SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ અંતમુહૂર્ત છે. અપેક્ષાએ શુદ્ધભાવ છે. ક્ષાયોપથમિક ભાવ : ઉદયમાં આવેલા કેટલાક કર્મોનો ક્ષય થાય તેવા પુનઃ ન બંધાય. સત્તામાં રહેલા કેટલાક કર્મોનો ઉપશમ થાય ત્યારે આ ભાવ હોય છે. તે પ્રાથે ચાર ઘાતકર્મોનો હોય છે. ક્ષાયિકભાવ : તે તે ગુણ સ્થાનકે તે તે કર્મપ્રકૃતિનો સર્વથા ક્ષય થવાથી જે ભાવ પ્રગટે તે ક્ષાયિકભાવ. જેમકે ચોથા ગુણસ્થાનકે દર્શનમોહની ત્રણ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કષાયની ચાર એમ સાત પ્રકૃતિનો ક્ષય થવો. સાધકે સાધનાકાળમાં ક્ષાયિકભાવનું લક્ષ્ય કરવાનું છે. તે પ્રમાણે આગળના ગુણ સ્થાનકે પ્રકૃતિનો ક્ષય થતો જાય. જો કે આ પાંચ ભાવોમાં પારિણામિક ભાવ સિવાય ચાર ભાવ કર્મ સાપેક્ષ છે. પરિણામિક ભાવનો સ્વભાવરૂપે પરમપારિણામિક ભાવે લક્ષ કરી તે ભાવ સાધ્ય કરવાનો છે તે અવસ્થા શુદ્ધ છે. નરકાદિ જેવી અવસ્થામાં પણ મૂળ સ્વરૂપે રહેલો આ ભાવ ક્ષતિ પામતો નથી. તે તો જેવો છે તેવો જ રહે છે. સમ્યગુષ્ટિ આત્માનું લક્ષ્ય આ ભાવ પ્રત્યે હોવાથી તે આગળના ગુણસ્થાનકને પ્રાપ્ત કરી મુક્તિ પ્રાપ્ત કરે છે. સિદ્ધાવસ્થામાં પારિણમિક ભાવ અને ક્ષાયિક ભાવ હોય છે. બીજા ત્રણ કર્મસાપેક્ષ હોવાથી તે સિદ્ધાવસ્થામાં હોતા નથી. જો કે ક્ષાવિકભાવ કર્મ સાપેક્ષ છે છતાં કર્મોનો ક્ષય થવાથી તે પુનઃ બંધ ઉદય પામતા નથી તેથી તે ભાવ સિદ્ધાવસ્થામાં રહે છે. સવિશેષ ચાર ઘાતકર્મોનો નાશ થવાથી જે ગુણ પ્રાપ્ત થાય છે તે ક્ષાયિક ભાવ છે. જીવના આઠ સ્વરૂપ : નિશ્ચયથી આત્મા કેવળ જ્ઞાયક સ્વરૂપ છે. વ્યવહારથી તેના આઠ ભેદ કહ્યા છે. ૧. દ્રવ્યાત્મા ૨. કષાયાત્મા ૩. યોગાત્મા ૪. ઉપયોગાત્મા ૫. જ્ઞાનાત્મા ૬. દર્શનાત્મા ૭. ચારિત્રાત્મા ૮. વિર્યાત્મા. આત્મતત્ત્વની વ્યાપક વિચારણા મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક છે. તેનાથી સ્વતન્તભૂત જ્ઞાનાદિ ગુણો પ્રગટે છે. આત્મતત્ત્વને આ રીતે વિવિધ પ્રકારે જાણવાથી સ્વરૂપ રમણતા-સ્થિરતામાં સરળતા રહે છે. વળી સ્વભાવ તથા વિભાવદશાનો બોધ થાય છે. ૧. દ્રવ્યાત્મા : જીવદ્રવ્યમાં રહેલો દ્રવ્યત્વનો પરિણામ અનાદિ પારિણામિક ભાવ છે. તે દરેક અવસ્થાઓમાં ટકી રહે છે. ચેતન અચેતન બધા દ્રવ્યોમાં જે સ્થિર અંશ છે, તે સર્વ અવસ્થાઓમાં કાયમ રહે છે તેને પ્રશમરતિ ૧૫૦ For Private & Personal Use Only જીવના ભેદ પ્રભેદ www.jainelibrary.org Jain Education International
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy