વોની શ્રદ્ધાને કારણે તે નીચેના સાત ભયોથી મુક્ત છે. જગત જેનાથી આક્રાંત છે, તેનાથી સમ્યગ્દષ્ટિ નિઃશંક છે તે જ તેમનું સુખ છે. સાત ભયથી મુક્તિ (નિસંકિઅ) ૧. આલોકભય ઃ આલોકમાં મારું શું થશે ? મારી આજીવિકાનું શું થશે ? તેવા ભયથી મુક્ત. આત્મા તેમનો આલોક છે. પરલોક તેમનો મોક્ષ છે. ૨. પરલોકભય : પરલોકમાં મારી કેવી ગતિ થશે ? તેવા ભયથી મુક્ત છે કારણ કે સમક્તિની પ્રાપ્તિ પછી અને હયાતીમાં પ્રાયે નીચી ગતિ નથી. ૩. મૃત્યુભય : મૃત્યુનો ભય નથી. મૃત્યુ થવાથી મારો નાશ નથી, હું તો અમર અને શાશ્વત છું. ૪. રોગભય : રોગ થવાથી મારે વેદના ભોગવવી પડશે તેવો ભય નથી. કેમ કે તે જીવે દેહ અને આત્માની ભિન્નતા જાણી છે, કે આત્માને રોગ નથી. ૫. અરક્ષાભય : પરિવારની રક્ષાનો ભય નથી. કારણ કે દરેક પોતાના શુભાશુભ કર્મો પ્રમાણે સુખદુ:ખ ભોગવે છે. કોઈ કોઈને સુખ દુ:ખ આપી શકતું નથી. ૬. અગુપ્તભય : પોતાનો ધન માલ ચોરાઈ જવાનો ભય નથી. તે સર્વે સંયોગાધીન પદાર્થો છે એમ જાણે છે. ૭. અકસ્માતભય ઃ અચાનક અકસ્માત થતા મારું કે પરિવારનું શું થશે તેવો ભય નથી. પ્રારબ્ધ અનુસાર જે બને છે, તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી, તેવી શ્રદ્ધા છે. ર. નિષ્કાંક્ષિત : સમ્યગ્દષ્ટ આત્મા ૫૨૫દાર્થોથી પ્રાપ્ત થતાં સુખથી આકાંક્ષા રહિત હોય છે. તેવા સુખો પુણ્યયોગે પ્રાપ્ત થવા છતાં આ જીવ તેમાં સુખબુદ્ધિ કરતો નથી. કારણ કે તેણે સ્વરૂપ સુખના સ્વાદથી તેવી ભ્રાંતિ ટાળી દીધી છે. તેથી બહારથી કંઈ પણ મેળવવાનું તેમને પ્રયોજન નથી. 3. નિર્વિતિગિચ્છા : માધ્યસ્થા - અગ્લાનિ. તિરસ્કારરહિત. સમ્યગ્દષ્ટ આત્માને વસ્તુના સ્વરૂપનો બોધ પ્રગટપણે વર્તે છે. તેથી તેમણે રાગ-દ્વેષ, સુગંધ, દુર્ગંઘ, પ્રશમરતિ Jain Education International સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ૧૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy